ભાજપે કેમ કહ્યું- INDIA ગઠબંધનમાં નિકાહ અગાઉ જ તીન તલાક

ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે વિપક્ષી એકતા પર મોટો કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે છત્તીસગઢમાં પોતાની સરકારની નિંદા કરવાના એક દિવસ બાદ આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પલટવાર કર્યો અને તેમણે ગત શીલા દીક્ષિત સરકારના પ્રદર્શનની તુલના પોતાની સરકાર સાથે કરવાનો પડકાર આપ્યો. તેના પર વિપક્ષી જૂથ I.N.D.I.A. પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ એક્સ (પહેલા ટ્વીટર) પર લખ્યું કે, ‘નિકાહ અગાઉ તીન તલાક, કોંગ્રેસનું કહેવું છે કે, અમે દિલ્હીમાં આમ આદમી વિરુદ્ધ બધી સીટો પર ચૂંટણી લડીશું. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી.

શહજાદ પૂનાવાલા અહીં જ ન રોકાયા. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ નેતા અનિલ ચૌધરીએ અરવિંદ કેજરીવાલને ભ્રષ્ટ બતાવ્યા. અરવિંદ કેજરીવાલે છત્તીસગઢમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર પર પ્રહાર કર્યો. ગૂંડુ રાવ બાદ પવન ખેડાએ દિલ્હી મોડલને પડકાર આપ્યો. અલ્કા લાંબાએ અરવિંદ કેજરીવાલને કહ્યા, આમ આદમી પાર્ટીના ઠગ. નિષ્કર્ષ: @amitshah હંમેશાં સાચા હોય છે. કામ પૂરું, મિત્રતા પૂરી.’ ગત દિવસોમાં લોકસભામાં દિલ્હી સેવા બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસને બતાવવા માગું છું કે આ બિલ પાસ થયા બાદ તેઓ (આમ આદમી અપાર્ટી) તમારી સાથે કોઈ ગઠબંધન કરવા જઈ રહ્યા નથી. તેમણે વિપક્ષી સાંસદો સાથે ગઠબંધન બાબતે નહીં, પરંતુ દિલ્હી બાબતે વિચારવાની અપીલ કરી.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સરકારી શાળાઓની ભયાનક સ્થિતિની નિંદા કર્યા બાદ કોંગ્રેસ તરફથી તીખી પ્રતિક્રિયા આવી. અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ શનિવારે રાયપુરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓ ગઠબંધન I.N.D.I.A.નો હિસ્સો છે, પરંતુ રાજ્ય સ્તર પર બંને વચ્ચે ખાઈ છે.

અરવિંદ કેજરીવાલની નિંદા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેડાએ ટ્વીટ કરી કે, રાયપુર કેમ જઈએ? અમારી છત્તીસગઢ સરકારના પ્રદર્શનની તુલનાઆ ગત રમણ સિંહ સરકાર સાથે કરવામાં આવશે. આવો આપણે પોતાની પસંદનું એક ક્ષેત્ર પસંદ કરીએ અને દિલ્હીમાં કોંગ્રેસ વર્સિસ પોતાની સરકારના પ્રદર્શનની તુલના કરીએ. અમે બહેસ માટે તૈયાર છીએ. પવન ખેડાએ કહ્યું કે, રાયપુર માટે ઉડાણ ભરવા અગાઉ દિલ્હીની જમીની સ્થિતિ બાબતે વાત કરીએ, જ્યાં આખું શહેર રસાતળમાં જઈ રહ્યું છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.