IASના ભોજનમાંથી મળી ઇયળ! ગુરુગ્રામના લક્ઝરી રેસ્ટોરાંની પોલ ખૂલી

ગુરુગ્રામના સેક્ટર-15માં સ્થિત 32 માઇલસ્ટોન પરિસરમાં આવેલું લક્ઝરી સેલેસ્ટે રેસ્ટોરાં એ સમયે વિવાદમાં ઘેરાઈ ગયું, જ્યારે એક IAS અધિકારીએ પોતાની થાળીમાં મરેલી ઇયળ હોવાની ફરિયાદ નોંધાવી. અધિકારી પોતાની પત્ની સાથે રેસ્ટોરાંમાં રાત્રિભોજન માટે પહોંચ્યા હતા. જેવી જ તેમણે જમવાની શરૂઆત કરી, પ્લેટમાં મરેલી ઇયળ જોઈને દંગ રહી ગયા. જ્યારે તેના પર રેસ્ટોરાં મેનેજમેન્ટને સવાલ કરવામાં આવ્યો તો તેઓ કોઈ સંતોષકારક જવાબ ન આપી શક્યા.

Dead-worm
indiatoday.in

 

તેના પર IAS અધિકારીએ તાત્કાલિક ફૂડ એન્ડ સપ્લાઈ વિભાગને ફરિયાદ કરી. ફરિયાદ મળતા જ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને રેસ્ટોરાંમાંથી પનીર, કાજુ, મગફળી અને લીલી ચટણીના સેમ્પલ જપ્ત કરીને પરીક્ષણ માટે કરનાલ લેબમાં મોકલી આપ્યા. જો તપાસમાં કોઈપણ પ્રકારની ગરબડી મળશે તો FSSAI દ્વારા રેસ્ટોરાંનું લાઇસન્સ રદ કરી શકાય છે.

આ મામલા સાથે જોડાયેલા એક વીડિયોમાં મહિલા ગ્રાહક ભોજનમાં ઇયળ મળવાને લઈને રેસ્ટોરાંની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે કહેતી સંભળાય છે કે, જ્યારે રેસ્ટોરાં બજારથી બમણા ભાવે સામાન વેચે છે, તો ગુણવત્તામાં આવી બેદરકારી કેવી રીતે હોઈ શકે? તપાસ દરમિયાન, એ પણ સામે આવ્યું કે રેસ્ટોરાં મેનેજર પાસે કીટ નિયંત્રણ રેકોર્ડ અને FSSAI/FOSCOS સાથે સંબંધિત ટ્રેનિંગ પ્રમાણપત્ર પણ નહોતા. વિભાગે સેલેસ્ટે રેસ્ટોરાંને કારણ બતાવો નોટિસ આપી છે અને તેમના જવાબની સમીક્ષા કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે, અધિકારીઓ તપાસમાં વ્યસ્ત છે, પરંતુ કેમેરા સામે બોલતા બચી રહ્યા છે.

Dead-worm2
x.com/timesofindia

 

નિરીક્ષણ બાદ, રેસ્ટોરાંને નોટિસ આપવામાં કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે રેસ્ટોરાં મેનેજમેન્ટને 10 દિવસની અંદર કીટ નિયંત્રણ રેકોર્ડ અને FSSAI ફૂડ સેફ્ટી ટ્રેનિંગ સર્ટિફિકેટ જેવા તમામ જરૂરી દસ્તાવેજ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. તો, રેસ્ટોરાં મેનેજરે સ્વીકાર્યું કે ફૂડ સેફ્ટી ટીમે તેમના રસોડાની તપાસ કરી અને સેમ્પલ લીધા, પરંતુ તેમણે તેને નિયમિત તપાસ પ્રક્રિયા ગણાવી.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.