નીચે વાદળ ઉપર પુલ, ભારતીય રેલવેએ શેર કર્યા બ્રિજના ફોટા, જુઓ અદ્દભુત નજારો

ભારતીય રેલવેએ હાલમાં જે ફોટા શેર કર્યા છે તેને જોઈને લાગશે કે આ જગ્યા સ્વર્ગમાં આવેલી છે. વાદળોથી ઘેરાયેલો પુલ પ્રકૃતિનો સૌથી સુંદર નજારો છે. ચિનાબ બ્રિજ વાદળોની ઉપર બનેલો છે. આવા ફોટા જોઈને બે મિનિટ માટે તમને પણ થશે કે બસ આવું જોયા જ કરું. આ બ્રિજને બનાવવામાં આશરે 18 વર્ષ લાગ્યા છે. 2022ના ડિસેમ્બર સુધીમાં આ બ્રિજનું તમામ કામ પૂર્ણ થઈ જશે. આ રેલવે બ્રિજની ઊંચાઈ ચિનાબ નદીથી 359 મીટરની છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

આ ઉધમપુર, શ્રીનગર, બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટનો ભાગ છે. જે દિલ્હીના કુતુબ મિનારથી પણ પાંચ ગણો વધારે ઊંચો છે. ફ્રાન્સના એફિલ ટાવરથી 35 મીટર ઊંચો છે. આ પુલના બનવાથી ભારતીય રેલ નેટવર્ક કાશ્મીર થી કન્યાકુમારી સુધી જોડાઈ ગયું છે. મતલબ કાશ્મીર થી કન્યાકુમારી સુધીની સફર રેલવે દ્વારા પણ શક્ય બનશે.

ભારત સરકારના કહેવા પ્રમાણે, ચિનાબ બ્રિજ બનવામાં 1486 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. આ પુલને બનાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ પુલ બંને બાજુએથી પહાડોથી ઘેરાયેલો છે. તેમાં પણ ત્યાં વાતાવરણ સૌથી મોટી ચેલેન્જ હતી કારણ કે પુલની આસપાસ 100 થી 150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ચાલતી હતી. આથી પુલને એટલો મજબૂત બનાવવામાં આવ્યો છે કે 260 કિમી પ્રતિ કલાકની હવાથી પણ તેને કોઈ નુકસાન નહીં થાય. તેની ઉંમર 100 વર્ષથી વધારેની રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પુલમાં કોઈ પ્રકારનો કાટ પણ નહીં લાગે.

ચિનાબ નદી પર બનાવવામાં આવેલો પુલ બ્રિજ એન્જિનીયરીંગને બેજોડ નમૂનો છે. પુલનું સ્ટ્રક્ટચર સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. આ -10 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે. આ પુલને ભૂકંપ અને ધમાકાથી પણ નુકસાન પહોંચી શકે તેમ નથી. સેના અને સુરક્ષાબળ પણ તેનો ઉપયોગ કરી શકશે.

ચિનાબ બ્રિજનું કામ 2002માં શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ 2008માં તેનું કામ રોકી દેવામાં આવ્યું હતું. જેને 2010માં ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રાલયે થોડા દિવસો પહેલા જ આ બ્રિજના સુંદર ફોટા શેર કર્યા છે. આશા રાખવામાં આવી રહી છે ડિસેમ્બર મહિના સુધીમાં આ બ્રિજને રેલ્વે માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે.  

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.