ધીરેન્દ્ર શાસ્ત્રીને 2 કરોડના હીરાનો પડકાર ફેંકનાર વેપારીનો યૂ ટર્ન, ડરી ગયા?

ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનાર સુરતના ડાયમંડ વેપારીનું હવા હવાઇ થઇ ગયું છે. બાબા માટે કલેક્ટરને આવેદન પત્રની વાત કરનાર અને 2 કરોડના હીરોનો પડકાર ફેંકનાર હીરાના વેપારીએ હવે પીછેહઠ કરી લીધી છે.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમોમાં પોતાના દિવ્ય દરબારના કાર્યક્રમ માટે આવી રહ્યા છે. એ દરમિયાન સુરતના ડાયમંડના વેપારી જનક બાબરિયાએ બાગેશ્વર બાબાને પડકાર ફેંક્યો હતો કે જો બાબા શરત પુરી કરશે તો તેમના ચરણોમાં 2 કરોડ રૂપિયાની કિંમતના હીરા સમર્પિત કરી દઇશ. પરંતુ હવે આ ડાયમંડના વેપારી ફસકી પડ્યા છે અને તેમણે યૂ-ટર્ન લઇ લીધો છે. તેમણે એક પત્ર લખીને મીડિયાને વિનંતી કરી છે કે આ વિવાદ હવે હું અહીં સ્થગિત કરું છું.

બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને પેકેટમાં રાખેલા હીરાની સંખ્યા જણાવવાનો પડકાર ફેંકનાર સુરતના હીરાના વેપારી હવે મીડિયાથી અંતર રાખી રહ્યા છે. તે હવે પડકારો બાદ ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માંગે છે. આ અંગે તેમણે પત્ર પણ લખ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનાર હીરાના વેપારી ડરી ગયા છે?

જનક બાબરિયાએ આ પહેલા એક વીડિયો અપલોડ કરીને કહ્યું હતું કે, બાગેશ્વર બાબા સુરતના લિંબાયતમાં આવી રહ્યા છે ત્યારે જો મને આમંત્રણ મળે તો હું તેમને દિવ્ય દરબારમાં જઇને પડકાર ફેંકીશ કે મારી પાસેના પેકેટમાં કેટલાં હીરા છે તેનો આંકડો જો ધીરેન્દ્ર શાસ્ત્રી સાચો કહી દેશે તો 2 કરોડના હીરા તેમના ચરણોમાં સમર્પિત કરી દઇશ.

ડાયમંડ વેપારી જનક બાબરીયાએ હસ્ત લિખિત પત્રમાં જે પ્રમાણે જણાવ્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે તેમને વિવાદથી દુર રહેવાનો પુરો રેચ મળી ગયો હશે. તેમણે લખ્યું છે કે આ વિવાદથી ગુજરાતમાં શાંતિનો માહોલ બગડી શકે છે એવું લાગી રહ્યું છે અને સતત ફોનથી હું માનસિક રીતે થાકી ગયો છું. મીડિયાના પણ સતત ફોન આવી રહ્યા છે અને તેઓ મારું નિવેદન માંગી રહ્યા છે, જે હું આપી શકતો નથી.

તેમણે કહ્યું કે, જરૂર પડશે તો હું મધ્ય પ્રદેશ જઇને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે સંવાદ કરી આવીશ. પરંતુ અત્યારે આ વિવાદને હું સ્થિગત કરી રહ્યો છું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.