UPના આ 1 જિલ્લામાં 3 દિવસમાં 54 લોકોના મોત, 400 હોસ્પિટલમાં...જાણો મામલો

ઉત્તર પ્રદેશમાં વધતા તાપમાન વચ્ચે બલિયા જિલ્લા હોસ્પિટલમાં છેલ્લાં 3 દિવસમાં 54 લોકોનો મોત થયા છે અને લગભગ 400 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોએ કહ્યું કે, મોતના અલગ અલગ કારણો છે, પરંતુ એક કારણ ગરમીનું હોય શકે છે. તેમણે કહ્યું કે ભીષણ ગરમીને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પ્રચંડ લૂ ચાલી રહી છે, મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયશ કરતા વધારે છે.

બલિયા જિલ્લામાં મોતના આંકડામાં અચાનક વૃદ્ધિ અને દર્દીઓને તાવ, શ્વાસની તકલીફ અને પરેશાની સાથે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. એવામાં હોસ્પિટલ પ્રસાશન પણ એક્શન મોડમાં આવી ગયું છે.બલિયા જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેડન્ટ એસ કે યાદવે કહ્યું કે 15 જૂને 23, 16 જૂને 20 અને 17 જૂને 11 દર્દીઓના મોત થયા છે. મતલબ કે છેલ્લાં 3 દિવસોમાં 54 લોકો મોતને ભેટ્યા છે.

આજમગઢ સર્કલના એડિશનલ હેલ્થ ડિરેકટર ડો. બી પી તિવારીએ જણાવ્યું કે લખનૌની એક ટીમ તપાસ માટે આવી રહી છે કે ક્યાંક એવી બિમારી તો નથી કે જેની ખબર ન પડી હોય. વધારે ગરમીને કારણે અથવા વધારે ઠંડીને કારણે શ્વાસના દર્દીઓને, ડાયાબિટીઝ અને બ્લડ પ્રેસરની બિમારીવાળા દર્દીઓને મુશ્કેલી વધી જતા હોય છે. ડો. તિવારીએ કહ્યું કે થોડું તાપમાન વધવાને કારણે મોત થઇ શકે છે.

જિલ્લા હોસ્પિટલમાં દર્દીઓનો એટલો ધસારો વધી ગયો છે કે સ્ટ્રેચર પણ મળવા મુશ્કેલ થઇ પડ્યા છે. તો કેટલાંક દર્દીઓને ખભા પર ઉંચકીને લઇ જવા પડે તેવી નોબત ઉભી થઇ રહી છે. એડિશનલ હેલ્થ ડિરેકટરે દાવો કર્યો છે કે એક સાથે 10 દર્દી આવે ત્યારે સ્ટ્રેચરની મુશ્કેલી પડે છે, બાકી હોસ્પિટલમાં સ્ટ્રેચર છે.

ચીફ મેડિકલ ઓફિસર (CMO)એ કહ્યું કે આ લોકોને ગંભીર સ્થિતિમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બધાના સારવાર દરમિયાન મોત થયા છે. તેમણે કહ્યું કે વૃદ્ધો માટે ગરમી સહન કરવી મુશ્કેલ હોય છે.જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દિવાકર સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા હોસ્પિટલમાં દર્દીઓ અને કર્મચારીઓને લૂના જોખમથી બચવા માટે પંથા, કુલર અને એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે, ડોકટર, પેરા મેડિકલ સ્ટાફની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

દિવાકર સિંહે લોકોને સલાહ આપી છે કે, જો ખાસ જરૂર ન હોય તો ગરમીમાં ઘરની બહાર નિકળવાનું ટાળો, બહાર નિકળવું પડે તેમ હોય તો ગરમી અને હીટથી બચો. તેમણે કહ્યું કે, લોકોએ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઇએ, હીટ વેવથી બચવા માટે છત્રી, ગોગલ્સ અને દુપટ્ટાનો ઉપયોગ કરો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.