વાયુ પ્રદૂષણને કારણે શહેરોમાં એસિડ વરસાદનું જોખમ, IMD રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

આખા દેશમાં વરસાદી પાણી પર નજર રાખનાર એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, અલ્હાબાદ, વિશાખાપટ્ટનમ અને મોહનબાડી (આસામ)માં વધુ એસિડ વર્ષા થઈ રહી છે, જ્યારે થારથી આવતી ધૂળ જોધપુર, પુણે અને શ્રીનગરમાં વરસાદને વધુ ક્ષારીય બનાવી રહી છે. આ અભ્યાસમાં ભારતના 10 શહેરોમાં વરસાદના pH મૂલ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થા તરફથી હાથ ધરવામાં આવેલી એક સ્ટડીમાં મોટાભાગના નિરીક્ષણવાળા સ્થળો પર pH સ્તરમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. આ એ વાત તરફ ઈશારો  કરે છે કે, શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણનો વરસાદી પાણી પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડે છે. એસિડિક અને ક્ષારીય બંને પ્રકારના વરસાદની ઝેરી અસરો થઈ શકે છે, જે જળીય અને વનસ્પતિ જીવન પ્રભાવિત થઈ શકે છે.

Acid-Rain2
arcadia.com

જોકે, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, વર્તમાનમાં  એસિડ વર્ષા આપણા પ્રદેશ માટે કોઈ મોટું અને તાત્કાલિક જોખમ ઉત્પન્ન કરી રહી નથી.  pH જેટલું ઓછું હશે, વરસાદની એસિડિકતા એટલી ઓછી હશે, pHએ એક માપ છે, જે 0-14ના પ્રમાણ દર્શાવે છે. કોઈ પદાર્થ કેટલો એસિડિક કે ક્ષારીય છે, તેના માધ્યમથી તેની માહિતી મળે છે. તેમાં 7નું પ્રમાણ તટસ્થ છે. 1987 થી 2021 સુધી ગ્લોબલ એટમોસ્ફિયર વોચ સ્ટેશનો પર હાથ ધરાયેલી સ્ટડીમાં મોટાભાગના સ્થળો પર સમય સાથ pHમાં કમી જોવા મળી. જોકે, ટીમે કહ્યું હતું કે, થાર રણમાંથી આવતી ધૂળ જોધપુર અને શ્રીનગરના વરસાદી પાણીની એસિડિક પ્રકૃતિનો મુકાબલો કરી શકે છે, જેનાથી આ શહેરોમાં pH મૂલ્ય વધી શકે છે.

Congress3
ndtv.in

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, સૂકા હવામાન દરમિયાન વરસાદ થોડો વધુ એસિડિકતા હોય છે. જો કે, અભ્યાસ કરાયેલા શહેરોમાં મોટાભાગના શહેરોમાં વરસાદ સાથે, વધુ એસિડિકતા થતી જોવા મળી. વાહનો અને ઔદ્યોગિક ગતિવિધિઓવાળા શહેરોમાં નાઈટ્રેટ સૌથી પ્રભાવી આવેશીત કણ હોવાનું જણાયું હતું, જ્યારે જોધપુર, પુણે અને શ્રીનગરમાં કેલ્શિયમના આવેશીત કણ મુખ્ય હતા, જે ધૂળ અને માટીના પ્રભાવના સંકેત છે.

About The Author

Related Posts

Top News

વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

વલસાડ જિલ્લામાં હાફુસ અને વલસાડી કેરી મુખ્ય પાક છે અને અત્યારે કેરીઓને લઈને પૂરબહાર છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર...
Gujarat 
વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ...
Sports 
નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 26-05-2026 વાર- મંગળવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.