ભારતના આ રાજ્યમાં મળ્યો 5.9 મિલિયન ટન લિથિયમનો મોટો ભંડાર, હવે બેટરી...

દેશમાં પહેલી વખત જમ્મુ-કશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો મોટો ભંડાર મળ્યો છે. લિથિયમ ભંડારની આ પહેલી સાઇટ છે, જેની ભારતીય ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI)એ રિયાસી જિલ્લામાં ઓળખ કરી છે. ઇલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઇલ ફોન જેવા ઉપકરણોમાં બેટરીમાં ઉપયોગ થનારા લિથિયમને બીજા દેશોથી આયાત કરવામાં આવે છે. રિયાસી જિલ્લામાં હવે તેના ભંડાર મળવાથી દેશની આયાત પર નિર્ભરતા ઓછી હશે. ભારતીય ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણે પહેલી વખત જમ્મુ-કશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ હેમાના ક્ષેત્રમાં 5.9 મિલિયન ટન લિથિયમ અનુમાનિત સંસાધન સ્થાપિત કર્યા છે.

લિથિયમ એક બિન-ફેરસ ધાતુ છે જે મોબાઇલ ફોન, લેપટોપ, ડિજિટલ કેમેરા અને ઇલેક્ટ્રિક વાહનો માટે રિચાર્જેબલ બેટરીમાં ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય તેનો ઉપયોગ રમકડાં અને ઘડિયાળો માટે પણ કરવામાં આવે છે. આ સમયે ભારત લિથિયમ માટે પૂરી રીતે બીજા દેશો પર નિર્ભર છે. માઇન્સ સેક્રેટરી વિવેક ભારદ્વાજે જણાવ્યું કે, દેશમાં પહેલી વખત જમ્મુ-કશ્મીરના રિયાસીમાં લિથિયમના ભંડારની શોધ કરવામાં આવી છે. પછી મોબાઇલ ફોન હોય કે સોલર પેનલ, મહત્ત્વપૂર્ણ ખનિજોની દરેક જગ્યાએ આવશ્યકતા હોય છે.

તેમણે કહ્યું કે, આત્મનિર્ભર બનવા માટે દેશ માટે મહત્ત્વપૂર્ણ ખનિજો જાણકારી મળી છે અને તેમને સંસાધિત કરવાનું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. જો સોનાનું આયાત ઓછું કરવામાં આવે છે તો આપણે આત્મનિર્ભર બની જઇશું. 62માં કેન્દ્રીય ભૂ-વૈજ્ઞાનિક પ્રોગ્રામિંગ બોર્ડ (CGPB)ની વૈજ્ઞાનિક બેઠક દરમિયાન લિથિયમ અને ગોલ્ડ સહિત 51 ખનીજોના બલોકો પર એક રિપોર્ટ રાજ્ય સરકારોને સોંપવામાં આવ્યો છે. ખનન મંત્રાલયે કહ્યું કે, આ 51 ખનીજ બલોકોમાંથી 5 બ્લોક સોના સાથે સંબંધિત છે.

એ સિવાય પોટાશ, મોલિબ્ડેનમ, બેસ મેટલ સાથે જોડાયેલા છે. આ મેટલ્સ 11 રાજ્યોને અલગ અલગ જિલ્લાઓમાં મળ્યા છે. આ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર (UT), આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, તામિલનાડુ અને તેલંગાણા સામેલ છે. ખનન મંત્રાલયે કહ્યું કે, જિયોઇન્ફોર્મેટિક્સ પર 55 કાર્યક્રમ, મૌલિક અને બહુ વિષયક ભૂ-વૈજ્ઞાન પર 140 કાર્યક્રમ અને તાલીમ અને સંસ્થાગત ક્ષમતા નિર્માણના 155 કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે.

ભારતીય ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI)ની સ્થાપન વર્ષ 1851માં રલાવે માટે કોયલાના ભંડારની જાણકારી મેળવવા માટે કરવામાં આવી હતી. આ વર્ષોમાં GSI ન માત્ર દેશમાં અલગ-અલગ વિસ્તારોમાં આવશ્યક ભૂ-વિજ્ઞાન સૂચનાઓના ભંડારના રૂપમાં વિકસિત થયો છે, પરંતુ ઇન્ટરનેશનલ ખ્યાતિના ભૂ-વૈજ્ઞાનિક સંગઠનનો દરજ્જો પણ હાંસલ કર્યો છે. તેનું મુખ્ય કાર્ય રાષ્ટ્રીય ભુ-વૈજ્ઞાનિક સૂચના અને ખનિજ સંસાધન મૂલ્યાંકનને બનાવવા અને અદ્યતન કરવા સાથે સંબંધિત છે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.