PM મોદીએ ખેલ મહાકુંભ શરૂ કર્યો ત્યારથી વિશિષ્ટ પ્રતિભાઓ પ્રાપ્ત થઇ છેઃ ઇશ્વરસિંહ

ગુજરાત સરકારે જણાવ્યું કે, ભરૂચ શહેર અને જિલ્લામાં રમત ગમત અને ખેલકૂદના વાતાવરણ નિર્માણ કરવા, રમતવીરોની પ્રતિભાને ઉજાગર કરવા, વિદ્યાર્થીઓ- યુવાનોને રમતગમતના ક્ષેત્રે અગ્રેસર બનાવવા તેમના સર્વાંગી વિકાસ માટેના હેતુસર તપોવન સંસ્કાર કેન્દ્ર- ભરૂચ દ્વારા 'તપોવન સ્પોર્ટ્સ એકેડમી' શરૂ કરવામાં આવેલ છે જેમાં લોન ટેનીસ, બાસ્કેટબોલ, વોલીબોલ તેમજ સ્કેટિંગ રિંગ માટેના નવનિર્મિત મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે લોન ટેનીસ રમત રમીને ઉદધાટન કર્યું હતું.

આ વેળાએ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2010 પહેલાની રમતમાં ગુજરાતનું ક્યાંય નામ ન હતું પરંતુ વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત થતાં ગુજરાત રમત ગમત ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઇ છે. શહેર અને જિલ્લાની શાળાઓના બાળકો માટે આ મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ ખૂબ જ ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું.

તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે ખેલ મહાકુંભ શરૂ કરેલ ત્યારથી ગુજરાતને ખેલ મહાકુંભ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભાઓ પ્રાપ્ત થઇ છે. તેમણે ડાંગ જેવા વિસ્તારમાંથી સરિતા ગાયકવાડ, મુરલી ગાવીત જેવા રમતવીરોએ ઓલિમ્પિક સુધી પહોંચી. ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગુજરાતની બહેનો જાય છે એ ગુજરાત માટે ગૌરવપ્રદ બાબત છે.

ભરૂચ જિલ્લાના રમતવીરો માટે ખુશીના સમાચાર આપતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાકક્ષાએ સ્પોર્ટ્સ સંકુલ હોવું જોઈએ જેનાથી જિલ્લાના ખેલાડીઓ રાજ્ય અને દેશનું નામ રોશન કરી શકે. કોસમડી ખાતે 15 એકર જમીનમાં 50 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ ઉભું કરવામાં આવનાર છે જેનાથી જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને રમતગમત ક્ષેત્રે આગળ આવી શકશે.

તેમણે તપોવન સંકુલના સંચાલકનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અહીં તપોવન સંકુલમાં કુદરતી વાતાવરણનું સર્જન થાય છે જેમાં બાળકો રમત ગમત પ્રવૃત્તિઓમાં આગળ આવી ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉજાગર કરે તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી. પ્રારંભમાં સંસ્થાના નિયામક જાગૃતિબેને સ્વાગત પ્રવચન કરતાં સંસ્થાનો પરિચય આપ્યો હતો. તપોવનના પ્રમુખ દિનેશ પંડયાએ તપોવનના ઉદે્શોને કાર્યાન્વિત કરવા ડીએલએસએસ શાળા અને સ્પોર્ટસ એકેડેમીનો લાભ વિધાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં લે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા આગેવાન મારુતિસિંહ અટોદરિયા, નાયબ કલેક્ટર પ્રજાપતિ, ભરૂચ ડી. મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ હરીશ જોષી, જીએનએફસી-નારદેશના પંકજ સનાદે,જિલ્લા રમત ગમત અધિકારી વિરલ દેસાઇ, શાસાનાધિકારી નિશાંત દવે,અને રમત ગમતના સિનિયર કોચ તેમજ મહાનુભાવો અને ખેલાડીઓ હાજર રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.