વકીલ શ્રેયસ દેસાઇનું ગ્રાહક સુરક્ષા વિષયક 10મું પુસ્તક બહાર પડ્યું

સુરત ગ્રાહક સુરક્ષા ક્ષેત્રમાં નામાંકીત વકીલ અને લેખક સુરક્ષા વિષયક પુસ્તકોના લેખક શ્રેયસ દેસાઇ 10મું અંગ્રેજી પુસ્તક Landmark Judgments of Supreme Court and National Commission on Consumer Protection કે જે તેમણે વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ સુરતના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. ઇરમલા દયાલ સાથે મળીને તૈયાર કર્યું છે. તે હાલમાં જ પ્રકાશિત થયું છે. શ્રેયસ દેસાઇ લગભગ 43 વર્ષથી વકીલાત કરી રહ્યા છે. અને ગ્રાહક અદાલતોમાં લગભગ 10 હજાર જેટલા કેસો-અપીલો ચલાવ્યા છે. તેમના લખેલા 10 કાનૂન વિષયક અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમની સાપ્તાહિક કોલમ પણ આવે છે. જાણીતા પ્રકાશક નોબલ લો પબ્લીશર્સના સુનીલ સચદેવા દ્વારા પ્રકાશિત આ 600 પાનાનાં પુસ્તકમાં 2020થી 2023 દરમિયાન સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગના કૃષિ, બેન્કીંગ, ટુર્સ-ટ્રાવેલ્સ, બાંધકામ, શૈક્ષણિક સંસ્થાઓ, તબીબી બેદરકારી, ઇન્સ્યુરન્સ વગેરે ક્ષેત્રોના 50 ચૂંટેલા Landmark ચુકાદાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક કાયદાના વ્યવસાયિકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ માટે કિંમતી ખજાો પુરો પાડશે. 

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.