કેટલું ખતરનાક છે ચક્રવાતી તોફાન બિપરજોય? ગુજરાત પર મંડરાઈ રહ્યું છે જોખમ

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ મંગળવારે કહ્યું કે, ગુજરાતમાં દક્ષિણી પોરબંદરમાં દક્ષિણ પૂર્વ અરબ સાગર પર ઓછા દબાવાનું ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ તરફ વધી શકે છે. તેના કારણે ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. આ ચક્રવાતી તોફાનને ‘બિપરજોય’ નામ બાંગ્લાદેશે આપ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાતી હવાઓ ચોમાસું કેરળ તટ તરફના આગમનને ગંભીર રૂપે પ્રભાવિત કરી શકે છે. ઓછા દબાણનું ક્ષેત્ર સવારે 8:00 વાગ્યે પશ્ચિમ- દક્ષિણ પશ્ચિમ ગોવાથી લગભગ 950 કિલોમીટર, દક્ષિણ- દક્ષિણ પશ્ચિમ મુંબઈથી 1,100 કિલોમીટર, દક્ષિણ પોરબંદરથી 1,190 અને પાકિસ્તાનમાં દક્ષિણ કરાચીથી 1490 કિલોમીટર દૂર બનેલું હતું.

તેમાં કહવામાં આવ્યું છે કે, દબાણના ક્ષેત્રના ઉત્તર તરફ વધવા તેમજ પૂર્વ મધ્ય અરબ સાગર અને તેનાથી નજીક દક્ષિણ પૂર્વ અરબ સાગર પર ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવના છે. ચક્રવાતી તોફાન 8 જૂનની સવાર સુધીમાં ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલાવા અને 9 જૂનની સાંજ સુધી તેના પ્રચંડ સ્વરૂપ લેવાની સંભાવના છે. આ દરમિયાન કેરળ અને કર્ણાટક કિનારા તરફ લક્ષદ્વીપ માલદીવ વિસ્તારોમાં 6 જૂન અને કોંકણ, ગોવા, મહારાષ્ટ્રના કિનારા પર 8 થી 10 જૂન સુધી સમુદ્રમાં ખૂબ જ ઊંચી લહેરો ઊઠવાની સંભાવના છે.

સમુદ્રમાં ગયેલા માછીમારોને કિનારે પાછા આવવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે સોમવારે કહ્યું હતું કે, દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બનવા અને આગામી 2 દિવસોમાં તેમાં તેજી આવવાના કારણે ચક્રવાતી હવાઓ ચોમાસું કેરળ તટ તરફ આગમનને ગંભીર રૂપે પ્રભાવિત કરી શકે છે. જો કે, હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની સંભવિત તારીખ બતાવી નથી. હવામાન વિભાગે ચોમાસું આવવાની તારીખ બતાવી નથી, પરંતુ ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે કહ્યું કે, કેરળમાં ચોમાસાની શરૂઆત 8-9 જૂનના રોજ થઈ શકે છે, પરંતુ તે નબળા અને સામાન્ય પ્રવેશની આશા છે.

ઓછા દબાવનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં તેજ થવાની આશા છે અને મધ્ય સપ્તાહની આસપાસ વધુ મજબૂત થઈ શકે છે. અરબ સાગરમાં આ શક્તિશાળી હવામાન પ્રણાલીઓ ચોમાસાની પ્રગતિને ખરાબ કરે છે. તેના પ્રભાવમાં ચોમાસાની ધારા તટિય ભાગો સુધી તો પહોંચી શકે છે, પરંતુ પશ્ચિમી ઘાટોથી આગળ વધવા માટે તેમને સંઘર્ષ કરવો પડશે. સ્કાઈમેટે પહેલા 7 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆતની ભવિષ્યવાણી કરી હતી, જેના 3 દિવસ આગળ કે પાછળ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.