નોટબંધીમાં મોદી સરકારે ખરેખર કેટલુ બ્લેકમની પકડ્યું? હવે સત્ય બહાર આવી રહ્યું છે

વર્ષ 2016માં 8 નવેમ્બરના રોજ અચાનક જ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટનાને નોટબંદી નામ મળ્યું. હવે નાણા મંત્રાલયના અધિકારીઓ પાસેથી જાણકારી મળી છે કે નોટબંદી બાદ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે કુલ 900 કરોડ રૂપિયા રોકડ અને 8,000 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ જપ્ત કરી છે. એટલું જ નહીં, નોટબંદી બાદ ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારા લોકોની સંખ્યામાં 25 ટકાનો જોરદાર વધારો પણ જોવા મળ્યો. તેનો ફાયદો સરકારને મળતા ટેક્સમાં પણ જોવા મળ્યો.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, નવેમ્બર 2016 અને માર્ચ 2017 વચ્ચે નોટબંદી બાદ 900 કરોડ રૂપિયાની જપ્ત થઇ, જેમાં 636 કરોડ રૂપિયાની રોકડ અને ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા ચલાવવા આવેલા તપાસ અને જપ્ત અભિયાનો દ્વારા લગભગ 7,961 કરોડ રૂપિયાની અઘોષિત આવક સામેલ છે. નાણાં મંત્રાલયના અધિકારીઓ મુજબ, નોટબંદીથી ન માત્ર કાળા ધનની જાણકારી મળી, પરંતુ તેનાથી ટેક્સ કલેક્શનમાં પણ વધારો થયો અને ટેક્સ બેઝનો વિસ્તાર થયો.

સત્તાવાર અધિકારીઓ મુજબ, નોટબંદીની કવાયત બાદ જ્યારે સરકારે 8 નવેમ્બર 2016ની સાંજે અચાનક 500 અને 1000 કિંમતની કરન્સી નોટો બંધ કરવાની જાહેરાત કરી તો ત્યારબાદ ટેક્સ કલેક્શનમાં 18 ટકાની વૃદ્ધિ જોવા મળી, જે છેલ્લા 7 નાણાકીય વર્ષોમાં સૌથી વધુ હતી. નાણાં મંત્રાલયના આંકડાઓ મુજબ, ડિમોનેટાઇઝેશનના સકારાત્મક પ્રભાવના કારણે દેશમાં કર અનુપાલનમાં વૃદ્ધિ થઇ કેમ કે વર્ષ 2017-18 દરમિયાન, વ્યક્તિગત આવક એડવાન્સ ટેક્સ કલેક્શનમાં 23.4 ટકાનો વધારો થયો, જ્યારે વર્ષ 2016-17માં વ્યક્તિગત ઇનકમ સ્વ-મૂલ્યાંકન કરમાં 29 ટકાની વૃદ્ધિ થઇ.

તેનાથી ખબર પડે છે કે, નોટબંદી ગેર કોર્પોરેટ અને વ્યક્તિગત કરદાતાઓના સ્વેચ્છિક ટેક્સ પેમેન્ટ પર મોટો પ્રભાવ પડ્યો, એ સિવાય વર્ષ 2017-18 દરમિયાન દાખલ કરવામાં આવેલા ઇનકમ રિટર્ન (ITR)માં 25 ટકાની વૃદ્ધિ હાંસલ કરવામાં આવી, જે છેલ્લા 5 વર્ષોમાં હાંસલ કરવામાં આવેલો ઉચ્ચતમ દર હતો. વર્ષ 2016-17 દરમિયાન 85.51 લાખની તુલનામાં વર્ષ 2017-18 દરમિયાન નવા ITR ફાઇલ કરનારા લોકોની સંખ્યા લગભગ 1.07 કરોડ હતી. વર્ષ 2017-18 દરમિયાન કોર્પોરેટ કરદાતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલા રિટર્નની સંખ્યામાં 17.2 ટકાનો વધારો જોવા મળ્યો. તે વર્ષ 2016-17માં 3 ટકા અને વર્ષ 2015-16માં 3.5 ટકાના વિકાસ દરથી 5 ગણો વધારે હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.