આ કારણે થઇ ગયો હતો દેવાળિયો, હવે બીજી વખત આવી ભૂલ નહીં કરુ: સની દેઓલ

'ગદર 2' રિલીઝ થયા બાદથી સની દેઓલ સતત ચર્ચામાં છે. ક્યારેક તેની ફિલ્મો, ક્યારેક તેનોબંગલા તો ક્યારેક તેના નિવેદનો લાઈમલાઈટમાં રહે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ પણ સની દેઓલ 'ગદર 2'નું પ્રમોશન કરી રહ્યો છે. સની વિદેશમાં પણ પોતાની ફિલ્મનું જોરદાર પ્રચાર કરી રહ્યો છે. હાલમાં જ સની દેઓલનું એક નવું નિવેદન ચર્ચામાં છે. સનીએ આ નિવેદનથી હલચલ મચાવી દીધી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે અભિનય સિવાય કંઈ નવું કરવાનો પ્રયાસ કરશે નહીં.

હાલમાં જ સની દેઓલે BBCને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે હવે ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ નહીં કરે. તે એક એક્ટર બનીને જ લોકોનું દિલ જીતી લેશે અને સતત સારા પાત્રોમાં જોવા મળશે. તેણે ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ ન કરવાનું કારણ પણ આપ્યું છે. અભિનેતાએ કહ્યું કે જ્યારે પણ તે ફિલ્મો બનાવે છે ત્યારે તેને મોટું નુકશાનથઈ જાય છે. તેમણે બનાવેલી છેલ્લી ફિલ્મ તેમના પુત્ર કરણ દેઓલની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ હતી.

ઇન્ટરવ્યૂમાં સની દેઓલે કહ્યુ કે ફિલ્મો બનાવવેના કારણે હું દેવાળિયો થઇ જાઉ છું. દુનિયા બહુ મુશ્કેલ બની ગઈ છે. વર્ષો પહેલા હું વસ્તુઓને નિયંત્રિત કરી શકતો હતો કારણ કે વિતરણ સામાન્ય હતું. આ એવા લોકો હતા જેમની સાથે હું વાતચીત કરતા હતો, જેમની સાથે અમારો સંબંધ હતો. જ્યારથી કોર્પોરેટ માળખું આવ્યું છે, બધું બદલાઈ ગયું છે.

કોઇ પણ વ્યક્તિ માટે હવે જીવવું મુશ્કેલ છે. તમારે તમારું PR કરવું પડશે, આમ તેમ ભાગવું પડશે. તમેને જોઇએ તેટલી સંખ્યા થિયેટર્સ આપશે નહીં.અને તેઓ નથી ઈચ્છતા કે કોઈ ખાસ વ્યક્તિ ત્યાં સ્થાપિત થાય. છેલ્લા એક દાયકામાં મારે મારી ફિલ્મોને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તમે ચોક્કસ પ્રકારનું સિનેમા કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ તમને આવી રીતે કોઈ ખાસ સમર્થન મળતું નથી.

સની દેઓલે આગળ કહ્યુ કે,એટલે આવી સ્થિતિમાં મેં નક્કી કર્યું, બધાથી દુર થઇ જવું છે અને હવે માત્ર અભિનયને વળગી રહેવાનું છે. હવે હું એક અભિનેતા તરીકે અભિનય કરવા માંગુ છું. હું એક અભિનેતા તરીકે વધુને વધુ ફિલ્મો કરવા માંગુ છુંસની દેઓલે 'દિલગી', 'યમલા પગલા દિવાના ફિર સે', 'ઘાયલ વન્સ અગેન' અને 'પલ પલ દિલ કે પાસ' કરી છે.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.