પતિના મૃત્યુ પછી સાસરિયાઓનું 'સતી' થવા દબાણ, વિધવાએ ઉઠાવ્યું દર્દનાક પગલું

ગુજરાતમાંથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં અમદાવાદમાં એક રાજસ્થાન મૂળની એક મહિલાએ સાબરમતી નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો છે. મહિલાના સાસરિયાઓ પર તેને સતત ટોર્ચર કરવાનો આરોપ છે. પતિના મૃત્યુ બાદ તેઓ મહિલાને સતત માનસિક ત્રાસ આપતા હતા અને પરેશાન કરતા હતા. હાલ પૂરતું પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આ મૃતક મહિલાનું નામ સંગીતા લખરા છે. તે મૂળ રાજસ્થાનની રહેવાસી હતી. તે તેના પતિ સાથે ગુજરાતના અમદાવાદમાં રહેતી હતી. તેના પતિનું અવસાન થઇ જતા તેના સાસરીયાઓ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. તેઓ મહિલાને સતત એવું કહેતા રહેતા હતા કે, તે તેના પતિના મૃત્યુ પછી સતી કેમ ન થઇ ગઈ. આ રીતે સતત ટોર્ચર અને પરેશાનીથી કંટાળીને આખરે મહિલાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.

હકીકતમાં, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહિલાના પતિએ ગુજરાતમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. આ ઘર પતિ-પત્ની બંનેના નામે હતું. બંને પતિ-પત્ની ત્યાં સાથે રહેતા હતા. થોડા સમય પછી પતિનું અચાનક અવસાન થઇ ગયું, જેના પછી મહિલા સંપૂર્ણપણે એકલી થઈ ગઈ. આ ઓછું હોય તેમ તેના સાસરીયાઓ હંમેશા તેને હેરાન કરતા રહેતા હતા.

પોલીસ અધિકારીનું કહેવું છે કે, તેના પતિના મૃત્યુ બાદ મહિલાને 54 લાખ રૂપિયાનો વીમો પણ મળ્યો હતો. જ્યારે સાસરિયાઓને આ વિમાના મળેલા પૈસાની જાણ થઈ ત્યારે તેઓ તેમાં ભાગ લેવા માંગતા હતા. તેઓ કહેતા હતા કે વીમાના મળેલા પૈસાને બે ભાગમાં વહેંચી દો. આટલું જ નહીં, તેઓ ગુજરાતમાં લીધેલા ઘરમાં પણ તેમનો અધિકાર માંગતા હતા. સાસરિયાઓ હંમેશા મહિલા પર આ વિષય પર હંમેશા દબાણ લાવતા હતા. તો બીજી તરફ મહિલાના સાસુએ કહ્યું કે, ગુજરાતમાં લીધેલું ઘર તેના નામ પર કરી દો.

સાસરિયાઓ મહિલા પર સતી થવા માટે સતત દબાણ કરતા હતા. તેઓ મહિલાને સતત કહેતા રહેતા હતા કે, પતિના મૃત્યુ પછી તેણે પોતાનો જીવ કેમ ન આપી દીધો? આ તમામ બાબતોના કારણે મહિલાને દરરોજ માનસિક-શારીરિક ત્રાસનો સામનો કરવો પડતો હતો. તે આ બધી બાબતોથી પરેશાન થતી રહેતી હતી. આખરે એક દિવસ તેણે હાર માની લીધી અને નદીમાં કૂદીને તેના જીવનનો અંત લાવી દીધો.

આ મામલામાં પોલીસ અધિકારી M.V. પટેલે જણાવ્યું કે, મહિલાના સાસરિયાઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.