શાસ્ત્રી-મૌલાના બાખડ્યા, રઝા કહે- દિવાળી પ્રકાશનો તહેવાર, ફટાકડાનો નહીં...

બરેલીના મૌલાના તૌકીર રઝાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા ફટાકડા પર આપેલા નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. મૌલાનાએ કહ્યું કે, દિવાળી એ રોશનીનો તહેવાર છે, વિસ્ફોટ અને ફટાકડાઓનો તહેવાર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈની ખુશી વ્યક્ત કરતી વખતે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય તો તે ખુશીની અભિવ્યક્તિને ખરેખર ખુશી ન કહેવાય.

તૌકીર રઝાએ એમ પણ કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન હોવો જોઈએ પરંતુ એક મર્યાદા નક્કી કરવી જોઈએ. જો કોઈની ખુશીમાં જાન-માલનું નુકસાન થતું હોય તો, તેની સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. છેવટે, પર્યાવરણને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. તેમણે કહ્યું કે, મુસ્લિમ સમુદાયના લોકો શબ-એ-બારાત દરમિયાન ફટાકડાનો ઉપયોગ કરતા હતા, પરંતુ અમારા ઉલેમાઓએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

હકીકતમાં, ગઈકાલે બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધનો સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે બકરી ઈદ દરમિયાન બકરાની બલિ પર પ્રતિબંધ નથી, તો પછી ફટાકડા પર પ્રતિબંધ શા માટે? તેમણે કહ્યું હતું કે શું પર્યાવરણ સંતુલન માટે માત્ર સનાતની જ જવાબદાર છે? આ પક્ષપાત બંધ થવો જોઈએ. ખ્રિસ્તી નવા વર્ષે પણ ફટાકડા તો ફોડવામાં આવે જ છે.

મીડિયા સાથે વાત કરતા મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, પહેલા મુસ્લિમ તહેવારો પર પણ ફટાકડા ફોડવામાં આવતા હતા. મુસ્લિમ સમાજના લોકો શબ-એ-બરાત દરમિયાન ફટાકડા ફોડતા હતા, પરંતુ દેશના હિતને ધ્યાનમાં રાખીને અમારા ઉલેમાઓએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને આજે શબ-એ-બરાતના દિવસે ફટાકડા નહીં પરંતુ દીવા પ્રગટાવાય છે.

તૌકીરે તમામ ધર્મગુરુઓ પાસેથી તેમના સમાજને જાગૃત કરવાની માંગ કરી છે. લોકોને ફટાકડા ફોડવા વિશે સમજાવો. જો ફટાકડા ફોડવાના હોય તો તેની મર્યાદા નક્કી કરો. કારણ કે ફટાકડામાં દર વર્ષે અબજો રૂપિયાનો વ્યય થાય છે અને પ્રદુષણના રૂપમાં દેશની જનતાને તેનો ભોગ બનવું પડે છે. કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં દેશમાં ફટાકડા ફોડવા એ ખોટું છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.