દિલ્હી તો છે જ, પણ ભારતના આ બે શહેરો પણ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો છે

દેશની રાજધાની દિલ્હી હમેંશા પ્રદૂષણને કારણે ચર્ચામાં રહે છે. હવા પ્રદુષિત થવાને કારણે લોકોના આરોગ્યને મોટું નુકશાન પહોંચ્યું છે. બીજી તરફ ગુજરતના અમદાવાદમાં પણ હવાની ગુણવત્તા કથળી છે.

નવી દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. દિલ્હીની બોજારૂપ હવાને વર્ણવવા માટે લોકો પહેલાથી જ ‘ઝેરી’, ‘ગેસ ચેમ્બર’ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. હવે એક રિપોર્ટમાં દિલ્હીને દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર ગણવામાં આવ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડની એર ક્વોલિટી ટેક્નોલોજી કંપની IQ Air અનુસાર, દિલ્હીનો AQI 5 નવેમ્બરે બપોરે એટલે કે રવિવારે બપોરે 12 વાગ્યે 705 નોંધાયો હતો જે સવારના સમયે 483 પર હતો. દિલ્હીની આબોહવા તો પ્રદૂષિત છે જ ,પરંતુ ભારતના આ બે શહેરો પણ વિશ્વના સૌથી પ્રદૂષિત સ્થળો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

દિલ્હી દુનિયાનું સૌથી પહેલા નંબરનું પ્રદૂષિત શહેર છે જ્યારે બીજા નંબર પર લાહોર છે.ત્યાં AQI 328 છે. ટોચના બે પ્રદૂષિત શહેરો વચ્ચેના AQIમાં આટલો મોટો તફાવત દિલ્હીની નબળી સ્થિતિને દર્શાવે છે. IQ Airની લાઈવ રેન્કિંગ અનુસાર, ભારતના ત્રણ શહેરો 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. પહેલા નંબર દિલ્હી. કોલકાતા ચોથા નંબરે અને મુંબઈ સાતમા નંબરે છે.

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, ખેતરમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો અને દિલ્હીમાં પ્રદૂષકો વહન કરતા ઉત્તર-પશ્ચિમી પવનો AQI વધવાના મુખ્ય કારણો છે. હવામાં હાજર પ્રદૂષણને કારણે AQI બદલાય છે. AQI જેટલું ઊંચું એટલું પ્રદૂષણ વધારે.

AQI 0 થી 50 હોય તો હવાની ક્વોલિટી સારી છે એમ સમજવું, 51 થી 100 હોય તો સંતોષકારક, 101થી 200 સુધી સામાન્ય પ્રદૂષણ, 201થી 300 મતલબ ખરાબ હવા, 401ની ઉપર હવાનું સ્તર જાય તો ખતરનાક માનવામાં આવે છે.

પ્રદૂષિત હવાના કારણે લોકોને આરોગ્યની સમસ્યા પણ થવા લાગી છે. પવનને કારણે ઉધરસ, છીંક, ઘરઘરાટી, શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, આંખોમાં પાણી આવવું, માથાનો દુખાવો અને થાક જેવા લક્ષણો લાંબા સમય સુધી જોવા મળે છે. ડોક્ટરો લોકોને અપીલ કરી રહ્યા છે કે જ્યારે ઘરની બહાર નિકળો ત્યારે માસ્ક પહેરીને નિકળજો.

ફોર્ટિસ હોસ્ટિપટલના ડો. અજમત કરીમનું કહેવું છે કે, પ્રદૂષિત હવા, ખાસ કરીને ભારી માત્રામાં particulate matter, PM 2.5 વાળી હવામાં શ્વાસ લેવાથી શરીર પર નકારાત્મક અસર પડે છે.તેનાથી ફેફસાંની ક્ષમતામાં ઘટાડો થઇ શકે છે.

પ્રદુષિત હવાથી બચવા માટે તબીબોએ કેટલાંક સૂચનો આપ્યા છે, જે તમારે ધ્યાન રાખવા જેવા છે. બહારની ગતિવિધીઓને સીમિત કરો, વધારે પ્રદૂષિત વાળા દિવસોમાં ઘરની અંદર જ રહેવાની કોશિશ કરવી જોઇએ. ખાસ કરીને જ્યારે તમને શ્વાસ સંબંધી મુશ્કેલી હોય. તબીબોએ કહ્યુ કે ઘરમાં એર પ્યુરિફાયર લગાવો.

ઘરની બહાર નિકળો ત્યારે માસ્ક પહેરીને જ નિકળો. ખાસ કરીને N95 વાળા અથવા N99 રેસ્પિરેટરનો ઉપયોગ કરો, જે સૂક્ષ્મ કણોને ફિલ્ટર કરી શકે છે. તમારે આ સમયે મોબાઇલ એપ્લિકેશન્સ, વેબસાઇટ દ્રારા તમારા વિસ્તારની હવાની ગુણવત્તા કેટલી છે તેની માહિતી રાખવી જોઇએ.

દિલ્હી-મુંબઈનું વાતાવરણ ઝેરી બનવાની સાથે ગુજરાતના કેટલાક શહેરોમાં હવાની ગુણવત્તા બગડી છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બરમાં, શહેરના રખિયાલમાં AQI 300ને વટાવી ગયો હતો, જ્યારે નવરંગપુરામાં AQI 267 આસપાસ નોંધાયો હતો.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.