પૂર્વ સાંસદ પપ્પુ યાદવે કહ્યું- BJP સત્તા માટે રામ મંદિર પર હુમલો કરાવી શકે છે

હજુ થોડા દિવસો પહેલા જમ્મૂ-કશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિકે દાવો કર્યો હતો કે ભાજપ લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિર પર બોંબ ફેંકાવી શકે છે. હવે બિહારના નેતા અને એક જમાનામાં લાલુ પ્રસાદ યાદવના ખાસ ગણાતા પપ્પુ યાદવે દાવો કર્યો છે કે, ભાજપ સત્તા મેળવવા માટે રામ મંદિર પર હુમલો કરાવી શકે છે. સીતમઢીમાં પત્રકારો સાથે વાત કરતા પૂર્વ સાંસદ પપ્પુ યાદવે આરોપ મુકતા કહ્યુ હતું કે, ગોધરા  અને પુલવામાં જેવી ઘટનાઓને સત્તા મેળવવા માટે જ અંજામ આપવામાં આવ્યો હતો.

બિહારમાં જન અધિકાર પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવ શુક્રવારે મનિયાડીહ ગામ પહોંચ્યા હતા. તેઓ હરિયાણા ગુરુગ્રામની હિંસામાં ભોગ બનેલા હાફિઝ સાદના પરિવારને મળવા આવ્યા હતા. એ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા પપ્પુ યાદવે આરોપુ મુક્યો હતો કે ગોધરા અને પુલવામાં જેવી ઘટનાઓને અંજામ આપીને સત્તામાં આવેલી ભાજપ રામ મંદિર પર પણ હુમલો કરાવી શકે છે. તેમણે હાફિઝ સાદની હત્યાને ભારતના બંધારણની હત્યા તરીકે લેખાવી હતી.

પપ્પુ યાદવે કહ્યું કે 9 વર્ષના શાસનમાં ભાજપ બંધારણની ધજિયા ઉડાવી રહી છે.તે RSSના ઈશારે કામ કરે છે. દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવો એ ભાજપનું જ કામ છે. નાથુરામ ગોડસેએ જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી ત્યારે જ દેશના બંધારણની હત્યા કરવામાં આવી હતી. ભાજપના શાસનમાં દલિતો, લઘુમતી અને પછાત લોકોની ઇજ્જત સાથે ખિલવાડ થઇ રહ્યો છે.

પૂર્વ સાસંદ પપ્પુ યાદવે આગળ કહ્યું કે,મણિપુરમાં એક દલિત મહિલાની નગ્ન પરેડ કરવામાં આવી અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. ટ્રેનમાં જાતિ અને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવે છે. દેશમાં આવી અનેક ઘટનાઓ બની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુપ છે. યાદવે હાફિઝના હત્યારાને ફાંસીની સજાની માંગ કરી હતી. જો કે, પપ્પુ યાદવે હરિયાણામાં બજરંગ દળના સરઘસ પર કોણે હુમલો કર્યો, વાહનોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું તેના પર એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. આ માટે તેમણે સીધો ભાજપ અને ત્યાંની રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી.

પપ્પુ યાદવે મૃતક હાફિઝ સાદના પરિવારજનોને રોકડા 50,000 રૂપિયાની સહાય કરી હતી અને સાદની 3 બહેનોના લગ્નનો ખર્ચ અને નાના ભાઇના શિક્ષણની જવાબદારી લેવાની પણ વાત કરી હતી.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.