PM મોદીની ડિગ્રી બતાવવાની જરૂર નથી કહી હાઇકોર્ટે CM કેજરીવાલને દંડ ફટકારી દીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MAની ડિગ્રી રજૂ કરવાના કેન્દ્રીય સૂચના આયોગના આદેશને ગુજરાત હાઇ કોર્ટે ફગાવી દીધો છે. એ સિવાય હાઇ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઇ કોર્ટે કહ્યું કે, PMOએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ ગ્રેજ્યુએટ (MA)ની ડિગ્રી દેખાડવાની જરૂરિયાત નથી. હાઇ કોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવની એકલ પીઠે કેન્દ્રીય સૂચના આયોગના આ આદેશને ફગાવી દીધો છે, જેમાં PMOના સૂચના અધિકારી સિવાય ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને આદેશ આપવામાં આવ્યા હતા કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી દેખાડે.

તેની સાથે જ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેણે ડિગ્રી દેખાડવાની માગ કરી હતી. કેન્દ્રીય સૂચના આયોગાન આદેશ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીએ હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર આ નિર્ણય આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ તેમણ વર્ષ 1978માં ગુજરાત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને પછી દિલ્હી યુનિવર્સિટીથી પોસ્ટગ્રેજ્યુએશન કર્યું હતું. ગયા મહિને આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ગુજરાત યુનિવર્સિટીનો પક્ષ રાખતા કહ્યું હતું કે, આ કેસમાં છુપાવવા માટે કશું જ નથી, પરંતુ યુનિવર્સિટી પર જાણકારી આપવા માટે દબાવ નહીં નાખી શકાય.

કાયદાકીય બાબતોની કવરેજ કરનારી એક વેબસાઇટ બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ, સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, લોકતંત્રમાં એ વાતથી કોઈ ફરક પડતો નથી કે પદ પર બેઠી વ્યક્તિ ડૉક્ટરેટ છે કે પછી નિરક્ષર. એ સિવાય આ કેસમાં જનહિત સાથે જોડાયેલી કોઈ વાત નથી. અહી સુધી કે, તેની સાથે સંબંધિત વ્યક્તિની ગોપનિયતા પ્રભાવિત થાય છે. તુષાર મેહતાએ કહ્યું કે, જે જાણકારી માગવામાં આવી છે, તે એવી નથી, જેની બાબતે વડાપ્રધાનની પબ્લિક ફિગર તરીકે જરૂરી હોય.

તેમણે આગળ કહ્યું કે, કોઇની અયોગ્ય માગને પૂરી કરવા માટે કોઈ પણ સૂચના આપવા માટે નહીં કહી શકાય. આ ગેર-જવાબદારીપૂર્ણ જિજ્ઞાસા છે. જે જાણકારી માગવામાં આવી છે, તેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજ સાથે કોઈ લેવું-દેવું નથી. કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તર્ક આપ્યો કે, RTI એક્ટ મુજબ, એ જ જાણકારી માગી શકાય છે જે સાર્વજનિક ગતિવિધિઓ સાથે જોડાયેલી હોય અને જેની બાબતે જાણવું જનહિતમાં જરૂરી છે.

Related Posts

Top News

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Copyright (c) Khabarchhe All Rights Reserved.