જો ગુજરાતમાં કોંગ્રેસ અને AAP એકસાથે લડશે તો ભાજપ ઘણી સીટો ગુમાવશે: સંજય સિંહ

વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A એલાયન્સની રચના વચ્ચે ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે અનેક મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા. સંજય સિંહે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસ અને AAP એકસાથે લડશે તો ભાજપ ઘણી સીટો ગુમાવશે.

ગુજરાતમાં સમીક્ષા બેઠક માટે આવેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે બેઠક પત્યા પછી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને વિપક્ષી ગઠબંધન INDIA સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે તો ભાજપ પોતાના જ ગઢમાં અનેક સીટ ગુમાવશે.

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે ગુજરાતમાં કાર્ચકર્તા સંમેલનમાં કહ્યુ હતું કે ગઠબંધનના નેતાઓ જરૂરી નિર્ણય લેશે, પરંતુ AAP કાર્યકરોને ભાજપ સામે ચૂંટણી જીતવા માટે સખત મહેનત કરવી પડશે.

સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્ર ગૌતમ અદામીને 2.5 લાખ કરોડ રૂપિયા આપવાની ઓફર કરી, પરંતુ ગુજરાતમાં યુવાનોને 50,000થી 1 લાખ રૂપિયા મહિને પગારવાળી નોકરી શોધવા માટે ફાંફા મારવા પડે છે. સંજય સિંહે અમદાવાદમાં નરોડા ખાતા આમ આદમી પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યા પછી તેમની પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી.

સંજય સિંહે કહ્યું કે PM મોદીએ તેમના ઉદ્યોગપતિ મિત્રોની 13 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. સિંહે કહ્યુ કે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જ્યારે વિધાનસભામાં જવાબ માંગ્યો તો સરકારે કહ્યું હતું કે 10,000 સરકારી શાળાઓ બંધ થઇ ગઇ છે, 526 શાળાઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને શિક્ષકોની અછત છે.ગુજરાતમાં શિક્ષણની આવી સ્થિતિ છે.

સિંહે દાવો કર્યો હતો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની જયારે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે દિલ્હી સરકારે બનાવેલી શાળાની મુલાકાત લીધી હતા. સિંહે કહ્યું કે દેશની મોટાભાગની જમા રકમ હિંદુઓની છે. PM મોદી પોતાના ઉદ્યોગપતિ મિત્રો અને નિરવ મોદી મેહુલ ચોકસી જેવા લોકોને લાખો કરોડ રૂપિયાની લોન આપી દે છે, જે લોકો દેશ છોડીને ભાગી ગયા છે. સંજય સિંહે લોકોને અપીલ કરી હતી કે શાળા, રોજગાર અને આરોગ્યની દેખભાળ જેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપજો.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પહેલાવીર ઝંપલાવ્યું હતું અને 5 જેટલી સીટો જીતી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.