તાજમહલ-કુતુબમિનારને તોડી પાડી દુનિયાનું સૌથી સુંદર મંદિર બનાવવામાં આવે: BJP MLA

આસામના ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રૂપજ્યોતિ કુર્મીએ વિવાદિત નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું છે કે, મુઘલ બાદશાહ શાહજહાં તરફથી બનાવવામાં આવેલો તાજમહાલ પ્રેમનું પ્રતિક નથી. મુમતાજ મહલની યાદમાં બનાવવામાં આવેલા તાજમહલને લઈને ઊભા સવાલ કરવામાં આવ્યા. તાજમહલને દુનિયા પ્રેમની સૌથી મોટી નિશાની માને છે, જેને જોવા માટે દર વર્ષે લાખો પર્યટકો આવે છે. રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે, તાજમહલ પ્રેમનું પ્રતિક નથી. શાહજહાંએ પોતાની ચોથી પત્ની મુમતાજની યાદમાં તાજમહલ બનાવ્યો હતો.

જો તે મુમતાજને પ્રેમ કરતો હતો, તો તેણે મુમતાજના મોત બાદ બીજા ત્રણ વખત બીજા લગ્ન શા માટે કર્યા? રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે, શાહજહાંની બીજી બેગમોનું શું થયું? તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગ કરી કે, મુઘલ કાળમાં બનેલા તાજમહલ અને કુતુબમિનારને તોડી પાડવામાં આવે, તેની જગ્યાએ મંદિર બનાવવામાં આવે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે, તાજમહલ અને કુતુબમિનારને ધ્વસ્ત કરી દેવામાં આવે. અહી દુનિયાનું સૌથી સુંદર મંદિર બનાવવામાં આવે.

રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે, આ જગ્યાએ પર ભવ્ય મંદિરનું નિર્માણ થાય. આ નિર્માણની આસપાસ કોઈ અન્ય નિર્માણ પર તાત્કાલિક રોક લાગે. આ કામ માટે તેઓ પોતાની એક વર્ષની સેલેરી મંદિરમાં દાનમાં આપી દેશે. રૂપજ્યોતિ કુર્મીના આ નિવેદનની લોકો ખૂબ નિંદા કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, એક જવાબદાર અને સંવૈધાનિક પદ પર બેસેલા વ્યક્તિએ આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ. કેટલાક લોકોએ કહ્યું કે, આ નિવેદન ખૂબ જ ખોટું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, દેશનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. તો એક વર્ગ ભાજપના ધારાસભ્યના નિવેદનના વખાણ કરી રહ્યો છે.

શા માટે શાહજહાંએ બનાવ્યો હતો તાજમહલ?

તાજમહલને પ્રેમનું પ્રતિક પહેવામાં આવે છે. મુઘલ બાદશાહ શાહજહાંએ તેને વર્ષ 1632માં બનાવડાવ્યો હતો. મુમતાજ મહલ, શાહજહાંની ચોથી પત્ની હતી, તેની યાદમાં તાજમહલ બનાવવામાં આવ્યો હતો. એમ કહેવામાં આવે છે કે, તેનું મોત પોતાના 14મા સંતાનને જન્મ આપતી વખત થઈ ગયું હતું. તાજમહલ સફેદ સંગેમરમરનો એક ખૂબ જ સુંદર મકબરો છે. તે પોતાના શાનદાર વસ્તુશિલ્પના કારણે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. યુનેસ્કોના ધરોહર સ્થળોમાં તેને એક માનવામાં આવે છે. આ દંપતીના કુલ 14 સંતાન હતા, પરંતુ તેમાંથી માત્ર 7 જ જીવિત રહ્યા હતા. મુમતાજનું મોત ગર્ભાવસ્થા દરમિયાન 1631માં પોતાના છેલ્લા સંતાનને જન્મ આપતી વખત થયું હતું, તેની યાદમાં જ તાજમહલ શાહજહાંએ બનાવડાવ્યો હતો.

About The Author

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.