રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં શું શું કહ્યું?

‘મોદી સરનેમ’ કેસમાં લોકસભાની સભ્યતા ગુમાવી ચૂકેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ નિર્ણયને પડકાર આપવા માટે સોમવારે (3 એપ્રિલના રોજ) સુરત સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા. આ કેસમાં તેમની તરફથી 2 અરજીઓ દાખલ કરવામાં આવી છે. પહેલી અરજીમાં દોષસિદ્ધિ પર રોક લગાવવા કહ્યું છે અને બીજી અરજી સજાને સસ્પેન્ડ કરવા સંબંધિત છે. કોર્ટે જામીન આપતા આ અરજી પર 13 એપ્રિલના રોજ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં શું શું કહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, નીચલી કોર્ટે તેમની સાથે સખ્તાઈ દેખાડી, જો એક સાંસદ તરીકે તેમના દરથી વધારે પ્રભાવિત હતી. મોદી સમાજ કે રેકોર્ડ પર સમુદાય’ જેવી કોઈ વસ્તુ નથી. ગુનાહિત માનહાનિ કેસમાં 23 માર્ચના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી તેમની દોષસિદ્ધિ ‘ત્રુટિપૂર્ણ અને સ્પષ્ટ રૂપે ખોટી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તેમને એક એવી રીતે સજા સંભળાવવામાં આવી કે સંસદ સભ્ય તરીકે અયોગ્ય થઈ જાય. તેમનું કહેવું છે કે, વિપક્ષમાં એક રાજનેતાને હંમેશાં સારા શબ્દોમાં નહીં તોલી શકાય. એટલે કોર્ટ પર નિર્ભર છે કે ભાષાણના સાર અને ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, ન કે ટોન અને ટેનર પર.

અરજી મુજબ, મેજિસ્ટ્રેટ કોર્ટનો નિર્ણય પૂર્વધારણા, અનુમાન, અટકળબાજી અને પરિકલ્પનાના આધાર પર જાહેર કરવામાં આવ્યો જેની ક્યાંયથી ગુનાહિત કાયદામાં અનુમતિ નથી. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે, એક મજબૂત અને સમજૂતી ન કરનારું વિપક્ષ એક ‘બાળક અને સ્વસ્થ લોકતંત્ર’ માટે ખૂબ જરૂરી છે. વિપક્ષ કોઈ સાંસદ પાસેથી સતર્ક અને નિંદાત્મક નિવેદનોની જ આશા કે અપેક્ષા કરવામાં આવે છે. ટ્રાયલ કોર્ટનો આ વિચાર કે એક સાંસદને તેમની હેસિયતના કારણે સજા આપવી જોઈએ, એ પૂરી રીતે અનુચિત અને સ્પષ્ટ રૂપે અન્યાય છે.

શું છે મોદી સરનેમ કેસ?

રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ સાથે જોડાયેલી તેમની વર્ષ 2019ની ટિપ્પણી પર કોર્ટે15,00 રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી હતી. હવે આ કેસમાં 13 એપ્રિલના રોજ આગામી સુનાવણી થવાની છે. જો કે, રાહુલ ગાંધીને કેસની સુનાવણી દરમિયાન હાજર રહેવાની જરૂરિયાત નહીં હોય. સોમવારે કોર્ટમાં રાહુલ ગાંધી સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય નેતા પણ ઉપસ્થિત હતા.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.