અવિશ્વાસ પ્રસ્તાવથી કોને ફાયદો થશે INDIA કે NDAને? સરવેમાં આવ્યું સામે

વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ABP ન્યૂઝ માટે સી વૉટરે સરવે કર્યો હતો. તેમાં સવાલ કરવામાં આવ્યો કે અવિશ્વાસ પ્રસ્તાવથી વધારે કોને ફાયદો થશે? આ સવાલ પર સરવેમાં 40 ટકા લોકોએ ભારતીય જનતા પાર્ટીવાળાNDAનું નામ લીધું. તો 13 ટકા લોકોએ ‘ઈન્ડિયા’નું નામ લીધું. સરવેમાં સામેલ 36 ટકા લોકોએ કહ્યું કે, બંનેને જ ફાયદો નહીં થાય. એ સિવાય 11 ટકા લોકોએ કહ્યું કે, અત્યારે તેઓ તેના પર કંઈ કહી નહીં શકે.

લોકસભામાં ગુરુવારે (10 ઑગસ્ટે) વિપક્ષ દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતે પડી ગયો હતો. જો કે, વોટિંગ થાત તો પણ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’નું હારવું નક્કી હતું કેમ કે NDA પાસે બહુમત છે. સંસદનું મોનસૂન સત્ર શરૂ થવાના પહેલા દિવસથી જ વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં મણિપુર હિંસાને લઈને નિવેદન આપવાની માગ કરી રહી હતી. આ રણનીતિ હેઠળ વિપક્ષ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી હતી. કોંગ્રેસ સંસદ ગૌરવ ગોગોઇએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત દરમિયાન આ વાત માની પણ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કર્યો હતો. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે, મણિપુરમાં જલદી જ શાંતિનો સૂરજ ઊગશે. અમે વારંવાર વિપક્ષને કહ્યું કે, મણિપુર પર ચર્ચા કરો. ગૃહ મંત્રી અમિત શાહે ચિઠ્ઠી લખીને પણ આ વાત કહી, પરંતુ તેમની પાસે ઇરાદો નહોતો. પેટમાં પાપ હતું. દુઃખાવો પેટમાં થઈ રહ્યો હતો અને માથું ફોડી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને થયેલી ચર્ચા બાદ ABP ન્યૂઝ માટે સી વૉટરે ઓલ ઈન્ડિયા સરવે કર્યો છે. સરવેમાં 3 હજાર 767 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા. સરવેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3થી પ્લસ માઇનસ 5 ટકા છે.

About The Author

Related Posts

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.