PM મોદીની ડિગ્રી બતાવવાની જરૂર નથી કહી હાઇકોર્ટે CM કેજરીવાલને દંડ ફટકારી દીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MAની ડિગ્રી રજૂ કરવાના કેન્દ્રીય સૂચના આયોગના આદેશને ગુજરાત હાઇ કોર્ટે ફગાવી દીધો છે. એ સિવાય હાઇ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઇ કોર્ટે કહ્યું કે, PMOએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ ગ્રેજ્યુએટ (MA)ની ડિગ્રી દેખાડવાની જરૂરિયાત નથી. હાઇ કોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવની એકલ પીઠે કેન્દ્રીય સૂચના આયોગના આ આદેશને ફગાવી દીધો છે, જેમાં PMOના સૂચના અધિકારી સિવાય ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને આદેશ આપવામાં આવ્યા હતા કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી દેખાડે.

તેની સાથે જ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેણે ડિગ્રી દેખાડવાની માગ કરી હતી. કેન્દ્રીય સૂચના આયોગાન આદેશ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીએ હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર આ નિર્ણય આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ તેમણ વર્ષ 1978માં ગુજરાત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને પછી દિલ્હી યુનિવર્સિટીથી પોસ્ટગ્રેજ્યુએશન કર્યું હતું. ગયા મહિને આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ગુજરાત યુનિવર્સિટીનો પક્ષ રાખતા કહ્યું હતું કે, આ કેસમાં છુપાવવા માટે કશું જ નથી, પરંતુ યુનિવર્સિટી પર જાણકારી આપવા માટે દબાવ નહીં નાખી શકાય.

કાયદાકીય બાબતોની કવરેજ કરનારી એક વેબસાઇટ બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ, સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, લોકતંત્રમાં એ વાતથી કોઈ ફરક પડતો નથી કે પદ પર બેઠી વ્યક્તિ ડૉક્ટરેટ છે કે પછી નિરક્ષર. એ સિવાય આ કેસમાં જનહિત સાથે જોડાયેલી કોઈ વાત નથી. અહી સુધી કે, તેની સાથે સંબંધિત વ્યક્તિની ગોપનિયતા પ્રભાવિત થાય છે. તુષાર મેહતાએ કહ્યું કે, જે જાણકારી માગવામાં આવી છે, તે એવી નથી, જેની બાબતે વડાપ્રધાનની પબ્લિક ફિગર તરીકે જરૂરી હોય.

તેમણે આગળ કહ્યું કે, કોઇની અયોગ્ય માગને પૂરી કરવા માટે કોઈ પણ સૂચના આપવા માટે નહીં કહી શકાય. આ ગેર-જવાબદારીપૂર્ણ જિજ્ઞાસા છે. જે જાણકારી માગવામાં આવી છે, તેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજ સાથે કોઈ લેવું-દેવું નથી. કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તર્ક આપ્યો કે, RTI એક્ટ મુજબ, એ જ જાણકારી માગી શકાય છે જે સાર્વજનિક ગતિવિધિઓ સાથે જોડાયેલી હોય અને જેની બાબતે જાણવું જનહિતમાં જરૂરી છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.