પાયલટની પદયાત્રાથી કોંગ્રેસને ફાયદો કે નુકસાન? સરવેમાં આવ્યું ચોંકાવનારું તારણ

રાજસ્થાનમાં હાલના દિવસોમાં ભીષણ ગરમી વચ્ચે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. તેનું કારણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટની પદયાત્રા છે, જેમણે ભ્રષ્ટાચારના મુદ્દા પર પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસમાં વધતા આંતરિક ઝઘડાએ વિધાનસભાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટું હથિયાર આપી દીધું છે. સચિન પાયલટ ભલે એમ કહી રહ્યા હોય કે આ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં, પરંતુ મુદ્દાની લડાઈ લડી રહ્યા છે, તેમની યાત્રાએ કોંગ્રેસના પડકારોમાં વધારો કરી દીધો છે જે અત્યાર સુધી એવો દાવો કરતી આવી છે કે તે અશોક ગેહલોતના નેતૃત્વમાં ફરી સરકાર બનાવશે.

સચિન પાયલટે જ્યારે પોતાનું અનશન સમાપ્ત કર્યું હતું, ત્યારે એવી આશા હતી કે કોંગ્રેસમાં તોફાન થંભી ગયું છે, પરંતુ જમીની હકીકત તેનાથી વિરુદ્ધ રહી અને પાયલટે ભ્રષ્ટાચાર અને પેપર લીક કેસમાં ‘જન સંઘર્ષ યાત્રા’ શરૂ કરી દીધી. પાયલટે યાત્રા શરૂ કરવા અગાઉ તેની ઔપચારિક જાહેરાત ભલે એક દિવસ અગાઉ કરી હતી, પરંતુ હજારોની સંખ્યામાં તેમનો સાથે આપવા માટે કાર્યકર્તા અને સમર્થક અજમેરમાં ભેગા થઈ ગયા, જે વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે.

સચિન પાયલટની પદયાત્રાથી કોંગ્રેસને કેટલું નુકસાન થઈ શકે છે અને જનતા તેને લઈને શું વિધારે છે? તેને લઈને ABP અને C વોટરે સાથે મળીને એક ત્વરિત સરવે કર્યું. ચાલો આ આર્ટિકલમાં જાણીએ કે આ સર્વે શું કહી રહ્યો છે. ABP અને C વૉટરે પોતાના સરવેમાં રાજસ્થાનની જનતાને એવો સવાલ પૂછ્યો કે પાયલટની યાત્રાથી શું કોંગ્રેસને નુકસાન થશે? તેના પર 42 ટકા લોકોનું માનવું છે કે તેનાથી કોંગ્રેસને ખૂબ નુકસાન થશે, તો 18 ટકા લોકો માને છે કે વધારે નુકસાન નહીં થાય.

સરવેમાં 29 ટકા લોકોએ માન્યુ કે, કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય, જ્યારે એક ટકા લોકોએ ‘ખબર નહીં’નો જવાબ આપ્યો. એટલે કે સમજી શકાય છે કે લગભગ અડધી જનતા એવું માને છે કે પાયલટની યાત્રા ચૂંટણી અગાઉ કોંગ્રેસને નુકસાન કરીને જશે. રાજસ્થાનના આ સરવેમાં 1 હજાર 374 લોકો પાસેથી તેમના મંતવ્યો લેવામાં આવ્યા, જેમાંથી 42 ટકા માને છે કે પાયલટના ‘જન સંઘર્ષ યાત્રા’થી કોંગ્રેસને નુકસાન થશે. તો માર્જિન ઓફ એરરની વાત કરીએ તો તે પ્લસ માઇનસ 3 ટકાથી લઈને પ્લસ માઇનસ 5 ટકા હોય શકે છે.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.