વિપક્ષના INDIA નામનો તોડ BJPએ કાઢી લીધો, જાણો તેના બદલે શું બોલશે?

બેંગ્લોરમાં થયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં નક્કી થયું હતું કે ગઠબંધનનું નવું નામ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લૂસિવ અલાયન્સ (I.N.D.I.A.) હશે. થોડા દિવસ સુધી કેન્દ્ર સરકારના નેતાઓએ આ નામ પર પ્રહાર કર્યો, પરંતુ હવે જાણકારોના સંદર્ભે સમાચાર મળી રહ્યા છે કે ભાજપના નેતા વિપક્ષી ગઠબંધનને I.N.D.I.A. નામથી નહીં બોલાવે. પાર્ટીએ નક્કી કર્યું છે કે વિપક્ષી ગઠબંધનને UPAના જૂના નામથી જ સંબોધિત કરવામાં આવશે.

ભાજપના પદાધિકારીઓના જણાવ્યા મુજબ, વિપક્ષે જાણીજોઇને I.N.D.I.A. નામ રાખ્યું, જેથી જૂના કારનામાઓ પર પડદો નાખી શકાય અને જનતાના મનમાં UPAની છબી ભુલાવી શકાય, પરંતુ ભાજપ જનતાને કોંગ્રેસ પર લાગેલા આરોપો બાબતે બતાવતી રહેશે. એટલે વિપક્ષને UPAના નામથી જ બોલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ મણિપુર મૂદ્દા પર પ્રહાર કરતા વારંવાર UPA શબ્દનો જ ઉપયોગ કર્યો.

8 જુલાઇના રોજ બેંગ્લોરમાં થયેલી બેઠકમાં જ વિપક્ષી પાર્ટીઓએ પોતાના ગઠબંધનનું નવું નામ I.N.D.I.A. આપ્યું હતું. હાલમાં આ વિપક્ષી ગઠબંધન ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન NDAને સખત ટક્કર આપવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ પહેલા પટનામાં બેઠક કરીને નક્કી કર્યું કે તેઓ બધા કેવી રીતે સાથે આવી શકે છે? તેના પર મંથન કર્યું તો બેંગ્લોરમાં બેઠક બાદ ગઠબંધનના નામની જાહેરાત કરી દીધી. I.N.D.I.A. આગામી બેઠક આ મહિને થવાની છે.

મુંબઇમાં થવા જઇ રહેલી આ બેઠકમાં સીટ વહેચણી પર ચર્ચા થવાની છે. મુંબઇમાં આ બેઠક 25-26 ઑગસ્ટના રોજ થઇ શકે છે. તેની તૈયારીઓની જવાબદારી પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ નવા ગઠબંધનના નામ પર અત્યાર સુધી ભાજપના નેતા હુમલો કરી રહ્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ તો પોતાના ટ્વીટર બાયોમાં પણ INDIA હટાવીને ભારત લખી દીધું હતું.

થોડા દિવસ અગાઉ જ્યારે ચોમાસું સત્રમાં મણિપુર પર ચાલી રહેલા સંગ્રામ વચ્ચે ભાજપના સંસદીય દળની બેઠક થઇ હતી, ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કર્યો હતો. તેમણે આ બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને વિપક્ષી ગઠબંધન પર નિશાનો સાધતા કહ્યું હતું કે INDIA નામ લગાવવાથી જ થઇ જતું નથી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ I.N.D.I.A. લગાવ્યું હતું અને ઇન્ડિયન મુજાહિદ્દીન નામમાં પણ INDIA. છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.