આ મોદી મેજિક નહીં તો બીજું શું, અજીત પવારે PMના કર્યા વખાણ,EVMનો પણ કર્યો સપોર્ટ

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અજીત પવારે ચૂંટણીમાં EVMના ઉપયોગનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, મને EVM પર પૂરો ભરોસો છે. કોઈ એક વ્યક્તિ EVMમાં હેરાફેરી નહીં કરી શકે, તે એક મોટી પ્રણાલી છે. હારનારી પાર્ટી EVMને દોષ આપે છે, પરંતુ આ લોકોનો જનાદેશ છે. અજીત પવારને પૂછવામાં આવ્યું કે, MVAમાં સામેલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના મુખપત્ર સામનામાં EVMને લઈને નિશાનો સાધવામાં આવ્યો છે. સામનામાં કેન્દ્ર સરકારને બાંગ્લાદેશની જેમ EVMની જગ્યાએ બેલેટ બોક્સથી ચૂંટણી કરાવવાનો પડકાર આપ્યો.

તેને લઈને અજીત પવારે કહ્યું કે, મને વ્યક્તિગત રૂપે EVM પર પૂરો ભરોસો છે. જો EVM ખરાબ હોત તો, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, કેરળ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓની સરકાર ન હોત. EVMમાં ફેરફેરી કરવાનું એક વ્યક્તિ દ્વારા સંભવ નથી કેમ કે તે મોટી પ્રણાલી છે. જો કોઈક રીતે સાબિત થઈ જાય છે કે EVMમાં છેડછાડ કરવામાં આવી તો દેશમાં ખૂબ હોબાળો થશે. એટલે મને નથી લાગતું કે એવું કોઈ કરવાની હિંમત કરશે.

તેમણે આગળ કહ્યું કે, ક્યારેક ક્યારેક કેટલાક લોકો ચૂંટણી હારી જાય છે તો તેમને લાગે છે કે તેઓ હારી નહીં શકે અને પછી EVM પર આરોપ લગાવવા લાગે છે અને તેનાથી છુટકારો મેળવી લે છે. પરંતુ એ લોકોનો વાસ્તવિક જનાદેશ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને સાવરકર જેવા મુદ્દા પર NCPનું સ્ટેન્ડ પૂછવા પર અજીત પવારે કહ્યું કે, જે પાર્ટીના માત્ર 2 સાંસદ હતા, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014માં જાણદેશથી સરકાર બનાવી અને દેશના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી ગઈ તો શું એ મોદીનો ચમત્કાર નથી?

તેમની વિરુદ્ધ ખૂબ નિવેદન આપવામાં આવ્યા, પરંતુ તેઓ હજુ વધારે લોકપ્રિય થઈ ગયા અને તેમના નેતૃત્વમાં ભાજપે ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતી. હવે 9 વર્ષ બાદ આ મુદ્દાઓને કાઢવાનો શું ફાયદો? જનતા તેમના કામને જોઈ રહી છે, જ્યાં રાજનીતિમાં શિક્ષણનો સવાલ છે તો તેનું વધારે મહત્ત્વ માનવામાં આવતું નથી. વસંતદાદા પાટીલની જેલ 4 એવા મુખ્યમંત્રી છે જે વધારે ભણેલા-ગણેલા નહોતા, પરંતુ તેમની પ્રશાસન ચલાવવાની રીત શાનદાર હતી. તેમના શાસનકાળમાં ઘણી શિક્ષણ સંસ્થાઓ, કૉલેજ ખોલવામાં આવી. એટલે રાજનીતિમાં ભણેલું-ગણેલું હોવું કોઈ શરત નથી. એટલે આ મામલે મારું સ્ટેન્ડ ક્લિયર છે. તમારે જે અર્થ કાઢવો હોય કાઢી શકો છો. એ મારી ચિંતાનો વિષય નથી.

About The Author

Related Posts

Top News

બંગાળમાં મોટી બબાલ, બેલેટ બોક્સ ખૂલવાની વાત સાંભળતા મમતા બેનર્જી સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા, ECએ આપ્યો જવાબ, જાણો સંપૂર્ણ કહાની

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ, એક મોટો વિવાદ ફાટી નીકળ્યો. મામલો હતો EVM અને પોસ્ટલ બેલેટ...
Politics 
બંગાળમાં મોટી બબાલ, બેલેટ બોક્સ ખૂલવાની વાત સાંભળતા મમતા બેનર્જી સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા, ECએ આપ્યો જવાબ, જાણો સંપૂર્ણ કહાની

એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

આજકાલ, હિમાચલ પ્રદેશમાં લગ્ન હવે ફક્ત ધાર્મિક રીતિ રિવાજો સુધી મર્યાદિત નથી રહી ગયા, પરંતુ તેમની અનોખી વાર્તાઓને...
National 
એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પુરી થઇ ગઈ છે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે....
National 
કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

શું કર્ણાટકમાં CM બદલાઈ જશે? શું DK શિવકુમાર CM સિદ્ધારમૈયાનું સ્થાન લેશે? આ તમામ એવા સવાલો છે કે...
National 
'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.