'આત્મહત્યા વિશે વિચારતો હતો', કપિલનો મોટો ખુલાસો, કહ્યું-સમજાવવાવાળું કોઈ નહોતું

કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં પોતાની ફિલ્મ ઝ્વીગાટોને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે કપિલ શર્મા લાંબા સમય પછી ફિલ્મી પડદે પરત ફરી રહ્યો છે. પોતાની કોમેડીથી હંમેશા દર્શકોને હસાવનાર કપિલ શર્માએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાની કારકિર્દી અને જીવનના અંધકારમય સમય વિશે જણાવ્યું હતું. કપિલે કહ્યું કે, એક સમય એવો હતો, જ્યારે તેને આત્મહત્યા કરવાનું મન થતું હતું.

કોમેડિયન કપિલ શર્મા મીડિયા સાથે વાતચીત દરમિયાન ઘણી ફની વાતો શેર કરતો જોવા મળવાનો છે. આ દરમિયાન તે મીડિયા સાથે વાતચીતમાં તેની કારકિર્દીના મુશ્કેલ સમય અને તેના જીવનના પસાર કરેલા ખરાબ દિવસો વિશે ચર્ચા કરતો જોવા મળશે. પ્રોમો વીડિયોમાં બંને વાત કરતા જોઈ શકાય છે. મીડિયા સાથે વાતચીતમાં કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે, શું તમે ક્યારેય આત્મહત્યા કરવાનું વિચાર્યું છે? શું તમે આત્મહત્યા વિશે વિચાર્યું છે?

પોતાના જીવનના એક ખરાબ સમય તરફ ઈશારો કરતા કપિલે કહ્યું, 'સર, હું તેની જ તો વાત કરી રહ્યો છું, તે તબક્કામાં તે આવું જ લાગતું હતું, હા મેં એવું વિચાર્યું. મને લાગતું હતું કે કોઈ મારું નથી. એવું કંઈ દેખાતું જ ન હતું. ન કોઈ કોઈને સમજાવવાવાળું, ન કોઈ કાળજી લેવાવાળું. એ પણ જાણી શકાયું નથી કે આસપાસના એવા લોકો કોણ છે કે, જેઓ નફા માટે જોડાયેલા છે. ખાસ કરીને કલાકાર લોકો.'

જો તમે કપિલ શર્મા વિશે જાણો છો, તો તમને ખબર હશે કે કોમેડિયનના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તે ડિપ્રેશનમાં હતો. મીડિયાના સૂત્રો આ વિશે પણ કોમેડિયન સાથે વાત કરવાના છે. વાતચીત દરમિયાન મીડિયા પૂછે છે કે, જ્યારે તમે તમારા શોમાં છોકરાઓને છોકરીઓ બનાવો છો તેવો વિચાર કોને આવ્યો હતો? તમારા જોક્સ એવા હોય છે કે તે ઘણીવાર હદ વટાવી જાય છે. તમને શું થયું હતું, શું તું ડિપ્રેશનમાં ગયો હતો કે સ્ટારડમને સંભાળી શકવામાં અસમર્થ હતો?'

કપિલ શર્મા શનિવાર, 11 માર્ચે રાત્રે 9 વાગ્યે મીડિયા સાથેની એક વાતચીતમાં આ બધી બાબતોનો જવાબ આપતા જોવા મળશે. આ સિવાય કપિલ તેની મિડલ ક્લાસની આદતો, PM નરેન્દ્ર મોદી અને 'ધ કપિલ શર્મા શો' વિશે પણ મજાક કરવા જઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.