અવિશ્વાસ પ્રસ્તાવથી કોને ફાયદો થશે INDIA કે NDAને? સરવેમાં આવ્યું સામે

વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ABP ન્યૂઝ માટે સી વૉટરે સરવે કર્યો હતો. તેમાં સવાલ કરવામાં આવ્યો કે અવિશ્વાસ પ્રસ્તાવથી વધારે કોને ફાયદો થશે? આ સવાલ પર સરવેમાં 40 ટકા લોકોએ ભારતીય જનતા પાર્ટીવાળાNDAનું નામ લીધું. તો 13 ટકા લોકોએ ‘ઈન્ડિયા’નું નામ લીધું. સરવેમાં સામેલ 36 ટકા લોકોએ કહ્યું કે, બંનેને જ ફાયદો નહીં થાય. એ સિવાય 11 ટકા લોકોએ કહ્યું કે, અત્યારે તેઓ તેના પર કંઈ કહી નહીં શકે.

લોકસભામાં ગુરુવારે (10 ઑગસ્ટે) વિપક્ષ દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતે પડી ગયો હતો. જો કે, વોટિંગ થાત તો પણ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’નું હારવું નક્કી હતું કેમ કે NDA પાસે બહુમત છે. સંસદનું મોનસૂન સત્ર શરૂ થવાના પહેલા દિવસથી જ વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં મણિપુર હિંસાને લઈને નિવેદન આપવાની માગ કરી રહી હતી. આ રણનીતિ હેઠળ વિપક્ષ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી હતી. કોંગ્રેસ સંસદ ગૌરવ ગોગોઇએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત દરમિયાન આ વાત માની પણ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કર્યો હતો. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે, મણિપુરમાં જલદી જ શાંતિનો સૂરજ ઊગશે. અમે વારંવાર વિપક્ષને કહ્યું કે, મણિપુર પર ચર્ચા કરો. ગૃહ મંત્રી અમિત શાહે ચિઠ્ઠી લખીને પણ આ વાત કહી, પરંતુ તેમની પાસે ઇરાદો નહોતો. પેટમાં પાપ હતું. દુઃખાવો પેટમાં થઈ રહ્યો હતો અને માથું ફોડી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને થયેલી ચર્ચા બાદ ABP ન્યૂઝ માટે સી વૉટરે ઓલ ઈન્ડિયા સરવે કર્યો છે. સરવેમાં 3 હજાર 767 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા. સરવેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3થી પ્લસ માઇનસ 5 ટકા છે.

Related Posts

Top News

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.