ઈન્ડિયા ટીવી-CNX ઓપિનિયન પોલ આવ્યો સામે, જાણો કર્ણાટકમાં કોની બનશે સરકાર

વિપક્ષી પાર્ટી કોંગ્રેસ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઊભરી શકે છે, પરંતુ 8 સીટોના કારણે તેને સ્પષ્ટ બહુમત મળતું દેખાઈ રહ્યું નથી. રવિવારે સાંજે ઈન્ડિયા ટીવી ચેનલ પર ઈન્ડિયા ટીવી CNX ઓપિનિયન પોલ પ્રસારિત કરવામાં આવ્યું. પોલ મુજબ, કર્ણાટક વિધાનસભાની 224 સીટોમાંથી કોંગ્રેસ 105 સીટો જીતી શકે છે, જ્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) 85 સીટો પર જ જીત હાંસલ કરી શકે છે. તો જનતા દળ (S)ના ખાતામાં 32 સીટો આવી શકે છે અને અન્યને 2 સીટ મળી શકે છે.

વર્ષ 2018ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 104, કોંગ્રેસને 80, જનતા દળ (S)ને 37 અને અન્યને 3 સીટ મળી હતી. ઓપિનિયન પોલમાં વોટ શેરના અનુમાન દેખાડે છે કે કોંગ્રેસને 40.32 ટકા, ભાજપને 35.5 ટકા, જનતા દળ (S)ને 17.81 ટકા અને અન્યને 6.37 ટકા વોટ મળી શકે છે. વર્ષ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસને 38.4 ટકા, ભાજપને 36.22 ટકા, જનતા દળ (S)ને 18.36 ટકા અને અન્યને 7.38 ટકા વોટ મળ્યા હતા.

જાતિ અને સમુદાય આધારિત વોટ શેર:

અનુમાનોથી ખબર પડી છે કે, જાતિ અને સમુદાયો મુજબ, કોંગ્રેસને 75.3 ટકા કુરુબા વોટ, 15.11 ટકા લિંગાયત વોટ, 17.57 ટકા વોંક્કાલિગા વોટ, 40.56 ટકા વોટ અનુસૂચિત જાતિ (SC), 42.35 ટકા અનુસૂચિત જનજાતિ (ST) વોટ અને 78 ટકા મુસ્લિમ વોટ વોટ મળી શકે છે. બીજી તરફ ભાજપને 15.14 ટકા કુરુબા વોટ, 75.8 ટકા લિંગાયત વોટ, 17.39 ટકા વોંક્કાલિગા વોટ, 39.6 ટકા અનુસૂચિત જાતિ (SC) વોટ, 51.7 ટકા OCB વોટ, 32.18 ટકા અનુસૂચિત જનજાતિ વોટ અને માત્ર 2.07 ટકા અન્ય જાતિ અને સમુદાય વોટ મળી શકે છે. પોલ મુજબ જનતા દળ (S)ને 56 ટકા વોંક્કાલિગા વોટ મળી શકે છે.

ક્ષેત્રવાર વોટ શેરનો અનુમાન:

ઈન્ડિયા ટીવી CNX પોલ અનુમાન મુજબ, ક્ષેત્રવાર વોટ શેરની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસને ગ્રેટર બેંગ્લોરની કુલ 32 સીટોમાંથી 15-15 સીટ મળી શકે છે, જ્યારે જનતા દળ (S)ને 2 સીટ મળી શકે છે. મધ્ય કર્ણાટકમાં કુલ 21 સીટો છે, જેમાંથી ભાજપને 13 અને કોંગ્રેસ 8 સીટ જીતી શકે છે. હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્રમાં કુલ 40 સીટો છે, જેમાંથી કોંગ્રેસ 32 સીટો પર જીત હાંસલ કરી શકે છે, ભાજપ 6 અને જનતા દળ (S) 2 સીટ જીતી શકે છે.

જૂના મૈસુરમાં 62 સીટો છે જેમાંથી કોંગ્રેસ 26 સીટો જીતી શકે છે, જનતા દળ (S) 28 સીટો જીતી શકે છે અને ભાજપ માત્ર 7 સીટો જીતી શકે છે. બચેલી એક સીટ પર અન્યને જીત મળી શકે છે. 19 સીટોવાળ તટિય કર્ણાટકમાં ભાજપ 15 અને કોંગ્રેસ 4 સીટો જીતી શકે છે. બોમ્બે કર્ણાટક ક્ષેત્રમાં 50 સીટો છે, જેમાં ભાજપ 29 સીટ જીતી શકે છે, કોંગ્રેસ 20 અને અન્યને એક સીટ પર જીત મળી શકે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.