WHOએ નવી મહામારીનું નામ ડિસિઝ X આપ્યું, આ બીમારી કોરોના કરતા ખતરનાક હોવાનો દાવો

કોરોના વાયરસ મહામારીથી દુનિયા પૂરી રીતે બહાર આવી શકી નથી અને જાણકાર નવી બીમારીના દસ્તકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આગામી મહામારી ઓછામાં ઓછા 5 કરોડ લોકોનો જીવ લઈ શકે છે. સાથે જ માનવામાં આવી રહ્યું છે કે આ કોરોના મહામારીથી વધુ ઘાતક હોય શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO તરફથી આગામી મહામારીનું નામ ડિસિઝ X રાખ્યું છે. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક હજારો વાયરસવાળા 25 વાયરસ સમૂહોની જાણકારી ભેગા કરી રહ્યા છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ વાયરસ મ્યૂટેટ થઈને મહામારીમાં બદલાઈ શકે છે. ખાસ વાત એ છે કે આ દેખરેખમાં વાયરસ સામેલ નથી, જે પશુઓમાંથી માણસોમાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બ્રિટનમાં વૈજ્ઞાનિક ડિસિઝ X વિરુદ્ધ વેક્સીન તૈયાર કરવાનું કામ શરૂ કરી ચૂક્યા છે. UK હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)ના પ્રમુખ પ્રોફેસર ડેમ જેની હેરિસનું કહેવું છે કે જળવાયુ પરિવર્તન જેવા ઘણા ફેક્ટર ભવિષ્યમાં આગામી મહામારીની સંભાવના વધારી રહ્યા છે. તેમણે આ મામલે તૈયારીઓ માટે સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ નવી બીમારી કોરોના મહામારીની તુલનામાં 20 ગણી મોટી બીમારી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ડૉ. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે કહ્યું કે, આ ડિસિઝ X ગમે ત્યારે આવી શકે છે અને તેનાથી મહામારીની આશંકા છે, જેમાં લાખો લોકોના મોત થશે. આ ખૂબ જ ઘાતક છે અને તેનાથી બચવા માટે વૈજ્ઞાનિક વેક્સીન બનાવી રહ્યા છે. WHOએ કહ્યું કે કોરોના મહામારીથી લગભગ 25 લાખ લોકોના મોતનું અનુમાન છે, પરંતુ આ નવી બીમારી તેનાથી અનેક ગણી ઘાતક છે અને તેના કારણે લગભગ 5 કરોડ લોકોના મોત થવાની આશંકા છે. ગ્લોબલ હેલ્થ એક્સપાર્ટસે નવી બીમારીને લઈને કહ્યું કે, એવો ડર છે કે ડિસિઝ Xના કારણે સ્પેનિશ ફ્લૂ જેવી તબાહી ન આવી જાય.

વર્ષ 1918-1920માં સ્પેનિશ ફ્લૂના કારણે દુનિયાભરમાં 5 કરોડ કરતા વધુ લોકોના મોત થઈ ગયા હતા. UK વેક્સીન ટાસ્કફોર્સના અધ્યક્ષ કેટ બિંઘમે જણાવ્યું કે એવી મહામારી લાખો લોકોના જીવ લઈ લે છે. પહેલા વિશ્વ યુદ્વમાં મરનારા લોકોની સંખ્યાથી બેગણા લોકો સ્પેનિશ ફ્લૂના કારણે સમય અગાઉ મોતને ભેટ્યા હતા. પહેલાંની તુલનામાં આજે અનેક ગણા વાયરસ ઉપસ્થિત છે અને તેના વેરિયન્ટ પણ ખૂબ તેજીથી સંક્રમિત કરી દે છે. જો કે બધા ઘાતક હોતા નથી, પરંતુ આ મહામારી લાવી શકે છે. લગભગ 25 લાખ ફેમિલીની ઓળખ કરી લેવામાં આવી છે અને વૈજ્ઞાનિક જલદી જ વેક્સીન બનાવી શકશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.