કેજરીવાલની ધરપકડ પર સત્યપાલ મલિક કેમ થઈ રહ્યા છે ટ્રેન્ડ, ભવિષ્યવાણીની પણ ચર્ચા

On

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ઘણા નેતાઓના નિવેદન આવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંદીપ દીક્ષિત જેવા નેતાઓએ તેમની સાથે ઊભા રહેવાની વાત કહી છે, તો અખિલેશ યાદવ જેવા નેતાઓએ પણ ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે. આ દરમિયાન X (અગાઉ ટ્વીટર) પર સત્યપાલ મલિક ટ્રેન્ડ થઈ રહ્યા છે. તેમણે ગયા વર્ષે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે.

તેમની વાત સાચી સાબિત થઈ છે. એવામાં તેમના નિવેદનની ક્લિપ શેર કરતા લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે, સત્યપાલ મલિકની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. પોતે સત્યપાલ મલિકે પણ આ બાબતે ટ્વીટ કરીને કહ્યું કે, મેં તો પહેલા જ કહ્યું હતું કે, ચૂંટણી અગાઉ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના સત્યપાલ મલિકે પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ગાદી પર બેઠા તાનાશાહ ડરપોક વ્યક્તિ છે, જે દેશની સરકાર એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સત્યપાલ મલિક છેલ્લા ઘણા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા રહ્યા છે. ખેડૂત આંદોલનના સમયથી જ તેઓ મોદી સરકાર પર હુમલાવર રહ્યા છે. સત્યપાલ મલિકે X પર લખ્યું કે, 'મેં આજથી 10 મહિના અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કહી દીધું હતું કે આ મોદી સરકાર, ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરશે. ગાદી પર બેઠા તાનાશાહ ડરપોક વ્યક્તિ છે, જે દેશની સરકારી એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને મોદી સરકારે પોતાના તાબૂતમાં અંતિમ ખીલ ઠોકી લીધી.

નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ સત્યપાલ મલિકના ઘર પર પણ CBIની ટીમ પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરમાં એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં ગરબડીના કેસમાં ટીમ તેમના ઘરે પહોંચી હતી. એ દરમિયાન સત્યપાલ મલિક હૉસ્પિટલમાં એડમિટ હતા. તેને તેમણે (સત્યપાલ મલિકે) અત્યાચાર કરાર આપ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમના સ્ટાફને પણ પરેશાન કરવામાં આવી રહ્યા હતા.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.