કેજરીવાલની ધરપકડ પર સત્યપાલ મલિક કેમ થઈ રહ્યા છે ટ્રેન્ડ, ભવિષ્યવાણીની પણ ચર્ચા

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ઘણા નેતાઓના નિવેદન આવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંદીપ દીક્ષિત જેવા નેતાઓએ તેમની સાથે ઊભા રહેવાની વાત કહી છે, તો અખિલેશ યાદવ જેવા નેતાઓએ પણ ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે. આ દરમિયાન X (અગાઉ ટ્વીટર) પર સત્યપાલ મલિક ટ્રેન્ડ થઈ રહ્યા છે. તેમણે ગયા વર્ષે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે.

તેમની વાત સાચી સાબિત થઈ છે. એવામાં તેમના નિવેદનની ક્લિપ શેર કરતા લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે, સત્યપાલ મલિકની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. પોતે સત્યપાલ મલિકે પણ આ બાબતે ટ્વીટ કરીને કહ્યું કે, મેં તો પહેલા જ કહ્યું હતું કે, ચૂંટણી અગાઉ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના સત્યપાલ મલિકે પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ગાદી પર બેઠા તાનાશાહ ડરપોક વ્યક્તિ છે, જે દેશની સરકાર એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સત્યપાલ મલિક છેલ્લા ઘણા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા રહ્યા છે. ખેડૂત આંદોલનના સમયથી જ તેઓ મોદી સરકાર પર હુમલાવર રહ્યા છે. સત્યપાલ મલિકે X પર લખ્યું કે, 'મેં આજથી 10 મહિના અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કહી દીધું હતું કે આ મોદી સરકાર, ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરશે. ગાદી પર બેઠા તાનાશાહ ડરપોક વ્યક્તિ છે, જે દેશની સરકારી એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને મોદી સરકારે પોતાના તાબૂતમાં અંતિમ ખીલ ઠોકી લીધી.

નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ સત્યપાલ મલિકના ઘર પર પણ CBIની ટીમ પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરમાં એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં ગરબડીના કેસમાં ટીમ તેમના ઘરે પહોંચી હતી. એ દરમિયાન સત્યપાલ મલિક હૉસ્પિટલમાં એડમિટ હતા. તેને તેમણે (સત્યપાલ મલિકે) અત્યાચાર કરાર આપ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમના સ્ટાફને પણ પરેશાન કરવામાં આવી રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.