MPમાં 95 ટકા સનાતની અને બાકીના આતંકવાદીઓને મદદ કરનારા રહે છે: BJP નેતા

મધ્ય પ્રદેશમા હવે વિધાનસભા ચૂંટણી નજીકમાં છે અને બધી પાર્ટીઓ પોતપોતાની રીતે જોર લગાવી રહી છે. ભાજપના એક નેતાએ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું છે કે મધ્ય પ્રદેશમાં 95 ટકા સનાતની અને બાકીના આતંકવાદીઓને મદદ કરનારા લોકો રહે છે. આ નેતાએ કહ્યું કે કોંગ્રેસને 50 બેઠકો મેળવવાના પણ ફાંફા થઇ જશે.

મધ્ય પ્રદેશ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયભાન સિંહ પવૈયાએ દાવો કર્યો છે કે મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 50 બેઠકો મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે.

પવૈયાએ કહ્યું કે સનાતન ધર્મ સાથે સંબંધ રાખનારા 95 ટકા લોકો મધ્ય પ્રદેશમાં રહે છે અને 5 ટકા મતદાકો આતકવાંદીઓ, દગાબાજો એને ધર્મ પરિવતર્નને સમર્થન કરનારા રહે છે. એમાં હિજાબ ગેંગ પણ સામેલ છે.

ભાજપ નેતાએ કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવવા માટે 95 ટકા લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરી રહી છે. તેમણે આગળ કહ્યુ કે એટલે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અહીં જન આક્રોશ યાત્રા કાઢી રહી છે. પરંતુ સનાતની લોકોનો ગુસ્સો વધારે છે એટલે કોંગ્રેસને 50 સીટ પણ નહીં મળે.

જયારે ભાજપ નેતાને મીડિયાએ સવાલ પુછ્યો કે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે સનાતન ધર્મનો મુદ્દો રહેશે? જેના જવાબમાં પવૈયાએ કહ્યું હતું કે ચૂંટણીમાં સનાતન ધર્મનો મુદ્દો નિશ્ચિતપણે રહેશે.તેમણે કહ્યું કે મોઘલ કાળથી બ્રિટિશ કાળ સુધીના 1000 વર્ષ સુધી જે છે તે સનાતન ધર્મ તો છે.

ભાજપના પૂર્વ મંત્રી પવૈયાના નિવેદન સામે કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના પ્રવક્તા આનંદ જાટે કહ્યુ કે, પવૈયા કે જેમની પોતાની ટિકીટ જ હજુ કન્ફર્મ નથી તેમણે કોંગ્રેસ પર નિવેદનબાજી કરવાને બદલે મધ્ય પ્રદેશમાં પોતાની સરકારે જે લૂંટ મચાવી છે તેના વિશે બોલવું જોઇએ.

કોંગ્રેસ નેતાએ આરોપ મુકતા કહ્યુ કે ભાજપ સરકાર મહાકાલ મંદિરમાં થયેલા કૌભાંડમાં પણ સામેલ છે. આ ભાજપની જ સરકારે 95 ટકા સનાતની ખેડુતોની દેવામાફીની રકમ અટકાવેલી છે.જો રાજ્યામાં બેરોજગારી વધશે તો સનાતન ધર્મના યુવાનોને જ નુકશાન પહોંચાડશે.ભાજપ સનાતન ધર્મની વિરોધી છે.

મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે આ વર્ષમાં ચૂંટણી થવાની છે. વર્ષ 2018માં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની હતી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ 2021માં કોંગ્રેસની સત્તા ઉથલી ગઇ હતી અને ભાજપે ફરી સત્તા મેળવી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.