મંત્રીના કાફલા પર થયેલા હુમલામાં બંગાળ પોલીસે BJPના જ 22 કાર્યકર્તાઓની કરી ધરપકડ

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણિકના કાફલા પર થયેલા હુમલાને લઈને બંગાળ પોલીસે ભારતીય જનતા પાર્ટી (BJP)ના જ 22 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. તેને લઈને ભાજપના નેતા ગુસ્સે ભરાયા છે. ભાજપનો આરોપ છે કે, તપાસને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ(TMC) પ્રભાવિત કરી રહી છે. તો તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે, એવો કોઈ હુમલો થયો જ નથી અને આ ઘટના ભાજપ તરફથી રચવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે કાફલા પર હુમલો કરનારા લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર તરફથી સખત કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.

સી.વી. આનંદ બોઝની ફટકારના થોડા કલાકો બાદ જ આ ધરપકડ કરવામાં આવી છે. કૂચબિહારના પોલીસ સુપરિટેન્ડેન્ટ સુમિત કુમાર સાથે મંગળવારે સંપર્ક ન થઈ શક્યો. જો કે, જિલ્લા પોલીસના એક અધિકારીએ નામ ન પ્રકાશિત કરવાની શરત પર જણાવ્યું કે, સાહેબગંજ અને દિનહાટા પોલીસ સ્ટેશનોમાં 3 કેસોને લઈને ફરિયાદો નોંધાઈ છે. તેમાં લગભગ 50 લોકોના નામ છે. તો બંગાળ ભાજપના ચીફ પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે, આ કેસોમાં શંકાસ્પદોના રૂપમાં નામિત લોકોમાં ઘણા જિલ્લાના ભાજપ નેતા સામેલ છે.

તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, બંગાળ પોલીસ તૃણમૂલ કોંગ્રેસની ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, જે પોતાનું ઋણ સારી રીતે ચૂકવી રહી છે. પોલીસ પર કોઈ પણ સત્તાધારી પાર્ટી દ્વારા દેખાડવામાં આવેલા માર્ગને ભટકાવવાનો આરોપ નહીં લગાવી શકે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિનહાટા પોલીસ સ્ટેશનમાં સ્થાનિક લોકોની ફરિયાદના આધાર પર કેસ નોંધવામાં આવ્યો. તેમાં કહેવામાં આવ્યું કે, કેટલાક બદમાશોએ તેમના ઘરોમાં તોડફોડ કરી. બંગાળ ભાજપના અધ્યક્ષ સૂકાંત મજૂમદાર મંગળવરે કૂચબિહાર પહોંચ્યા હતા.

તેમણે અહીં પ્રામાણિક મુલાકાત કરી. બંને નેતાઓએ પાર્ટીના એ સભ્યોના ઘરોની મુલાકાત પણ લીધી, જેમની સંપત્તિઓને ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કથિત રીતે લૂંટી લીધી. બીજી તરફ જિલ્લા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પણ આરોપ લગાવ્યો છે કે, તેમના ઘણા પાર્ટી કાર્યાલયોને ભાજપના કાર્યકર્તાઓએ ક્ષતિગ્રસ્ત કરી દીધા છે. રાજ્યપાલ બોઝે પ્રામાણિક પર હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે, તે બગડતી કાયદા વ્યવસ્થાને લઈને મૂક દર્શન નહીં બન્યા રહે. તેમણે રાજ્ય સરકાર પાસે આ સંબંધમાં કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.