શાસ્ત્રી-મૌલાના બાખડ્યા, રઝા કહે- દિવાળી પ્રકાશનો તહેવાર, ફટાકડાનો નહીં...

On

બરેલીના મૌલાના તૌકીર રઝાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા ફટાકડા પર આપેલા નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. મૌલાનાએ કહ્યું કે, દિવાળી એ રોશનીનો તહેવાર છે, વિસ્ફોટ અને ફટાકડાઓનો તહેવાર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈની ખુશી વ્યક્ત કરતી વખતે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય તો તે ખુશીની અભિવ્યક્તિને ખરેખર ખુશી ન કહેવાય.

તૌકીર રઝાએ એમ પણ કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન હોવો જોઈએ પરંતુ એક મર્યાદા નક્કી કરવી જોઈએ. જો કોઈની ખુશીમાં જાન-માલનું નુકસાન થતું હોય તો, તેની સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. છેવટે, પર્યાવરણને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. તેમણે કહ્યું કે, મુસ્લિમ સમુદાયના લોકો શબ-એ-બારાત દરમિયાન ફટાકડાનો ઉપયોગ કરતા હતા, પરંતુ અમારા ઉલેમાઓએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

હકીકતમાં, ગઈકાલે બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધનો સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે બકરી ઈદ દરમિયાન બકરાની બલિ પર પ્રતિબંધ નથી, તો પછી ફટાકડા પર પ્રતિબંધ શા માટે? તેમણે કહ્યું હતું કે શું પર્યાવરણ સંતુલન માટે માત્ર સનાતની જ જવાબદાર છે? આ પક્ષપાત બંધ થવો જોઈએ. ખ્રિસ્તી નવા વર્ષે પણ ફટાકડા તો ફોડવામાં આવે જ છે.

મીડિયા સાથે વાત કરતા મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, પહેલા મુસ્લિમ તહેવારો પર પણ ફટાકડા ફોડવામાં આવતા હતા. મુસ્લિમ સમાજના લોકો શબ-એ-બરાત દરમિયાન ફટાકડા ફોડતા હતા, પરંતુ દેશના હિતને ધ્યાનમાં રાખીને અમારા ઉલેમાઓએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને આજે શબ-એ-બરાતના દિવસે ફટાકડા નહીં પરંતુ દીવા પ્રગટાવાય છે.

તૌકીરે તમામ ધર્મગુરુઓ પાસેથી તેમના સમાજને જાગૃત કરવાની માંગ કરી છે. લોકોને ફટાકડા ફોડવા વિશે સમજાવો. જો ફટાકડા ફોડવાના હોય તો તેની મર્યાદા નક્કી કરો. કારણ કે ફટાકડામાં દર વર્ષે અબજો રૂપિયાનો વ્યય થાય છે અને પ્રદુષણના રૂપમાં દેશની જનતાને તેનો ભોગ બનવું પડે છે. કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં દેશમાં ફટાકડા ફોડવા એ ખોટું છે.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.