આખરે જયસુખ 'ઝડપાયો', મોરબી કાંડમાં ઓરેવાના માલિકે કોર્ટમાં સરેડંર કરવું પડ્યું

ગુજરાત સહિત આખા ભારત અને વિશ્વને હમચાવી નાખનારા મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં સૌથી મોટા કથિત આરોપી જયસુખ પટેલ ઘટના બાદ ફરાર હતો. મોરબી પુલ તૂટવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 56 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં બ્રિજનું સંચાલન કરતી કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલે અંતે આજે કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે. આ કેસમાં ચાર્જશીટ સાથે વોરન્ટ ઇશ્યૂ થતા જયસુખ પટેલ પાસે અન્ય કોઇ વિકલ્પ બચ્યો નહોતો. તેણે MD જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યુ છે.

રિપોર્ટ્સ મુજબ, સાંજે 5 વાગ્યાની આસપાસ કોર્ટ તેમની ધરપકડ માટેનો વોરન્ટ ઇશ્યૂ કરી શકે છે. 4 દિવસ અગાઉ એટલે કે 27 જાન્યુઆરીના રોજ મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા 1,200 પાનાંની ચાર્જશીટ  રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. મોરબી ઝૂલતા પુલ અકસ્માત કેસમાં ઓરેવા કંપનીના MD જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું છે.  જયસુખ પટેલે આ બાબતે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જેની સુનવણી 1 ફેબ્રુઆરી 2023ના રોજ થવાની હતી, પરંતુ તે અગાઉ જ તેણે સરેન્ડર કરી દીધુ છે.

અગાઉ આ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સામે કોર્ટ દ્વારા ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીના રોજ તેની આગોતરા જામીન અરજી મંજુર કરાય છે કે પછી તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે તે હજું નક્કી નથી. આજે આગોતરા જામીન અરજી પર મોરબીની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. આ સુનવણીમાં પોલીસ દ્વારા સમય માગવામાં આવતા તેને ધ્યાને લઇ કોર્ટે આગામી સુનવણી 1 ફેબ્રુઆરી પર રાખી છે.

મોરબી ઝૂલતા પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કર્યા આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી ગયો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. પુલ પર વધારે સંખ્યામાં ઝૂલતા પુલ પર પહોંચ્યા તો, ત્યાં ભીડ નિયંત્રણની કોઈ વ્યવસ્થા નહોતી, પુલ પર વધારે ભીડ હોવા છતા ક્ષમતાથી વધારે ટિકિટ વેચી દેવામાં આવી. ત્યારે આ પુલ અકસ્માતનો શિકાર થઈ ગયો. આ ઘટના અંગે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જો કે, ઝૂલતા પુલ અકસ્માતની બાબતે થયેલી ફરિયાદમાં તેનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્યું નહોતું.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.