AAPનો મોટો આરોપ- દિલ્હીને જાણી જોઇને ડુબાડાઈ, BJP જવાબદાર, હથનીકુંડનું પાણી...

દિલ્હીમાં પૂરના પાણી  હજુ તો ઓસર્યા પણ નથી કે દોષારોપણની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીને જાણીજોઈને ડુબાડવામાં આવ્યું છે અને હથનીકુંડથી બધું પાણી યમુના નદીમાં છોડવામાં આવ્યું. જેને કારણે દિલ્હી પાણીમાં ડુબી દઇ.

દિલ્હીમાં ભલે યમુનાના જળસ્તર ઘટી રહ્યું હોય, પરંતુ હજુ પણ કેટલાંક વિસ્તારો પૂરને કારણે પાણીમાં ડુબેલા છે. અનેક જગ્યાએ લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબુર છે. આ વચ્ચે દિલ્હીમાં આવેલા પૂરને લઇને રાજકારણ શરૂ થયું છે અને આરોપ-પ્રત્યારોપ શરૂ થઇ ગયા છે.

યમુના પૂરને લઈને રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીને જાણી જોઈને ડુબાડવામાં  આવ્યું અને તેના માટે ભાજપ જવાબદાર છે.

સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, દિલ્હીને જાણી જોઈને ડૂબાડી દેવામાં આવી છે. હથિનીકુંડ બેરેજમાંથી વધારાનું પાણી માત્ર દિલ્હી મોકલવામાં આવ્યું હતું. જ્યારે વેસ્ટર્ન કેનાલ માટે પાણી છોડવામાં આવ્યું ન હતું. ભારદ્વાજે કહ્યુ કે સુપ્રીમ કોર્ટ સહિત દિલ્હીની મહત્ત્વપૂર્ણ સંસ્થાકીય ઇમારતોને ડુબાડી દેવાનું ષડયંત્ર હતું.

સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે LGના ખાસ અધિકારીઓ જેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ ઓફિસર તેમના મંત્રી આતિશીનો ફોન ઉપાડતા નથી. તેઓએ કહ્યું કે રાહત શિબિરોની હાલત ખરાબ છે, ત્યાં ભોજન નથી કારણ કે અધિકારીઓ પગલા નથી લઈ રહ્યા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે જે અધિકારીઓ રાહત શિબિરોનું સંચાલન કરી શકતા નથી તેમણે રાજીનામું આપવું જોઈએ.

AAP સાંસદ સંજય સિંહે કહ્યું, હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને UP પૂરથી સંપૂર્ણપણે પ્રભાવિત છે. દિલ્હીમાં ત્રણ દિવસથી વરસાદ નથી, તો શું છે પૂરનું કારણ, શું છે તેની પાછળનું કારણ. તેનું કારણ છે દિલ્હી પ્રત્યે ભાજપ અને કેન્દ્રની દુર્ભાવના, દિલ્હીને બરબાદ કરવાનું ષડયંત્ર, મોદીજીની દિલ્હી પ્રત્યેની નફરત.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ITO બૈરાજ પર 32માંથી 5 ગેટ બંધ છે. જેને હરિયાણા સરકાર સંભાળે છે. એ બંધ હોવાને કારણે પાણીની નિકાસ આગળ તરફ અવરોધ થઇ રહી છે. નેવી અને આર્મીને સાથે મળીને અમે તેને ખોલવાની કોશિશ કરી રહ્યા છે. આ ગેટ ખુલવાને કારણે પાણીનું વહેણ દિલ્હીથી આગળ તરફ ઝડપથી  વધી શકશે.

એ પહેલાં શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં તો અત્યારે વરસાદ પડતો નથી, અત્યારે બધું પાણી હિમાચલ પ્રદેશ અને હરિયાણાથી આવી રહ્યું છે. આ આપણું સ્થાનિક પાણી નથી, પરંતુ દિલ્હીમાં આજ સુધી આટલું પાણી સંભાળવાની ક્ષમતા નહોતી. 1978 પછી પહેલીવાર આટલું પાણી આવ્યું છે. આ સમય રાજનીતિનો નથી, એકબીજા પર દોષારોપણ કરવાને બદલે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. હવામાન વિભાગ તરફથી જે માહિતી મળી છે, આવતીકાલથી દિલ્હીમાં ફરી વરસાદની સંભાવના છે. જો વરસાદ નહીં આવે તો એકાદ-બે દિવસમાં બધું સામાન્ય થઈ જશે, પરંતુ જો વધુ વરસાદ પડે તો સ્થિતિ બદલાશે.

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે આમ આદમી પાર્ટી સરકાર સામે નિશાન સાધીને કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દિલ્હીમાં પૂર આવ્યું છે. આ સ્થિતિ મારા માટે આશ્ચર્યજનક નથી, કારણ કે દિલ્હીની વર્તમાન સરકારે પાયાના ઇન્ફ્રસ્ટ્રકચરના કામ માટે કોઇ પૈસા ખર્ચ્યા જ નથી.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.