હાર્ટએટેકનું કારણે કોરોના વેક્સીન છે? મંત્રી મનસુખ માંડવિયાએ આપ્યો આ જવાબ

છેલ્લાં કેટલાંક સમયથી યુવાન વયના લોકોમાં અચાનક હાર્ટએટેકના કેસો વધી જવાને કારણે એવી ચર્ચા ઉભી થઇ હતી કે કોરોના વેક્સીનને કારણે હાર્ટએટેકના કેસો વધી રહ્યા છે, પરંતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વાતને ફગાવી દીધી છે.

કોવિડ-19 એ પેન્ડામિકને બદલે એન્ડામિક બનવાની અણી પર છે, પરંતુ દેશના વૈજ્ઞાનિકો તેના દરેક નવા પ્રકાર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ સાથે સરકાર પણ હાઈ એલર્ટ પર રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે, 20 જૂને આ વાત કહી છે. આ સાથે, તેમણે તાજેતરમાં કાર્ડિયાક અરેસ્ટના કેસોમાં કોવિડ વેક્સીનનેકારણે વધારો થઇ રહ્યાના અહેવાલોને ફગાવી દીધા છે.

મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કોવિડ રસી સંબંધિત સંશોધનથી લઈને તેને લગાવવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં તમામ સ્થાપિત આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું. વિવિધ શારીરિક અને સામાન્ય પ્રક્રિયાઓને કારણે અગાઉ વેક્સીનને બનાવવામાં અને મંજૂર કરવામાં વધુ સમય લાગતો હતો, પરંતુ આ વખતે અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહિતની અદ્યતન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને તેથી આખી પ્રક્રિયા ઝડપી થઇ શકી છે.

હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વેક્સીન માટે આપવામાં આવેલી મંજૂરી લાંબા ગાળાની આડઅસરોને ધ્યાનમાં લીધા વિના ઉતાવળમાં કરવામાં આવી હતી અને આ જ કારણ છે કે તાજેતરમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે.  આરોગ્ય મંત્રીએ ન્યૂઝ એજન્સી PTIને કહ્યું કે,વડાપ્રધાન મોદીએ કોવિડ મેનેજમેન્ટથી લઈને રસીના સંશોધન અને રસીકરણ અભિયાન માટે મંજૂરી સુધીની તમામ પ્રક્રિયાઓ માટે શરૂઆતથી જ વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પાલન કર્યું હતું.

મનસુખ માંડવિયાએ કહ્યું કે અમે  મહામારી સામે લડવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પાલન કર્યું. ડેટા વિશ્લેષણ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હાથ ધરવામાં આવ્યું હતું. ભારતે એ જ આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કર્યું જે વૈશ્વિક કંપનીઓ અનુસરે છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી તરીકે, મનસુખ માંડવિયા પાસે ફાર્માસ્યુટિકલ્સ વિભાગનો હવાલો પણ છે, જે તેઓ લાંબા સમયથી સંભાળી રહ્યા છે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ભારતમાં વેક્સીન ખુબ ઝડપથી લાવવામાં આવી, પરંતુ વેક્સીનની ઝડપ વિશે સવાલ પુછનારા લોકોએ સમજવું જોઇએ કે મંજૂરી જલ્દી કેમ મળી?  તેમણે કહ્યું કે, પહેલા ડેટા એકત્ર કરવામાં આવતો, એનાલીસીસ કરવામાં આવતું અને બીજી ઘણી બધી પ્રક્રિયાઓ થતી, જેમાં ઘણો સમય લાગતો, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજે આપણી પાસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ ટેક્નોલોજી છે, જેની મદદથી આપણે કામને ઝડપી બનાવી શકીએ છીએ.

દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કાર્ડિયાક અરેસ્ટ અને કોવિડ-19 રસીથી થતા મૃત્યુમાં અચાનક થયેલા વધારા વચ્ચેની સંભવિત લિંક પર એક અભ્યાસ હાથ ધર્યો છે, જે આગામી બે અઠવાડિયામાં બહાર આવી શકે છે. મનીકંટ્રોલ વેબસાઇટે ICMRના ડાયરેક્ટર જનરલ રાજીવ બહેલને ટાંકીને આ માહિતી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાર્ટ એટેક અને કોવિડ વેક્સીન વચ્ચેની લિંક શોધવા માટે સંશોધકોએ ચાર અલગ-અલગ અભ્યાસ કર્યા છે.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.