PM મોદીની ડિગ્રી બતાવવાની જરૂર નથી કહી હાઇકોર્ટે CM કેજરીવાલને દંડ ફટકારી દીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MAની ડિગ્રી રજૂ કરવાના કેન્દ્રીય સૂચના આયોગના આદેશને ગુજરાત હાઇ કોર્ટે ફગાવી દીધો છે. એ સિવાય હાઇ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઇ કોર્ટે કહ્યું કે, PMOએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ ગ્રેજ્યુએટ (MA)ની ડિગ્રી દેખાડવાની જરૂરિયાત નથી. હાઇ કોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવની એકલ પીઠે કેન્દ્રીય સૂચના આયોગના આ આદેશને ફગાવી દીધો છે, જેમાં PMOના સૂચના અધિકારી સિવાય ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને આદેશ આપવામાં આવ્યા હતા કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી દેખાડે.

તેની સાથે જ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેણે ડિગ્રી દેખાડવાની માગ કરી હતી. કેન્દ્રીય સૂચના આયોગાન આદેશ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીએ હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર આ નિર્ણય આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ તેમણ વર્ષ 1978માં ગુજરાત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને પછી દિલ્હી યુનિવર્સિટીથી પોસ્ટગ્રેજ્યુએશન કર્યું હતું. ગયા મહિને આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ગુજરાત યુનિવર્સિટીનો પક્ષ રાખતા કહ્યું હતું કે, આ કેસમાં છુપાવવા માટે કશું જ નથી, પરંતુ યુનિવર્સિટી પર જાણકારી આપવા માટે દબાવ નહીં નાખી શકાય.

કાયદાકીય બાબતોની કવરેજ કરનારી એક વેબસાઇટ બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ, સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, લોકતંત્રમાં એ વાતથી કોઈ ફરક પડતો નથી કે પદ પર બેઠી વ્યક્તિ ડૉક્ટરેટ છે કે પછી નિરક્ષર. એ સિવાય આ કેસમાં જનહિત સાથે જોડાયેલી કોઈ વાત નથી. અહી સુધી કે, તેની સાથે સંબંધિત વ્યક્તિની ગોપનિયતા પ્રભાવિત થાય છે. તુષાર મેહતાએ કહ્યું કે, જે જાણકારી માગવામાં આવી છે, તે એવી નથી, જેની બાબતે વડાપ્રધાનની પબ્લિક ફિગર તરીકે જરૂરી હોય.

તેમણે આગળ કહ્યું કે, કોઇની અયોગ્ય માગને પૂરી કરવા માટે કોઈ પણ સૂચના આપવા માટે નહીં કહી શકાય. આ ગેર-જવાબદારીપૂર્ણ જિજ્ઞાસા છે. જે જાણકારી માગવામાં આવી છે, તેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજ સાથે કોઈ લેવું-દેવું નથી. કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તર્ક આપ્યો કે, RTI એક્ટ મુજબ, એ જ જાણકારી માગી શકાય છે જે સાર્વજનિક ગતિવિધિઓ સાથે જોડાયેલી હોય અને જેની બાબતે જાણવું જનહિતમાં જરૂરી છે.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.