આ મોદી મેજિક નહીં તો બીજું શું, અજીત પવારે PMના કર્યા વખાણ,EVMનો પણ કર્યો સપોર્ટ

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અજીત પવારે ચૂંટણીમાં EVMના ઉપયોગનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, મને EVM પર પૂરો ભરોસો છે. કોઈ એક વ્યક્તિ EVMમાં હેરાફેરી નહીં કરી શકે, તે એક મોટી પ્રણાલી છે. હારનારી પાર્ટી EVMને દોષ આપે છે, પરંતુ આ લોકોનો જનાદેશ છે. અજીત પવારને પૂછવામાં આવ્યું કે, MVAમાં સામેલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના મુખપત્ર સામનામાં EVMને લઈને નિશાનો સાધવામાં આવ્યો છે. સામનામાં કેન્દ્ર સરકારને બાંગ્લાદેશની જેમ EVMની જગ્યાએ બેલેટ બોક્સથી ચૂંટણી કરાવવાનો પડકાર આપ્યો.

તેને લઈને અજીત પવારે કહ્યું કે, મને વ્યક્તિગત રૂપે EVM પર પૂરો ભરોસો છે. જો EVM ખરાબ હોત તો, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, કેરળ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓની સરકાર ન હોત. EVMમાં ફેરફેરી કરવાનું એક વ્યક્તિ દ્વારા સંભવ નથી કેમ કે તે મોટી પ્રણાલી છે. જો કોઈક રીતે સાબિત થઈ જાય છે કે EVMમાં છેડછાડ કરવામાં આવી તો દેશમાં ખૂબ હોબાળો થશે. એટલે મને નથી લાગતું કે એવું કોઈ કરવાની હિંમત કરશે.

તેમણે આગળ કહ્યું કે, ક્યારેક ક્યારેક કેટલાક લોકો ચૂંટણી હારી જાય છે તો તેમને લાગે છે કે તેઓ હારી નહીં શકે અને પછી EVM પર આરોપ લગાવવા લાગે છે અને તેનાથી છુટકારો મેળવી લે છે. પરંતુ એ લોકોનો વાસ્તવિક જનાદેશ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને સાવરકર જેવા મુદ્દા પર NCPનું સ્ટેન્ડ પૂછવા પર અજીત પવારે કહ્યું કે, જે પાર્ટીના માત્ર 2 સાંસદ હતા, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014માં જાણદેશથી સરકાર બનાવી અને દેશના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી ગઈ તો શું એ મોદીનો ચમત્કાર નથી?

તેમની વિરુદ્ધ ખૂબ નિવેદન આપવામાં આવ્યા, પરંતુ તેઓ હજુ વધારે લોકપ્રિય થઈ ગયા અને તેમના નેતૃત્વમાં ભાજપે ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતી. હવે 9 વર્ષ બાદ આ મુદ્દાઓને કાઢવાનો શું ફાયદો? જનતા તેમના કામને જોઈ રહી છે, જ્યાં રાજનીતિમાં શિક્ષણનો સવાલ છે તો તેનું વધારે મહત્ત્વ માનવામાં આવતું નથી. વસંતદાદા પાટીલની જેલ 4 એવા મુખ્યમંત્રી છે જે વધારે ભણેલા-ગણેલા નહોતા, પરંતુ તેમની પ્રશાસન ચલાવવાની રીત શાનદાર હતી. તેમના શાસનકાળમાં ઘણી શિક્ષણ સંસ્થાઓ, કૉલેજ ખોલવામાં આવી. એટલે રાજનીતિમાં ભણેલું-ગણેલું હોવું કોઈ શરત નથી. એટલે આ મામલે મારું સ્ટેન્ડ ક્લિયર છે. તમારે જે અર્થ કાઢવો હોય કાઢી શકો છો. એ મારી ચિંતાનો વિષય નથી.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.