તારક મહેતાના મેકર્સે નથી આપ્યા શૈલેષ લોઢાના પૈસા? આરોપો પર આવ્યો આ જવાબ

ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વીતેલા 14 વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની સાથે  તેના તમામ કલાકાર પણ સમય-સમય પર ચર્ચામાં બન્યો રહે છે. થોડાં દિવસોથી શોના મુખ્ય કેરેક્ટર મેહેતા સાહેબને નિભાવનારા એક્ટર શૈલેષ લોઢાએ શો છોડી દીધો હતો. શો છોડ્યાના છ મહિના બાદ શૈલેષ લોઢાએ મેકર્સ પર એવો આરોપ લગાવ્યો હતો કે તેમને હજુ સુધી બાકી પૈસા નથી મળ્યા. ત્યારબાદ હવે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા તરફથી પ્રોજેક્ટ હેડ સુહેલ રમાનીએ તેનો જવાબ આપ્યો છે.

શૈલેષ લોઢાએ મીડિયા સાથે વાતચીત કરતા એવુ જણાવ્યું હતું કે, તેઓ 1 વર્ષથી પોતાના પેમેન્ટની રાહ જોઈ રહ્યા છે પરંતુ, મેકર્સ તેના પર ધ્યાન નથી આપી રહ્યા. તેમજ, હવે પ્રોજેક્ટ હેડ સુહેલ રમાનીએ શૈલેષના પૈસા અટકવાનું કારણ જણાવ્યું છે અને એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે, મેકર્સની તેમા કોઈ ભૂલ નથી. મીડિયા સાથે વાતચીત કરતા સુહેલે આ તમામ સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે એવુ કહ્યું કે, શૈલેષને ટીમ દ્વારા ઘણીવાર કહેવા છતા તેઓ પેપર સાઈન કરવા નથી આવ્યા અને બાકી પેમેન્ટ લેવામાં તેમણે રસ પણ નથી દાખવ્યો.

શૈલેષ લોઢાએ લગાવેલા આરોપો બાદ સુહેલે મીડિયા સાથે વાત કરી અને કહ્યું- અમે શૈલેષને ઘણીવાર એ જણાવી ચુક્યા છીએ કે તેમણે કોન્ટ્રાક્ટ ક્લોઝર માટે પેપર્સ સાઈન કરવા આવવુ પડશે, તો જ તેઓ પોતાનું પેમેન્ટ કલેક્ટ કરી શકે છે. પરંતુ, તેમણે એવુ ના કર્યું. સાથે જ તેમણે જણાવ્યું કે, જ્યારે તમે કોઈ કંપની અથવા શોને છોડો છો, તો તેના કેટલાક નિયમ હોય છે. આ ફોર્માલિટી ટીમ અને સ્ટાફ સાથે સંકળાયેલા દરેક સભ્યો માટે હોય છે. કોઈપણ કંપની કોઈ વ્યક્તિ આ પહેલા પોતાના પૈસા રીલિઝ ના કરી શકે.

શૈલેષ લોઢા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોની શરૂઆત એટલે કે 2008થી તેની સાથે જોડાયા હતા. ગત વર્ષે એટલે કે 2022માં તેમણે અચાનક શો છોડવાની જાહેરાત કરી દીધી હતી. હવે સુહેલનું કહેવુ છે કે, શૈલેષે અચાનક 2022માં કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના શો છોડી દીધો હતો. આ કારણે મેકર્સ અને તેમની વચ્ચે વિવાદ ઘણો વધી ગયો. શૈલેષ લોઢાના શો છોડ્યા બાદ ઘણા દિવસો સુધી મેકર્સ તેમને મનાવવાનો પ્રયત્ન કરતા રહ્યા પરંતુ, તેઓ પાછા ના આવ્યા. ત્યારબાદ હવે મેહતા સાહબનું કેરેક્ટર એક્ટર સચિન શ્રોફ નિભાવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.