અતિક અહમદને ઉમેશ પાલ અપહરણ કેસમાં અપાઇ સજા, હવે જિંદગી...

17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરજની MP-MLA કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો. કોર્ટે બાહુબલી અતિક અહમદ સહિત 3 આરોપીઓને દોષી કરાર આપતા આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે અપહારણના આ કેસમાં અતિક અહમદ સિવાય હનીફ, દિનેશ પાસીને પણ દોષી ઠેરવ્યા છે. કોર્ટે ત્રણેય પર 1-1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો. આ દંડ વસૂલીને ઉમેશ પાલના પરિવારજનોને આપવામાં આવશે. જ્યારે અતિકના ભાઈ અશરફ સહિત 7ને મુક્ત કે દેવામાં આવ્યા છે. ઉમેશ પાલ 2005માં થયેલા રાજૂ પાલ હત્યાકાંડમાં મુખ્ય સાક્ષી હતો.

કોર્ટનો આ નિર્ણય એટલે ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે કેમ કે ઉમેશની 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં પણ અતિક અહમદ, તેનો ભાઈ અશરફ, દીકરો અસદ સહિત 9 લોકો આરોપી છે. આ અગાઉ સોમવારે અતિક અહમદને સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. એ સિવાય એક અન્ય આરોપી ફરહાનને પણ અહી લઈ જવામાં આવ્યો હતો. ઉમેશપાલ અપહરણ કેસમાં કુલ 11 આરોપી હતા. તેમાંથી એકનું મોત થઈ ગયું હતું.

કોર્ટે અતિક અહમદ, દિનેશ પાસી ખાન, શૌલત હનીફ એમ 3 આરોપીઓને દોષી કરાર આપ્યો છે, જ્યારે અતિકનો ભાઈ અશરફ, ફરહાન, ઇસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને એજાજ અખ્તર એમ 7 લોકોને છોડી દીધા છે. તો અંસાર અહમદનું મોત થઈ ગયું હતું. રિપોર્ટ્સ મુજબ ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહમદ, દિનેશ પાસી અને શઔલત હાનિફને 36(A), 34, 120, 341, 342, 504, 506 કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે. અત્યારે બાકી આરોપીઓની વધારે જાણકારી સામે આવી નથી. એક રિપોર્ટ મુજબ 10માંથી 3 આરોપી કોર્ટમાં રજૂ થયા નહોતા, જેમની વિરુદ્ધ ગેર-જામિની વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. નિર્ણય બાદ કચેરી પરિસરમાં વકીલોએ ‘ફાંસી દો, ફાંસી દો’ના નારા પણ લગાવ્યા હતા.

સજાની બહેસ દરમિયાન અતિકે પોતાનો પક્ષ પણ રાખ્યો છે. અતિકના ગુનાઓની કહાની કેટલી ખતરનાક છે તેનો અંદાજો પણ તેનાથી લગાવી શકાય છે કે વર્ષ 2006માં જ્યારે ઉમેશ પાલનું અપહરણ થયું તો એક વર્ષ સુધી અતિક વિરુદ્ધ કોઈ કેસ પણ નોંધાવી શક્યું નહોતું. અતિક વિરુદ્ધ કેસ થયો ઉત્તર પ્રદેશની સત્તામાં BSP આવવા અને માયાવતીના મુખ્યમંત્રી બન્યા બાદ. ઉમેશે 5 જુલાઇ 2007ના રોજ અતિક અને તેની ગેંગ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. ઉમેશે તેમના પર અપહરણ કરીને પોતાની ઓફિસમાં લઈ જવા, બંધક બનાવવા, બળજબરીપૂર્વક એફિડેવિટ તૈયાર કરાવવા અને સાક્ષી અપાવવાનો આરોપ લગાવ્યો હતો.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.