દોષિત MP-MLA પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ, એમિકસ ક્યુરીની માગ

જો ધારાસભ્યો અને સાંસદો પર કોર્ટમાં કોઈ ગુનો સાબિત થાય તો ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લાદવાની માંગ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વિજય હંસારિયા, જેમને સુપ્રીમ કોર્ટ દ્વારા સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસ સંબંધિત કેસોમાં એમિકસ ક્યૂરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમણે તેમના અહેવાલમાં કહ્યું છે કે, દોષિત નેતાઓ પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર નહીં પરંતુ આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ.

ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI D.Y. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ હાજર થયેલા તેમના અહેવાલમાં, હંસારિયાએ જણાવ્યું હતું કે, 'સાંસદ અને ધારાસભ્યો સામાન્ય લોકોની સાર્વભૌમ ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે અને એકવાર નૈતિક ક્ષતિ સાથે સંકળાયેલો ગુનો કરતા જોવા મળે છે, તો તેમને કાયમી ધોરણે ગેરલાયક ઠેરવવા જોઈએ.'

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યુરી વિજય હંસરિયાએ તેમનો 19મો રિપોર્ટ દાખલ કર્યો. આ સમય દરમિયાન, કોર્ટમાં એમિકસ ક્યૂરીએ અહેવાલનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, જો કોઈ નેતા દોષિત હોય તો તેના પર 6 વર્ષના પ્રતિબંધને બદલે ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ. હકીકતમાં, એમિકસ ક્યૂરી સાંસદો અને ધારાસભ્યો સામેના પડતર કેસોના ઝડપી નિકાલ થાય તેના પર નજર રાખી રહ્યું છે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. એમિકસ ક્યુરીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ, 2003 અને લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013 હેઠળ દોષિત ઠેરવ્યા પછી કાયમી અયોગ્યતા અને/અથવા વૈધાનિક પદ ધારણ કરવાથી દૂર કરવાની જોગવાઈ છે.

એમિકસ ક્યુરીએ રિપોર્ટમાં કહ્યું છે કે, કલમ 8 હેઠળ ગુનાને ગંભીર અને વધારે ગંભીર આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હંસરિયાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8એ જોગવાઈ કરે છે કે, અયોગ્યતા છૂટની તારીખથી માત્ર છ વર્ષના સમયગાળા માટે રહેશે. દોષિત વ્યક્તિ છૂટ્યાના છ વર્ષ પછી ચૂંટણી લડવા માટે લાયક છે, ભલે તે બળાત્કાર અથવા ડ્રગના વ્યવહાર અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા ભ્રષ્ટાચાર જેવા ગંભીર કેસમાં સંડોવણી જેવા જઘન્ય અપરાધ માટે દોષિત સાબિત કરવામાં આવ્યા હોય.

હંસરિયાએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે, સાંસદો અને ધારાસભ્યો સામે મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે અને કુલ 5175 પેન્ડિંગ કેસોમાંથી 2116 કરતાં વધુ કેસો એટલે કે 40%, 5 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. સમગ્ર દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામે વિવિધ હાઈકોર્ટમાં 1377 પેન્ડિંગ કેસ સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. દેશભરના વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોમાં ચોથા ભાગના કેસ એકલા UPના છે. આ યાદીમાં બિહાર 546 કેસ સાથે બીજા સ્થાને છે.

આ આંકડા કલંકિત પ્રતિનિધિઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યુરીએ રજૂ કરેલા 19મા રિપોર્ટના છે. હકીકતમાં, 2016માં BJP નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી PIL પછી, સુપ્રીમ કોર્ટ આ કેસોનો જલદી નિકાલ થાય તેના પર નજર રાખી રહી છે.

About The Author

Top News

એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ગુગલ એક મોટી યોજના તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં એન્ડ્રોઇડ અને ક્રોમOSને જોડીને એક શક્તિશાળી સિંગલ...
Tech and Auto 
એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

આખરે, વિશ્વની લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (...
Tech and Auto 
ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા...
Business 
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

2022નો ચર્ચિત કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ક્રાઈમ ડ્રામા થ્રિલર ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજકાલ તેના સંવેદનશીલ વિષયોને કારણે સમાચારમાં...
National 
 દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક
Copyright (c) Khabarchhe All Rights Reserved.