SCએ કેદીને એવું કહી છોડ્યો, મોત પહેલાના નિવેદનના આધારે તેને દોષી ન માની શકાય

સુપ્રીમ કોર્ટે મોતની સજા મેળવનારા એક કેદીને છોડી દીધો. એવું કહેતા કે માત્ર મોત પહેલા લીધેલા નિવેદનના આધારે કોઇને દોષી માની શકાય નહીં. આ કેદીને બે પીડિતાઓના નિવેદનના આધારે સજા આપવામાં આવી હતી. બંને પીડિતાઓના નિવેદન તેમની મોત પહેલા લેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મરતા પહેલા આપવામાં આવેલા નિવેદનના આધારે સજા આપી શકાય નહીં. આ નિવેદનો પર વિશ્વાસ કરતા સમયે સાવચેતી રાખવી જોઇએ.

સુપ્રીમ કોર્ટે એક કેદીને છોડ્યો

એવું કહેવું અને ઘણી હદ સુધી માનવામાં આવે છે કે મરનાર વ્યક્તિ ક્યારેય જુઠ્ઠુ બોલતો નથી. જોકે, કોર્ટમાં માત્ર આના આધારે કોઇને દોષી ગણાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આવી વાત કહી છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટ કહી ચૂક્યું છે કે, કોર્ટ માટે આના પર સંતુષ્ટ થવું જરૂરી છે કે મોત પહેલા આપવામાં આવેલ નિવેદન સાચુ છે અને પોતાની ઇચ્છાથી આપવામાં આવ્યું છે. માત્ર ત્યારે જ આવા નિવેદન કોઈને દોષી સાબિત કરવાનો આધાર બની શકે છે.

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મોતની સજા મેળવાનારા કેદીની અપીલ પર આવી છે. 23 ઓગસ્ટનના રોજ 3 જજોની બેંચે આ કેદીને છોડી દીધો. કોર્ટે કહ્યું કે આ પ્રકારના દરેક કેસોમાં મરવા પહેલા આપવામાં આવેલા નિવેદનોની સાથે જ રેકોર્ડ પર ઉપલબ્ધ સાક્ષીઓ અને બીજાની વાતોનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઇએ.

ઈરફાન નામના વ્યક્તિને તેના બે ભાઈઓ અને દીકરાની હત્યાનો દોષી ગણાવ્યો હતો. આરોપ હતો કે વર્ષ 2014માં ઈરફાને પોતાના બે ભાઈઓ અને દીકરાને સૂતા સમયે આગ લગાવી દીધી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે ત્યાર પછી તેમને રૂમમાં બંધ કરી દેવામા આવ્યા હતા. આ કેસમાં કહેવાયું હતું કે ઈરફાને તેમની હત્યા એ કારણે કરી હતી કારણ કે મૃતક તેના બીજા લગ્નથી નાખુશ હતા. આગ લાગ્યાની ઘટના પછી ત્રણેય પીડિતોને પાડોશીઓ અને પરિવારના બીજા સભ્યો બચાવીને હોસ્પિટલ લઇ ગયા હતા. પણ અંતે ત્રણેયે દમ તોડી દીધો.

કોર્ટે કહ્યું કે માત્ર મોત પહેલા આપેલા નિવેદનના આધારે દોષ સાબિત કરવો યોગ્ય નથી. ઈરફાનના વકીલે મોત પહેલા પીડિતો દ્વારા આપવામાં આવેલા નિવેદનોની વિશ્વસનીયતા અને તેમની સ્થિતિને લઇ સવાલ ઊભા કર્યા હતા. કોર્ટે કહ્યું કે હાલના મામલામાં માત્ર મોત પહેલા આપવામાં આવેલા બે નિવેદનોને આધારે આરોપીને દોષી જાહેર કરવો મુશ્કેલ છે. એવામાં સુપ્રીમ કોર્ટ નીચલી અદાલત દ્વારા દોષી જાહેર કરવામાં આવેલા ઈરફાનને છોડી દેવાનો નિર્ણય આપે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.