આસામના મુખ્યમંત્રીએ કહ્યું- મિયાં વેપારીઓના કારણે શાકભાજીઓ થઈ મોંઘી

હાલના દિવસોમાં શાકભાજીઓની કિંમતો ચર્ચાનો વિષય બની ગઈ છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શાકભાજીઓની મોંઘવારી માટે મિયાં મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને આસામમાં શાકભાજીઓની મોંઘવારી પર સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે, ગુવાહાટીમાં શાકભાજીઓ એટલી મોંઘી કેમ છે? તેના જવાબમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે મિયાં વેપારી છે, જે મોંઘી કિંમતો પર શાકભાજીઓ વેચી રહ્યા છે.

આસામમાં શાકભાજીઓની કિંમત ઘણી બધી વધી ગઈ છે. તેને લઈને આસામ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. કોંગ્રેસે સરકાર પાસે શાકભાજીઓની કિંમત પર નિયંત્રણ માટે જરૂરી પગલાં ઉઠાવવાની માગ કરી છે. આ દરમિયાન પત્રકારોએ આસામના મુખ્યમંત્રીને મોંઘી શાકભાજીઓને લઈને સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, તેની પાછળ મિયાં વેપારી છે. આ જ મિયાં વેપારી મોંઘી કિંમતો પર શાકભાજીઓ વેચે છે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, ગામમાં શાકભાજીઓની કિંમત ઘણી ઓછી છે.

તેમણે કહ્યું કે, આજે આસામી વેપારી શાકભાજી વેંચતા તો તેઓ આસામિયા લોકો પાસેથી વધુ પૈસા ન લેતા, પરંતુ મિયાં વેપારી આસામિયા લોકો પાસેથી વધુ પૈસા લે છે. તેની સાથે જ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આસામના યુવાઓને આગળ આવીને શાકભાજી વેચવાના કામમાં સક્રિય થવા કહ્યું. જો આસામી યુવા એમ કરવા તૈયાર છે તો તેઓ તેમના માટે જગ્યા અપાવી દેશે. એટલું જ નહીં, તેમણે ફ્લાઇઓવર નીચેની એ જગ્યાને ખાલી કરાવવાની પણ વાત કહી, જ્યાં મિયા વેપારી શાકભાજીઓ અને ફળ વેચે છે.

ઉલ્લેખનીય છે કે, આસામમાં બંગાળી મૂળના મુસ્લિમો માટે મિયાં શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોકો મોટા પ્રમાણમાં શાકભાજીઓ અને માછલીના વેપારમાં સામેલ છે. આસામમાં મિયાં-મુસલમાનોને લઈને રાજકીય ખેચતાણ ચાલી રહી છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે આસામને મિયાં સમુદાય વિના અધૂરું બતાવ્યું હતું. આસામના મુખ્યમંત્રીએ તેના પર પણ આપત્તિ દર્શાવી હતી.

તેમણે કહ્યું હતું કે, અજમલનું એમ કહેવું આસામિયા સમુદાયનું અપમાન કરવા સામાન છે. આસામના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, મિયાં સમુદાયના લોકો બસો અને કેબ ચલાવે છે. એટલે ગુવાહાટીમાં ઈદના અવસર પર શહેરમાં બસોની અવરજવર ઓછી થઈ જાય છે અને ભીડ પણ ઓછી નજરે પડે છે.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.