PM મોદીએ G20મા દુનિયાના નેતાઓને આપેલા અંગવસ્ત્રની કહાની ખૂબ રોચક

ભારતની અધ્યક્ષતામાં સંપન્ન થયેલા G20 શિખર સંમેલનમાં સામેલ રાષ્ટ્રીય અધ્યક્ષોનું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર અંગવસ્ત્ર ઓઢાવીને સ્વાગત કર્યું હતું. ખાદીના કપડાથી બનેલા આ વિશેષ અંગવસ્ત્ર ઉત્તર પ્રદેશના જલેસર ક્ષેત્રની એક એવી ફેક્ટ્રીમાં બનાવવામાં આવ્યું હતું, જેનો સંબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ સાથે છે. તેને જ્યોતિ ગ્રીન નામની એક ફેક્ટ્રીમાં બનાવવામાં આવ્યા હતા. તેના સંસ્થાપક અંકિત સિસોદિયા છે.

અંકિતે જણાવ્યું કે, MBA પૂરું કર્યા બાદ પહેલા તેઓ એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા હતા. વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમને સાંભળીને તેઓ પ્રેરિત થયા અને તેમણે પોતાના વ્યવસાયને સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. અંકિત સિસોદિયા બતાવે છે કે, 5 વર્ષ વર્ષ અગાઉ તેઓ એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા હતા. વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમને સાંભળીને તેઓ પ્રેરિત થયા અને તેમણે પોતાના વ્યવસાયને સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.

અંકિત સિસોદિયા બતાવે છે કે, 5 વર્ષ અગાઉ વડાપ્રધાનની વાતોથી પ્રેરિત થઈને તેમણે જૂની પારંપરિક રીતની જગ્યાએ અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને ખાદીના કપડાઓનું ઉત્પાદન શરૂ કર્યું. જ્યોતિ ગ્રીન નામની આ ફેક્ટ્રીની વિશેષતા એ છે કે તે ભારતની પહેલી અને એકમાત્ર સોલર ખાદી યુનિટ છે જે સૂર્યના પ્રકાશથી બનતી વીજળી પર નિર્ભર છે. અહીં બનનારા કપડાઓની સપ્લાઈ ભારત સરકારના ખાદી ઇન્ડિયાને કરવામાં આવે છે. હવે જ્યારે અહી અંગ વસ્ત્ર G20માં સામેલ થયેલા રાષ્ટ્રીય અધ્યક્ષોને આપવામાં આવ્યા છે તો જલેસર શહેર હવે આ વિશેષ અંગ વસ્ત્રના ઉત્પાદન માટે પણ ઓળખવામાં આવે છે.

આગ્રા ટૂરિસ્ટ વેલફેર ચેમ્બરના સચિવ વિશાલ શર્મા કહે છે કે જલેસર શહેર અગાઉ ઘૂંઘરું અને ઘંટીઓના નિર્માણ માટે દુનિયાભરતમાં પ્રસિદ્ધ રહ્યું છે, પરંતુ હવે આ ખાદીના કપડાઓના ઉત્પાદનથી પણ ઓળખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ આયોજિત G20 શિખર સંમેલનમાં સામેલ થયેલા રાષ્ટ્રીય અધ્યક્ષોએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નેતાઓનું સ્વાગત આ વિશેષ અંગવસ્ત્ર ઓઢાવીને કર્યું હતું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.