વાયુ પ્રદૂષણને કારણે શહેરોમાં એસિડ વરસાદનું જોખમ, IMD રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

આખા દેશમાં વરસાદી પાણી પર નજર રાખનાર એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, અલ્હાબાદ, વિશાખાપટ્ટનમ અને મોહનબાડી (આસામ)માં વધુ એસિડ વર્ષા થઈ રહી છે, જ્યારે થારથી આવતી ધૂળ જોધપુર, પુણે અને શ્રીનગરમાં વરસાદને વધુ ક્ષારીય બનાવી રહી છે. આ અભ્યાસમાં ભારતના 10 શહેરોમાં વરસાદના pH મૂલ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થા તરફથી હાથ ધરવામાં આવેલી એક સ્ટડીમાં મોટાભાગના નિરીક્ષણવાળા સ્થળો પર pH સ્તરમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. આ એ વાત તરફ ઈશારો  કરે છે કે, શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણનો વરસાદી પાણી પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડે છે. એસિડિક અને ક્ષારીય બંને પ્રકારના વરસાદની ઝેરી અસરો થઈ શકે છે, જે જળીય અને વનસ્પતિ જીવન પ્રભાવિત થઈ શકે છે.

Acid-Rain2
arcadia.com

જોકે, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, વર્તમાનમાં  એસિડ વર્ષા આપણા પ્રદેશ માટે કોઈ મોટું અને તાત્કાલિક જોખમ ઉત્પન્ન કરી રહી નથી.  pH જેટલું ઓછું હશે, વરસાદની એસિડિકતા એટલી ઓછી હશે, pHએ એક માપ છે, જે 0-14ના પ્રમાણ દર્શાવે છે. કોઈ પદાર્થ કેટલો એસિડિક કે ક્ષારીય છે, તેના માધ્યમથી તેની માહિતી મળે છે. તેમાં 7નું પ્રમાણ તટસ્થ છે. 1987 થી 2021 સુધી ગ્લોબલ એટમોસ્ફિયર વોચ સ્ટેશનો પર હાથ ધરાયેલી સ્ટડીમાં મોટાભાગના સ્થળો પર સમય સાથ pHમાં કમી જોવા મળી. જોકે, ટીમે કહ્યું હતું કે, થાર રણમાંથી આવતી ધૂળ જોધપુર અને શ્રીનગરના વરસાદી પાણીની એસિડિક પ્રકૃતિનો મુકાબલો કરી શકે છે, જેનાથી આ શહેરોમાં pH મૂલ્ય વધી શકે છે.

Congress3
ndtv.in

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, સૂકા હવામાન દરમિયાન વરસાદ થોડો વધુ એસિડિકતા હોય છે. જો કે, અભ્યાસ કરાયેલા શહેરોમાં મોટાભાગના શહેરોમાં વરસાદ સાથે, વધુ એસિડિકતા થતી જોવા મળી. વાહનો અને ઔદ્યોગિક ગતિવિધિઓવાળા શહેરોમાં નાઈટ્રેટ સૌથી પ્રભાવી આવેશીત કણ હોવાનું જણાયું હતું, જ્યારે જોધપુર, પુણે અને શ્રીનગરમાં કેલ્શિયમના આવેશીત કણ મુખ્ય હતા, જે ધૂળ અને માટીના પ્રભાવના સંકેત છે.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.