મગજ અદાણીનું અને પૈસા PM મોદીના, CM કેજરીવાલે લગાવ્યા ગંભીર આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાનો સાધ્યો છે. CM કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ભાષણ આપતા કહ્યું કે, જનતા GST આપે છે અને તે પૈસા PM મોદી પાસે જાય છે. કોંગ્રેસ જેટલું 75 વર્ષમાં ના લૂંટી શકી, તેના કરતા વધુ તેમણે (BJP) 7 વર્ષમાં લૂંટી લીધુ છે. હંમેશાં મગજ અદાણીનું હોય છે અને પૈસા PM મોદીના. વિધાનસભામાં સંબોધિત કરતા CM કેજરીવાલે કહ્યું કે, જે દિવસે અદાણી દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ બન્યા હતા. તે દિવસે PM મોદી દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ બન્યા હતા. હવે તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બનવા માંગે છે. કેજરીવાલે કહ્યું કે, અદાણી ગ્રુપની અંદર બધા પૈસા PM મોદીના જ લાગેલા છે.

CM કેજરીવાલે આગળ કહ્યું, વડાપ્રધાને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે સાથે મુલાકાત કરી અને જબરદસ્તી કરીને અદાણીને વિંડ પ્રોજેક્ટ અપાવી દીધો. આ પ્રોજેક્ટ તેમણે અદાણીને નથી અપાવ્યો પરંતુ, પોતે જ લીધો છે. જે રીતે આપણા દેશમાં પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટી હોય છે, એવી જ ત્યાંની એક કમિટીએ પોતાના વીજળી બોર્ડના ચેરમેનને બોલાવીને પૂછ્યું કે, અદાણીને આ પ્રોજેક્ટ શા માટે આપ્યો. તેણે કમિટીને જણાવ્યું કે, રાજપક્ષેએ તેને બોલાવીને કહ્યું હતું કે, PM મોદીનું ઘણું પ્રેશર છે કે પ્રોજેક્ટ અદાણીને આપવામાં આવે.

દિલ્હીના CMએ કહ્યું, બાંગ્લાદેશને 25 વર્ષો માટે 1500 મેગાવોટ વીજળી ખરીદવી હતી. આ પ્રોજેક્ટ પણ તેમણે (વડાપ્રધાન) અદાણીને અપાવી દીધો. જ્યારે તેઓ ઇઝરાયલ ગયા તો બધા રક્ષા સોદા અદાણીને અપાવી દીધા. બે-ત્રણ વર્ષ પહેલા 6 એરપોર્ટ્સની નીલામી થઈ. તેમા એક શરત હતી કે જેણે પહેલા એરપોર્ટ પર કામ કર્યું છે, કોન્ટ્રાક્ટ એને જ આપવામાં આવશે. પરંતુ, અંતિમ સમય પર શરત હટાવી દેવામાં આવી અને તમામ 6 એરપોર્ટ અદાણીને આપી દીધા.

CM કેજરીવાલે આગળ કહ્યું કે, થોડાં દિવસ પહેલા ઓર્ડર નિકળ્યો. બધા પાવર પ્લાન્ટે 10 ટકા કોલસો ઈમ્પોર્ટવાળો ખરીદવો પડશે અને ઇમ્પોર્ટ તો અદાણી જ કરે છે. તે કોલસો આપણા દેશના કોલસા કરતા 10 ગણો વધુ મોંઘો પડે છે. 67 વર્ષમાં ભારતની તમામ સરકારોએ મળીને 55 લાખ કરોડ રૂપિયાનું દેવુ લીધુ હતું. પરંતુ, 2014થી 2022 સુધી સાત વર્ષમાં 85 લાખ કરોડનું દેવુ લઈ લેવામાં આવ્યું. જેટલું 67 વર્ષોમાં લેવામાં આવ્યું હતું, તેના કરતા બે ગણું સાત વર્ષોમાં લઈ લેવામાં આવ્યું.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.