આસામના મુખ્યમંત્રીએ કહ્યું- મિયાં વેપારીઓના કારણે શાકભાજીઓ થઈ મોંઘી

હાલના દિવસોમાં શાકભાજીઓની કિંમતો ચર્ચાનો વિષય બની ગઈ છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શાકભાજીઓની મોંઘવારી માટે મિયાં મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને આસામમાં શાકભાજીઓની મોંઘવારી પર સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે, ગુવાહાટીમાં શાકભાજીઓ એટલી મોંઘી કેમ છે? તેના જવાબમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે મિયાં વેપારી છે, જે મોંઘી કિંમતો પર શાકભાજીઓ વેચી રહ્યા છે.

આસામમાં શાકભાજીઓની કિંમત ઘણી બધી વધી ગઈ છે. તેને લઈને આસામ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. કોંગ્રેસે સરકાર પાસે શાકભાજીઓની કિંમત પર નિયંત્રણ માટે જરૂરી પગલાં ઉઠાવવાની માગ કરી છે. આ દરમિયાન પત્રકારોએ આસામના મુખ્યમંત્રીને મોંઘી શાકભાજીઓને લઈને સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, તેની પાછળ મિયાં વેપારી છે. આ જ મિયાં વેપારી મોંઘી કિંમતો પર શાકભાજીઓ વેચે છે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, ગામમાં શાકભાજીઓની કિંમત ઘણી ઓછી છે.

તેમણે કહ્યું કે, આજે આસામી વેપારી શાકભાજી વેંચતા તો તેઓ આસામિયા લોકો પાસેથી વધુ પૈસા ન લેતા, પરંતુ મિયાં વેપારી આસામિયા લોકો પાસેથી વધુ પૈસા લે છે. તેની સાથે જ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આસામના યુવાઓને આગળ આવીને શાકભાજી વેચવાના કામમાં સક્રિય થવા કહ્યું. જો આસામી યુવા એમ કરવા તૈયાર છે તો તેઓ તેમના માટે જગ્યા અપાવી દેશે. એટલું જ નહીં, તેમણે ફ્લાઇઓવર નીચેની એ જગ્યાને ખાલી કરાવવાની પણ વાત કહી, જ્યાં મિયા વેપારી શાકભાજીઓ અને ફળ વેચે છે.

ઉલ્લેખનીય છે કે, આસામમાં બંગાળી મૂળના મુસ્લિમો માટે મિયાં શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોકો મોટા પ્રમાણમાં શાકભાજીઓ અને માછલીના વેપારમાં સામેલ છે. આસામમાં મિયાં-મુસલમાનોને લઈને રાજકીય ખેચતાણ ચાલી રહી છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે આસામને મિયાં સમુદાય વિના અધૂરું બતાવ્યું હતું. આસામના મુખ્યમંત્રીએ તેના પર પણ આપત્તિ દર્શાવી હતી.

તેમણે કહ્યું હતું કે, અજમલનું એમ કહેવું આસામિયા સમુદાયનું અપમાન કરવા સામાન છે. આસામના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, મિયાં સમુદાયના લોકો બસો અને કેબ ચલાવે છે. એટલે ગુવાહાટીમાં ઈદના અવસર પર શહેરમાં બસોની અવરજવર ઓછી થઈ જાય છે અને ભીડ પણ ઓછી નજરે પડે છે.

Related Posts

Top News

RTIમાં સવાલ પૂછાયો- સરકારી ઓફિસમાં દિવસમાં કેટલા સમોસા પીરસવામાં આવે છે? કોર્ટ ગરમ...

બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં માહિતી અધિકાર (RTI) કાયદાના દુરુપયોગ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે...
National 
RTIમાં સવાલ પૂછાયો- સરકારી ઓફિસમાં દિવસમાં કેટલા સમોસા પીરસવામાં આવે છે? કોર્ટ ગરમ...

વોટ્સએપ અને ટેલિગ્રામને ટક્કર આપવા માટે આવી રહી છે પુતિનની નવી મેસેજિંગ એપ, શું તમે કરી શકશો તેનો ઉપયોગ?

સુરક્ષિત મેસેજિંગ એપ્સની દુનિયામાં હાલમાં વોટ્સએપ અને ટેલિગ્રામનું રાજ છે. અબજો યુઝર્સ ધરાવતા આ પ્લેટફોર્મ્સ એલોન મસ્કના એક્સ-ચેટ પર પણ...
Tech and Auto 
વોટ્સએપ અને ટેલિગ્રામને ટક્કર આપવા માટે આવી રહી છે પુતિનની નવી મેસેજિંગ એપ, શું તમે કરી શકશો તેનો ઉપયોગ?

14થી 22 જૂનમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આ તારીખે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હાલમાં કેટલીક જગ્યાએ તીવ્ર ગરમી અને બફારો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. જૂન...
Gujarat 
14થી 22 જૂનમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આ તારીખે ભારે વરસાદની આગાહી

ગર્ભ નિરોધક ગોળી ખાવાથી 27 વર્ષથી છોકરીને આવ્યો હાર્ટ એટેક? ડૉક્ટરે આપી ચેતવણી

મુંબઈમાં 27 વર્ષીય એક મહિલાને હાર્ટ એટેક આવ્યો. તે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS)થી પીડિત હતી અને તેને નીપટવા...
Health 
ગર્ભ નિરોધક ગોળી ખાવાથી 27 વર્ષથી છોકરીને આવ્યો હાર્ટ એટેક? ડૉક્ટરે આપી ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.