VIDEO: રોપ વેમાં કાલથી ફસાયા છે અનેક લોકો, 1નું મોત, આર્મી આવી બચાવમાં

ઝારખંડ રાજ્યના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર મોટી દુર્ઘટના થઈ છે. રવિવારે સાંજે પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવેલા રોપ વેની ટ્રોલી સામસામે અથડાઈ જતા દુર્ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતું. જ્યારે 48માંથી 8ને રેસ્ક્યૂ કરી લીધા છે 40 લોકો હજું બાકી છે. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે હવે ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. MI17 હેલિકોપ્ટરથી રેસક્યુ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે.

ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે NDRFની ટીમની મદદ લેવાઈ છે. જે સતત રેસક્યુ ઑપરેશન કરી રહી છે. પણ હેલિકોપ્ટરના ભારે પવનને કારણે ટ્રોલી ડામાડોળ થઈ રહી છે. જેનાથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. દેવઘર જિલ્લા વહીવટી તંત્રની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. લોકોને ઝડપથી બહાર કાઢવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. રવિવારે રામનવમી હોવાથી હજારોની સંખ્યામાં લોકો અહીં ફરવા માટે આવ્યા હતા. રોપ વૅની મજા લેવા માટે આવ્યા હતા.

અચાનક ટ્રોલી એકબીજા સાથે અથડાઈ ગઈ અને આ ઘટના બની. આ ઘટનાને લઈને એક પ્રવાસીએ ત્યાં સુધી કહ્યું કે, આ ઘટના એવા સમય બની છે જ્યારે એક ટ્રોલી ઉપર જઈ રહી હતી અને બીજી નીચે આવી રહી હતી.

આ દરમિયાન ટ્રોલી એકબીજાના સંપર્કમાં આવી ગઈ પછી જોરદાર ટક્કર થઈ ગઈ હતી. જે પ્રવાસીઓને ઈજા પહોંચી છે એમને તાત્કાલિક સારવાર હેતું હોસ્પિટલ ખસેડ્યા છે. બે ટ્રોલી એકબીજા સાથે અથડાતા અન્ય ટ્રોલી પણ ડિસપ્લેસ થઈ ગઈ હતી. તો કેટલીક પથ્થર સાથે અથડાઈ ગઈ હતી.

આ ઘટના બાદ જિલ્લા ક્લેક્ટર મંજુનાથ ભૈજંત્રીએ કહ્યું કે, રોપ વૅ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર હેતું હોસ્પિટલ મોકલી દેવાયા છે. સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ઝારખંડ સરકારના મુખ્યસચિવ તાત્કાલિક બીજી ટીમ રવાના કરે. ત્રણ ત્રણ અલગ અલગ પહાડ આવેલા હોવાને કારણે આ પહાડીનું નામ ત્રિકુટ પર્વત છે. દેવઘર જિલ્લાથી 13 કિમી દૂર દુમકા રોડ પર આ ઘટના બની છે. આ જ પર્વત પર દેશની સૌથી મોટી રોપ વૅ સર્વિસ છે.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.