રાહુલ ગાંધી વિરુદ્ધ હવે આ રાજ્યમાં નોંધાશે માનહાનિનો કેસ! BJP નેતા બોલ્યા...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ફરી એક વખત વધી શકે છે. સુરત બાદ હવે કર્ણાટકમાં પણ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવવાની તૈયારી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ લહર સિંહ સરોયાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ભ્રષ્ટાચારના રેટ કાર્ડ જાહેર કર્યા છે. તેમણે અમારા રેટ બતાવ્યા છે. તેમણે ક્યારેય જીવનમાં બેઇમાનીની ચા પણ પીધી નથી. હવે હું રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ નોંધાવીશ. રાહુલ ગાંધીના એ ભ્રષ્ટાચાર રેટ કાર્ડથી તેમને દુઃખ થયું છે.

લહર સિંહ સરોયાએ જણાવ્યું કે, જે રીતે રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચારનો તેમના પર આરોપ લગાવ્યો છે, તેઓ તેનાથી ખૂબ જ વધારે દુઃખી થયા છે. તેમણે તેને કોંગ્રેસનું શરમજનક વલણ બતાવ્યું છે. એ માત્ર તેમની જ નહીં, પરંતુ આખા ડીપાર્ટમેન્ટ અને સરકારની બદનામી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ પર આપેલા નિવેદનને લઈને ઘણું બધુ સહન કરવું પડ્યું હતું. તેમની વિરુદ્ધ સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. જેમાં તેમને 23 માર્ચ 2023ના રોજ દોષી ઠેરવતા 2 વર્ષની સજા સંભળાવી હતી અને તેમની લોકસભાની સભ્યતા પણ જતી રહી હતી. ત્યારબાદ હવે કર્ણાટકમાં ફરીથી માનહાનિનો કેસ થયો તો તેમની મુશ્કેલી વધી શકે છે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારને લઈને કોંગ્રેસે કોઈ કસર છોડી નથી. તેના માટે મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંક ગાંધી વાડ્રાએ સખત મહેનત કરી છે. પાર્ટીના આ દિગ્ગજોએ અત્યાર સુધી 43 રેલીઓ, 13 રોડ શૉ, મહિલાઓ અને યુવાનો સાથે 6 સંવાદ અને કાર્યકર્તાઓ સાથે 5 બેઠકો કરી ચૂક્યા છે. રવિવારે (7 મેના રોજ) બેંગ્લોરના શિવાજી નગરમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક સંયુક્ત રેલી કરશે. રાજ્યની 224 સભ્યોની વિધાનસભા માટે 10 મેના રોજ એક ચરણમાં મતદાન થશે. તેના પરિણામોની જાહેરાત 13 મેના રોજ થશે. ચૂંટણી પંચ મુજબ, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કુલ 5,21,73,579 મતદાતા પોતાના મતનો ઉપયોગ કરશે.  

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.