કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ, આ મુદ્દા પર આપશે ભાષણ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મહિનાના અંતમાં બ્રિટન જશે જ્યાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું, હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈશ, જે મારી સંસ્થા રહી છે, અને બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપીશ. રાહુલ ગાંધીએ કહ્યું, હું ભૂરાજનીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધ, 'બિગ ડેટા' અને લોકતંત્ર સહીત ઘણા ક્ષેત્રોના કેટલાક પ્રતિભાશાળી લોકો સાથે સંવાદ કરવા માટે ઉત્સુક છું.

કેમ્બ્રિજ બિઝનેસ સ્કૂલે કહ્યું કે તે રાહુલ ગાંધીનું ફરીથી સ્વાગત કરીને ખુશ છે. તેમણે ટ્વીટ કર્યું, રાહુલ ગાંધી કેમ્બ્રિજ બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપશે અને બિગ ડેટા અને લોકશાહી અને ભારત-ચીન સંબંધો પર સંવાદ આપશે. બ્રિટન જતા પહેલા રાહુલ ગાંધી રાયપુરમાં 24-26 ફેબ્રુઆરીએ કોંગ્રેસના 85માં પૂર્ણ સત્રમાં ભાગ લેશે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી ગયા વર્ષે મે મહિનામાં પણ કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા હતા, ત્યારે તેમના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો. વાસ્તવમાં રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ 'આઈડિયાઝ ફોર ઈન્ડિયા' કોન્ફરન્સમાં સત્તારૂઢ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ સંસદ અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓને કામ કરવા દેતા નથી. ત્યારે ભાજપે રાહુલના નિવેદન પર તેમની ટીકા કરી હતી.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.