ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો તો પણ 15 Km સુધી બસ ચલાવી, રાધનપુરની ઘટના

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) બસ ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. બસ ચલાવતી વખતે ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ છાતીમાં તીવ્ર દુખાવો નોંધાયા પછી પણ ડ્રાઇવરે બસ રોકી ન હતી અને ડ્રાઇવિંગ ચાલુ રાખ્યું હતું. ડ્રાઈવરે પીડામાં 15 કિલોમીટર સુધી બસ હંકારી હતી, પરંતુ બસ ડેપો પર પહોંચતા જ ડ્રાઈવર પોતાની સીટ પર પડી ગયો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી મુજબ રાધનપુર ડેપોમાં 10 માર્ચે સવારે આ ઘટના બની હતી. બસના કંડક્ટર દિનેશ દેસાઈએ જણાવ્યું હતું કે ડ્રાઈવર ભારમલ આહિરે છાતીમાં દુખાવો અને અસ્વસ્થતાને અવગણીને 20 મિનિટ સુધી બસ ચલાવી હતી. ડ્રાઇવરે મુસાફરોને વિલંબ ન કરવાનો પ્રયાસ કર્યો અને તેમને સમયસર પહોંચતા કર્યા. બસ રાધનપુર ડેપોમાં પહોંચતા જ તેઓ નીચે પડી ગયા હતા. જે બાદ તેને સારવાર માટે રાધનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ભારમલ આહિર રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે બસ દ્વારા સોમનાથથી નીકળ્યા હતા અને સોમવારે સવારે લગભગ 7.05 વાગ્યે રાધનપુર પહોંચ્યા હતા. સોમવારે સવારે મુસાફરોને ચા-પાણી કરાવવા માટે રાધનપુરથી લગભગ 15 Km દૂર વારાહી પાસે બસને રોકી દેવામાં આવી હતી. કંડક્ટર દિનેશ દેસાઈએ જણાવ્યું કે, જ્યારે ભારમલ આહિરે અહીંથી બસ લીધી ત્યારે તેણે છાતીમાં દુખાવો અને અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી. તેઓએ મને કહ્યું કે તેને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે. નહિ તો તે મરી જશે. આ પછી પણ, તેણે બસ 15 Km સુધી ચલાવી, કારણ કે તે મુસાફરોને પરેશાન કરવા માંગતો ન હતો. જો તેણે આ દર્દને અવગણ્યું ન હોત, તો તે કદાચ જીવતો હોત. અમે બસ ડેપો પર 15 મિનિટ મોડા પહોંચ્યા અને તે પછી તે તેની સીટ પર પડી ગયો.

ડેપો મેનેજર વિશાલ ગોહિલે જણાવ્યું હતું કે, બસ રાધનપુર ડેપોમાં પહોંચી ત્યારે કંડક્ટરે કંટ્રોલરને ફોન કરીને જાણ કરી હતી કે, ભારમલ આહીરની તબિયત સારી નથી. ત્યાં સુધીમાં ભારમલ આહીર પડી ગયો હતો. જે બાદ ડેપોનો સ્ટાફ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ ડોક્ટરે તેને રાધનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ભારમલ આહિરના પરિવારમાં તેમની પત્ની રાય અને પુત્રો અમૂલ, 12, અને દીક્ષાંત, 3 છે. તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે છેલ્લા પાંચ વર્ષથી ફિક્સ પગાર પર કામ કરતો હતો. થોડા મહિના પહેલા જ તેમને કાયમી કરવામાં આવ્યા હતા. મૃતકના મામા જતીનભાઈએ જણાવ્યું હતું કે તેઓ આખી રાત વાહન ચલાવતા હતા અને મુસાફરોને પરેશાન કરવા માંગતા ન હતા.

કંડક્ટરના જણાવ્યા મુજબ ભારમલ આહિરના પિતાનું પણ નાની ઉંમરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ભારમલ આહિર એક નિષ્ઠાવાન ડ્રાઈવર હતો અને તેણે પાંચ વર્ષમાં ક્યારેય બીમારીની રજા લીધી ન હતી. તે હંમેશા તેની શિફ્ટ સમાપ્ત થવાની રાહ જોતો હતો, જેથી તે તેના પરિવાર પાસે જઈ શકે. પરંતુ કમનસીબે આ ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.