એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે સુરતમાં સપોર્ટ ગ્રુપ શરૂ

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ એ એક એવા પ્રકારનો રોગ છે જે શેના કારણે થાય છે અને તેના પરફેક્ટ ઉપચારનું હજુ વિજ્ઞાન સંશોધન કરી શકયું નથી. પણ તબીબની સલાહ અને જેમને રોગ થયો હોય તેવા લોકોના સપોર્ટથી તેને મેનેજ કરી શકાય છે. આ રોગ સારો થશે જ એવી કોઇ ખાત્રી આપી શકાતી નથી.એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે અંતરધ્વની ગ્રુપ દ્રારા સુરતમાં 2 ફેબ્રુઆરીથી સપોર્ટ ગ્રુપ શરૂ થવાનું છે. 

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ અંગે માહિતી આપતાં રૂમેટોલોજીસ્ટ ડો,બંકીમ દેસાઇએ કહ્યું હતું કે એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ શેના કારણે થાય છે અને તેનું પરફેકટ નિદાન શકય બન્યું નથી. પરતું આમા પીઠના નીચીને ભાગમાં અસહ્ય દુખાવો થાય છે અને ઘણી વખત કમર એ રીતે જકડાઇ જાય છે કે દર્દી સવારે પથારીમાંથી જલ્દી ઉઠી શકતો નથી. લોહીમાં ખરાબીને કારણે, પર્યાવરણ કે ખોરાકના પ્રોબ્લેમને કારણે એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ થઇ શકે છે. ખાસ કરીને 20થી 40 વર્ષના યુવાનોમાં અને ખાસ કરીને પુરુષોમા આ રોગ વધારે જોવા મળે છે.

આવા દર્દીઓને ડો. બંકીમ દેસાઇ, ડો. અલ્પના પરમાર, ડો.નિશિલ શાહ અને ડો. રોમી શાહ જેવા 4 રૂમેટોલોજીસ્ટ સલાહ સુચન કરશે અને ડો. શીતલ તથા અનીશ દિવાનજી કાઉન્સેલીંગ કરશે. સપોર્ટમાં દર્દીઓ પોતે જોડાશે અને એકબીજાને માર્ગદર્શન કરશે.સપોર્ટ ગ્રુપ કાઉન્સેલીંગ અને નિદાન મફતમાં કરશે અને જરૂરિયાત મંદોને દવા પણ મફતમાં અપાવવાની કોશિશ કરશે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.