કેવી છે વહુ આલિયા ભટ્ટ? પ્રશ્ન પર નીતૂ કપૂરનો જવાબ જીતી લેશે દિલ

રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારની વહુ બની ગઈ છે. કપલના લગ્ન બીટાઉનના મોસ્ટ અવેઈટેડ અને સૌથી ચર્ચિત વેડિંગ્સમાંથી એક રહ્યા હતા. લગ્ન બાદ આલિયાની સાસુએ પુત્ર રણબીર અને વહુ આલિયાના વેડિંગ ફોટો શેર કરીને તેમને ‘પોતાની દુનિયા’ કહ્યા હતા. હાલમાં જ પેપરાજીએ પણ નીતૂને તેની વહુના વિશે પ્રશ્નો પૂછ્યો હતો, જેના પર નીતૂએ આપેલો જવાબ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં પેપરાજી નીતૂને પૂછે છે ‘વહુ કેવી છે તમારી?’. જેના પર સ્માઈલ અને ખુશી સાથે નીતૂ જવાબ આપે છે કે, ‘વહુ...સારી છે, ખૂબ જ સારી છે.’ નીતૂના જવાબથી વધુ તેના એક્સપ્રેશને લાઈમલાઈટ મેળવી હતી, તે ગર્વથી પોતાની વહુ વિશે જણાવતી જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયો પર અનેક લોકોએ નીતૂને ટ્રોલ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. એક યૂઝરે કહ્યું કે, ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો ક્યા ગમ હૈ, જિસે છુપા રહે હો.’ તેમજ બીજા એક યૂઝરે લખ્યું, ‘તે આટલી ક્યૂટ છે અને તે આલિયાને ખૂબ જ પ્રેમ કરે છે.’ લોકોનું કહેવાનું તો ચાલતું રહેશે, અનેક લોકો ટ્રોલ કરશે, અનેક લોકો વખાણ કરશે પણ નીતૂ અને આલિયાની બોન્ડીંગ પહેલાથી જ સારી જોવા મળતી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

નીતૂ અને આલિયાની વચ્ચે કેવી છે બોન્ડીંગ?

નીતૂની ઈન્સ્ટાગ્રામ પોસ્ટને જોઈએ તો, તે પહેલા પણ આલિયા સાથેના ફોટો શેર કરી ચૂકી છે, તે આલિયાના બર્થડે પર તેને વિશ કરવાનું ભૂલી ગઈ હતી. તેમજ, આલિયા પણ નીતૂ કપૂરની સાથે ખૂબ જ સ્ટ્રોંગ બોન્ડ શેર કરે છે, તેના સોશિયલ મીડિયા પેજ પર પર બંને સાસુ-વહુનો આ મજબૂત સંબંધ લાંબા સમયથી જોવા મળી રહ્યો છે.

લગ્નના થોડા દિવસો પછી જ કામ પર પાછા ફર્યા રણબીર-આલિયા

આલિયા અને રણબીરના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. સંબંધીઓ અને મિત્રોની ઉપસ્થિતિમાં આલિયા અને રણબીરે પોતાના સંબંધ પર ઓફિશિયલ જાહેર કર્યો હતો. 16 એપ્રિલે વેડિંગ રિસેપ્શન થયું અને પછી એક અઠવાડિયાની અંદર બંને પોતાના કામ પર પાછા ફર્યા હતા.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.