કેજરીવાલની ધરપકડ પર સત્યપાલ મલિક કેમ થઈ રહ્યા છે ટ્રેન્ડ, ભવિષ્યવાણીની પણ ચર્ચા

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ઘણા નેતાઓના નિવેદન આવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંદીપ દીક્ષિત જેવા નેતાઓએ તેમની સાથે ઊભા રહેવાની વાત કહી છે, તો અખિલેશ યાદવ જેવા નેતાઓએ પણ ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે. આ દરમિયાન X (અગાઉ ટ્વીટર) પર સત્યપાલ મલિક ટ્રેન્ડ થઈ રહ્યા છે. તેમણે ગયા વર્ષે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે.

તેમની વાત સાચી સાબિત થઈ છે. એવામાં તેમના નિવેદનની ક્લિપ શેર કરતા લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે, સત્યપાલ મલિકની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. પોતે સત્યપાલ મલિકે પણ આ બાબતે ટ્વીટ કરીને કહ્યું કે, મેં તો પહેલા જ કહ્યું હતું કે, ચૂંટણી અગાઉ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના સત્યપાલ મલિકે પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ગાદી પર બેઠા તાનાશાહ ડરપોક વ્યક્તિ છે, જે દેશની સરકાર એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સત્યપાલ મલિક છેલ્લા ઘણા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા રહ્યા છે. ખેડૂત આંદોલનના સમયથી જ તેઓ મોદી સરકાર પર હુમલાવર રહ્યા છે. સત્યપાલ મલિકે X પર લખ્યું કે, 'મેં આજથી 10 મહિના અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કહી દીધું હતું કે આ મોદી સરકાર, ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરશે. ગાદી પર બેઠા તાનાશાહ ડરપોક વ્યક્તિ છે, જે દેશની સરકારી એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને મોદી સરકારે પોતાના તાબૂતમાં અંતિમ ખીલ ઠોકી લીધી.

નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ સત્યપાલ મલિકના ઘર પર પણ CBIની ટીમ પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરમાં એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં ગરબડીના કેસમાં ટીમ તેમના ઘરે પહોંચી હતી. એ દરમિયાન સત્યપાલ મલિક હૉસ્પિટલમાં એડમિટ હતા. તેને તેમણે (સત્યપાલ મલિકે) અત્યાચાર કરાર આપ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમના સ્ટાફને પણ પરેશાન કરવામાં આવી રહ્યા હતા.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.