તમારી જાતે જ તક આપો, નહીં તો...; પાયલટના મંચ પરથી મંત્રીએ CM ગેહલોતને સંભળાવ્યું

રાજસ્થાનના પૂર્વ DyCM સચિન પાયલોટે સોમવારે કિસાન સંમેલનની શરૂઆત કરી હતી. તેમણે પહેલા દિવસે નાગૌરમાં PM મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર પ્રહારો કર્યા હતા. પાયલોટ પહેલા, તેમના ઘણા સમર્થક ધારાસભ્યોએ તેમના જ CM અશોક ગેહલોત પર નિશાન સાધ્યું અને સરકારની ખામીઓને પણ સૂચિબદ્ધ કરી. CM ગેહલોત કેબિનેટના મંત્રી હેમરામ ચૌધરીએ ખુલ્લેઆમ કહ્યું કે, સચિન પાયલોટની મહેનતના કારણે જ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની, પરંતુ આજે તેઓ માત્ર ધારાસભ્ય છે. CM ગેહલોતનું નામ લીધા વિના ચૌધરીએ કહ્યું કે, વડીલોએ હવે યુવાનો માટે જગ્યા છોડવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જો આમ નહીં થાય તો યુવાનો ધક્કા મારીને પોતાનું સ્થાન બનાવી લેશે, પરંતુ જો આવું થશે તો શું ઈજ્જત રહેશે.

નાગૌરના પરબતસરમાં, હેમારામ ચૌધરીએ કહ્યું, 'મારી ઉંમર હવે 75 વર્ષની થઇ ગઈ છે, તેમ છતાં હું આ ચૂંટણીમાં પદ માટે સ્થાન છોડું નહિ અને જો હું અન્યને તક ન આપું તો તે કેટલી હદે વાજબી છે.' અન્યને પણ તક મળવી જોઈએ. આજે યુવાનોને પણ આશા છે કે આપણો પણ મોકો આવશે. અમે પણ કોઈ દિવસ ચૂંટણી લડીશું, ધારાસભ્ય બનીશું, મંત્રી બનીશું. અમે તેમને તક આપીશું નહીં તો તેઓ ક્યાંથી મેળવશે. આપણે જે વૃદ્ધો 80થી સત્તા પર બેઠા છીએ, સંગઠનમાં બેઠા છીએ, તેઓએ વિચારવાની જરૂર છે. આપણે નહીં વિચારીએ તો યુવાનો ધક્કા મારીને આપણા સ્થાન પર કબ્જો કરી લેશે, એમાં શું ઈજ્જત રહેશે. એટલા માટે ઈજ્જત તો એમાં છે કે, આપણે પોતે તેમને તક આપી દઈએ.

મંત્રીએ કહ્યું કે સૌએ એકજૂથ થઈને કામ કરવું પડશે. તેણે કહ્યું, 'તાળી એક હાથે નથી વાગે, બંને હાથે વાગે છે. કેટલાક લોકો એક હાથે તાળી પાડવા માંગે છે. તે લોકોએ આ વાતને પોતાના મગજમાંથી કાઢી નાખવી જોઈએ, તાળી ક્યારેય એક હાથથી ન થઈ શકે, તાળી ત્યારે જ થશે જ્યારે બંને હાથ જોડાશે. દરેક વ્યક્તિએ કોંગ્રેસની મજબૂતી માટે કામ કરવું જોઈએ, પોતાની મજબૂતી માટે કામ કરવું જોઈએ નહીં.' ચૌધરીએ કહ્યું કે, 'તેમણે તેમના જીવનમાં પાયલટ જેવો નેતા ક્યારેય જોયો નથી. કોઈ પણ પદ વગરના છે તો પણ લોકોમાં એટલી જ લોકપ્રિયતા છે.

મંત્રીએ તેમની સરકારમાં વીજળી અને ખેડૂતોની હાલત પણ ખરાબ ગણાવી હતી. તેમણે કહ્યું, 'ખેડૂતોની હાલત બહુ સારી નથી. અમે સત્તામાં છીએ એટલે કહી શકતા નથી, પરંતુ આજે વીજળીની શું હાલત છે. અમારી પાસે લોકોના ફોન આવે છે કે અમને વીજળી મળતી નથી. ખેડૂતોના પાક બળી રહ્યાં (સિંચાઈ વિના) છે. ખેડૂતોએ પાકની વાવણી કરી લીધી. તેમના માટે કોણ વ્યવસ્થા કરશે? કાં તો તમે પહેલા કહ્યું હોત કે તમને વીજળી નહીં મળે. આજે તેણે વાવ્યું છે, પૈસા ખર્ચ્યા છે. આ માટે ખેડૂતો, સૌએ એક થવું પડશે. જો તમે એક થઈને લડશો નહીં તો તમારી સમસ્યાઓ હલ કરવી મુશ્કેલ થઈ જશે. તમે લોકો અડગ રહો.'

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.