આસામના મુખ્યમંત્રીએ કહ્યું- મિયાં વેપારીઓના કારણે શાકભાજીઓ થઈ મોંઘી

હાલના દિવસોમાં શાકભાજીઓની કિંમતો ચર્ચાનો વિષય બની ગઈ છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શાકભાજીઓની મોંઘવારી માટે મિયાં મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને આસામમાં શાકભાજીઓની મોંઘવારી પર સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે, ગુવાહાટીમાં શાકભાજીઓ એટલી મોંઘી કેમ છે? તેના જવાબમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે મિયાં વેપારી છે, જે મોંઘી કિંમતો પર શાકભાજીઓ વેચી રહ્યા છે.

આસામમાં શાકભાજીઓની કિંમત ઘણી બધી વધી ગઈ છે. તેને લઈને આસામ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. કોંગ્રેસે સરકાર પાસે શાકભાજીઓની કિંમત પર નિયંત્રણ માટે જરૂરી પગલાં ઉઠાવવાની માગ કરી છે. આ દરમિયાન પત્રકારોએ આસામના મુખ્યમંત્રીને મોંઘી શાકભાજીઓને લઈને સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, તેની પાછળ મિયાં વેપારી છે. આ જ મિયાં વેપારી મોંઘી કિંમતો પર શાકભાજીઓ વેચે છે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, ગામમાં શાકભાજીઓની કિંમત ઘણી ઓછી છે.

તેમણે કહ્યું કે, આજે આસામી વેપારી શાકભાજી વેંચતા તો તેઓ આસામિયા લોકો પાસેથી વધુ પૈસા ન લેતા, પરંતુ મિયાં વેપારી આસામિયા લોકો પાસેથી વધુ પૈસા લે છે. તેની સાથે જ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આસામના યુવાઓને આગળ આવીને શાકભાજી વેચવાના કામમાં સક્રિય થવા કહ્યું. જો આસામી યુવા એમ કરવા તૈયાર છે તો તેઓ તેમના માટે જગ્યા અપાવી દેશે. એટલું જ નહીં, તેમણે ફ્લાઇઓવર નીચેની એ જગ્યાને ખાલી કરાવવાની પણ વાત કહી, જ્યાં મિયા વેપારી શાકભાજીઓ અને ફળ વેચે છે.

ઉલ્લેખનીય છે કે, આસામમાં બંગાળી મૂળના મુસ્લિમો માટે મિયાં શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોકો મોટા પ્રમાણમાં શાકભાજીઓ અને માછલીના વેપારમાં સામેલ છે. આસામમાં મિયાં-મુસલમાનોને લઈને રાજકીય ખેચતાણ ચાલી રહી છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે આસામને મિયાં સમુદાય વિના અધૂરું બતાવ્યું હતું. આસામના મુખ્યમંત્રીએ તેના પર પણ આપત્તિ દર્શાવી હતી.

તેમણે કહ્યું હતું કે, અજમલનું એમ કહેવું આસામિયા સમુદાયનું અપમાન કરવા સામાન છે. આસામના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, મિયાં સમુદાયના લોકો બસો અને કેબ ચલાવે છે. એટલે ગુવાહાટીમાં ઈદના અવસર પર શહેરમાં બસોની અવરજવર ઓછી થઈ જાય છે અને ભીડ પણ ઓછી નજરે પડે છે.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.