પૂર્વ સાંસદ પપ્પુ યાદવે કહ્યું- BJP સત્તા માટે રામ મંદિર પર હુમલો કરાવી શકે છે

હજુ થોડા દિવસો પહેલા જમ્મૂ-કશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિકે દાવો કર્યો હતો કે ભાજપ લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિર પર બોંબ ફેંકાવી શકે છે. હવે બિહારના નેતા અને એક જમાનામાં લાલુ પ્રસાદ યાદવના ખાસ ગણાતા પપ્પુ યાદવે દાવો કર્યો છે કે, ભાજપ સત્તા મેળવવા માટે રામ મંદિર પર હુમલો કરાવી શકે છે. સીતમઢીમાં પત્રકારો સાથે વાત કરતા પૂર્વ સાંસદ પપ્પુ યાદવે આરોપ મુકતા કહ્યુ હતું કે, ગોધરા  અને પુલવામાં જેવી ઘટનાઓને સત્તા મેળવવા માટે જ અંજામ આપવામાં આવ્યો હતો.

બિહારમાં જન અધિકાર પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવ શુક્રવારે મનિયાડીહ ગામ પહોંચ્યા હતા. તેઓ હરિયાણા ગુરુગ્રામની હિંસામાં ભોગ બનેલા હાફિઝ સાદના પરિવારને મળવા આવ્યા હતા. એ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા પપ્પુ યાદવે આરોપુ મુક્યો હતો કે ગોધરા અને પુલવામાં જેવી ઘટનાઓને અંજામ આપીને સત્તામાં આવેલી ભાજપ રામ મંદિર પર પણ હુમલો કરાવી શકે છે. તેમણે હાફિઝ સાદની હત્યાને ભારતના બંધારણની હત્યા તરીકે લેખાવી હતી.

પપ્પુ યાદવે કહ્યું કે 9 વર્ષના શાસનમાં ભાજપ બંધારણની ધજિયા ઉડાવી રહી છે.તે RSSના ઈશારે કામ કરે છે. દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવો એ ભાજપનું જ કામ છે. નાથુરામ ગોડસેએ જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી ત્યારે જ દેશના બંધારણની હત્યા કરવામાં આવી હતી. ભાજપના શાસનમાં દલિતો, લઘુમતી અને પછાત લોકોની ઇજ્જત સાથે ખિલવાડ થઇ રહ્યો છે.

પૂર્વ સાસંદ પપ્પુ યાદવે આગળ કહ્યું કે,મણિપુરમાં એક દલિત મહિલાની નગ્ન પરેડ કરવામાં આવી અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. ટ્રેનમાં જાતિ અને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવે છે. દેશમાં આવી અનેક ઘટનાઓ બની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુપ છે. યાદવે હાફિઝના હત્યારાને ફાંસીની સજાની માંગ કરી હતી. જો કે, પપ્પુ યાદવે હરિયાણામાં બજરંગ દળના સરઘસ પર કોણે હુમલો કર્યો, વાહનોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું તેના પર એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. આ માટે તેમણે સીધો ભાજપ અને ત્યાંની રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી.

પપ્પુ યાદવે મૃતક હાફિઝ સાદના પરિવારજનોને રોકડા 50,000 રૂપિયાની સહાય કરી હતી અને સાદની 3 બહેનોના લગ્નનો ખર્ચ અને નાના ભાઇના શિક્ષણની જવાબદારી લેવાની પણ વાત કરી હતી.

About The Author

Related Posts

Top News

એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ કેમ થયું? એ કયા કારણો હતા જેના કારણે અમદાવાદથી ફ્લાઇટ પૂર્ણ ન થઈ શકી? આ...
Gujarat 
 એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.