PM મોદીએ G20મા દુનિયાના નેતાઓને આપેલા અંગવસ્ત્રની કહાની ખૂબ રોચક

ભારતની અધ્યક્ષતામાં સંપન્ન થયેલા G20 શિખર સંમેલનમાં સામેલ રાષ્ટ્રીય અધ્યક્ષોનું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર અંગવસ્ત્ર ઓઢાવીને સ્વાગત કર્યું હતું. ખાદીના કપડાથી બનેલા આ વિશેષ અંગવસ્ત્ર ઉત્તર પ્રદેશના જલેસર ક્ષેત્રની એક એવી ફેક્ટ્રીમાં બનાવવામાં આવ્યું હતું, જેનો સંબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ સાથે છે. તેને જ્યોતિ ગ્રીન નામની એક ફેક્ટ્રીમાં બનાવવામાં આવ્યા હતા. તેના સંસ્થાપક અંકિત સિસોદિયા છે.

અંકિતે જણાવ્યું કે, MBA પૂરું કર્યા બાદ પહેલા તેઓ એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા હતા. વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમને સાંભળીને તેઓ પ્રેરિત થયા અને તેમણે પોતાના વ્યવસાયને સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. અંકિત સિસોદિયા બતાવે છે કે, 5 વર્ષ વર્ષ અગાઉ તેઓ એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા હતા. વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમને સાંભળીને તેઓ પ્રેરિત થયા અને તેમણે પોતાના વ્યવસાયને સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.

અંકિત સિસોદિયા બતાવે છે કે, 5 વર્ષ અગાઉ વડાપ્રધાનની વાતોથી પ્રેરિત થઈને તેમણે જૂની પારંપરિક રીતની જગ્યાએ અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને ખાદીના કપડાઓનું ઉત્પાદન શરૂ કર્યું. જ્યોતિ ગ્રીન નામની આ ફેક્ટ્રીની વિશેષતા એ છે કે તે ભારતની પહેલી અને એકમાત્ર સોલર ખાદી યુનિટ છે જે સૂર્યના પ્રકાશથી બનતી વીજળી પર નિર્ભર છે. અહીં બનનારા કપડાઓની સપ્લાઈ ભારત સરકારના ખાદી ઇન્ડિયાને કરવામાં આવે છે. હવે જ્યારે અહી અંગ વસ્ત્ર G20માં સામેલ થયેલા રાષ્ટ્રીય અધ્યક્ષોને આપવામાં આવ્યા છે તો જલેસર શહેર હવે આ વિશેષ અંગ વસ્ત્રના ઉત્પાદન માટે પણ ઓળખવામાં આવે છે.

આગ્રા ટૂરિસ્ટ વેલફેર ચેમ્બરના સચિવ વિશાલ શર્મા કહે છે કે જલેસર શહેર અગાઉ ઘૂંઘરું અને ઘંટીઓના નિર્માણ માટે દુનિયાભરતમાં પ્રસિદ્ધ રહ્યું છે, પરંતુ હવે આ ખાદીના કપડાઓના ઉત્પાદનથી પણ ઓળખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ આયોજિત G20 શિખર સંમેલનમાં સામેલ થયેલા રાષ્ટ્રીય અધ્યક્ષોએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નેતાઓનું સ્વાગત આ વિશેષ અંગવસ્ત્ર ઓઢાવીને કર્યું હતું.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.