કાનજી ભાલાળાએ જાણો એવું શું કર્યું છે કે તેમની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઈ

સિવિલ ડિફેન્સ સુરત એકમના ચીફ વોર્ડન કાનજીભાઈ ભાલાળાની દીર્ઘકાલીન પ્રશંશનીય કામગીરી માટે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક માટે સિવિલ ડિફેન્સ ગુજરાત રાજ્યમાંથી એક વ્યક્તિ કાનજીભાઈ ભાલાળાના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોઈ દુર્ઘટના સામે તાલીમ અને રક્ષણ આપવાના હેતુથી સરકારએ સિવિલ ડિફેન્સના સુરત એકમની સ્થાપના 1997થી થઈ છે. સુરત શહેર સિવિલ ડિફેન્સ દેશના સક્રિય યુનિટ પૈકી એક છે. ખૂબ મોટી સંખ્યામાં વોર્ડન્સ સ્વૈચ્છિક રીતે રાષ્ટ્રની સેવા માટે જોડાયેલા હોય છે. સુરત શહેરમાં પોલીસ સ્ટેશન પ્રમાણે કુલ 24 સિવિલ ડિફેન્સના ડિવિઝન હાલ કાર્યરત છે. તમામ ડિવિઝનના સંકલન અને વ્યવસ્થા માટે નાગરિક સંરક્ષણના નિયંત્રક કલેક્ટર હોય છે અને સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન તરીકે કાનજીભાઈ ભાલાળા 2001થી કાર્યરત છે. સુરતના અગ્રણી સામાજિક કાર્યકર તરીકે અનેકવિધ સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે. દુર્ઘટના સમયે લોકસેવાના કાર્યમાં પણ અગ્રેસર રહ્યા છે.

2001માં નાગરિક સંરક્ષણ યુનિટમાં જોડાયા 2006થી ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે જવાબદારી સંભાળી હતી. 2020માં સુરત શહેર સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન તરીકે નિયુક્તિ થઈ હતી. સિવિલ ડિફેન્સમાં હજારો વોર્ડન્સ સેવાભાવથી જોડાયેલા છે. સુરતમાં સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે. 2006ના વિનાશક પુર સમયે નાગરિક સંરક્ષણ દળે બચાવ-રાહત-મેડિકલ-સફાઈ વગેરેની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. અનેક ઘટનાઓ સમયે પોલીસ તથા કલેકટર ઓફિસના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવતી હોય છે. સુરત યુનિટ પ્રશંસનીય કામગીરીમાં મુખ્ય માર્ગદર્શક તરીકે કાનજીભાઈએ કામગીરી કરી છે. 2001થી 2022 સુધીની દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ભલામણ થઈ હતી અને આજે જાહેરાત થઈ છે.

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજના એક કાર્યકર્તા તરીકે છેલ્લા 40 વર્ષથી કાનજીભાઈ ભાલાળા નોંધનીય કામગીરી કરી રહ્યા છે. હાલ તેઓ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ છે. સૈનિકોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા જય જવાન નાગરિક સમિતિ સુરતના તેઓ 1999થી મુખ્ય ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત 1995માં શરૂ થયેલ ગુજરાતની અગ્રણી સહકારી બેંક વરાછા કો-ઓપરેટીવ બેંકના તેઓ સ્થાપક ડિરેક્ટર છે અને એમ.ડી. તથા ચેરમેન તરીકે તેમને બેન્કિંગ સેક્ટરમાં મહત્વનું કાર્ય કર્યું છે. 

કોરોના મહામારી અને લોકડાઉનના સમયે ગુજરાત સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને લાખો લોકોને સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓમાંથી સરળતાથી ધિરાણ આપવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સ સુરતના ડેપ્યુટી ચીફ વોર્ડન મોહમ્મદ નવેદ શેખ તથા મેહુલ સોરઠીયા અને વિજય શૈરાએ સિવિલ ડિફેન્સ એકમ વતી અભિનંદન પાઠવ્યા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત, જય જવાન નાગરિક સમિતિ સુરત તથા વરાછા કો- ઓપ. બેન્ક સુરત વતી કાનજીભાઈ આર. ભાલાળાની તેમની સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થવા બદલ અભિનંદન પાઠવવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.