રજનીકાંતની ફિલ્મને જોવા આ 2 શહેરોમાં રજા જાહેર કરાઇ, કંપનીએ ફ્રીમાં ટિકિટ આપી

મેગાસ્ટાર રજનીકાંત ફરી એકવાર પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતવા તૈયાર છે. તેમની ફિલ્મ જેલર ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. થલાઈવાની આ ફિલ્મની રાહ તેના પ્રશંસકો ઘણાં સમયથી જોઇ રહ્યા છે. ફિલ્મ જેલર 10 ઓગસ્ટના રોજ રીલિઝ થઇ રહી છે. એવામાં રજનીકાંતની ફેન ફોલોઇંગને જોતા તમિલનાડુ અને કર્ણાટકના બે શહેરોમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ રજા તમિલ ફિલ્મ જેલરને જોવા માટે જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં અમુક કંપનીઓએ તો પોતાના કર્મચારીઓને રજનીકાંતની આ ફિલ્મની ફ્રીમાં ટિકિટ પણ આપી છે.

ઈકોનોમિક્સ ટાઇમ્સની ખબર અનુસાર, જેલરની રીલિઝ તારીખ પર ચેન્નઈ અને બેંગલોરમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. એક કંપનીએ તો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા રજાની જાહેરાત કરી છે. જણાવીએ કે, હાલના દિવસોમાં સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ જેલરનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું. જેને ફેન્સનો ખૂબ પ્રેમ મળ્યો. ફિલ્મ 10 ઓગસ્ટના રોજ રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત રામ્યા કૃષ્ણન, જેકી શ્રોફ, તમન્ના ભાટિયા, શિવ રાજકુમાર, સુનીલ અને યોગી બાબૂ જેવા ઘણાં કલાકારો પણ જોવા મળશે.

આ ફિલ્મમાં જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં જોવા મળશે. રજનીકાંત આ ફિલ્મમાં જેલર મુથુવેલના પાત્રમાં જોવા મળશે. જેની જેલમાંથી એક ખતરનાક ગેંગ તેના મુખ્યાને છોડાવવા માગે છે. પણ મુથુવેલ એક પ્રામાણિક ઓફિસર છે. જે પોતાના ઘરે એક શાંત વ્યક્તિ છે. તો બીજી બાજુ તેના ખતરનાક અંદાજ વિશે તેની દીકરી અને દીકરો જરા પણ જાણતા નથી. જેકી શ્રોફને મુથુવેલનું રિયલ રૂપ ખબર છે. તેનો ફાયદો ઉઠાવી તે મુથુવેલને બ્લેકમેલ કરે છે. પછી શું થાય છે તે ફિલ્મ જોઇને ખબર પડશે.

આ ફિલ્મનું એક ગીત ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. જે તમન્ના ભાટિયા અને રજનીકાંત પર દર્શાવાયું છે. લોકો આ ગીત પર રીલ્સ બનાવી રહ્યા છે અને કલાકારોને સાથે ટેગ પણ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.