સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

On

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે. સંભલ અને કાનપુરની જામા મસ્જિદ કમિટીએ નિર્ણય કર્યો છે કે 14 માર્ચ, 2025ના રોજ બપોરે 2.30 વાગ્યે શુક્રવારની નમાજ અદા કરવામાં આવશે.

Jumma-Namaz1
zeenews.india.com

સંભલ જામા મસ્જિદ કમિટીના સદર એડવોકેટ ઝફર અલીએ જાહેરાત કરી હતી કે શહેરમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમણે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોને સૌહાર્દ અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

1615628922holi

નમાજ બપોરે 2.30 કલાકે અદા કરવામાં આવશે

દરેક ધર્મના લોકોએ તેમના તહેવારો અને ધાર્મિક કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરે.  જો કોઈ સમસ્યા થાય છે તો તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરે.  એ જ રીતે કાનપુરની જામા મસ્જિદમાં પણ શુક્રવારની નમાજનો સમય બદલીને 2.30 વાગ્યાનો કરવામાં આવ્યો છે.  મસ્જિદ મેનેજમેન્ટે બહાર નોટિસ લગાવીને આ જાણકારી આપી છે.

Jumma-Namaz
tv13gujarati.com

નોટિસમાં લખવામાં આવ્યું છે કે 14 માર્ચે ધૂળેટીને ધ્યાનમાં રાખીને શુક્રવારે બપોરે 2.30 વાગ્યે નમાજ પઢવામાં આવશે.  બધા મુસ્લિમોએ ઘરે રહીને ઈબાદત કરે અને બિનજરૂરી બહાર ન નીકળે.

ધૂળેટી અને શુક્રવારની નમાજ પ્રેમથી ઉજવો

મસ્જિદ કમિટીએ એમ પણ કહ્યું કે જો કોઈ તેના વિસ્તારની મસ્જિદમાં નમાજ અદા કરવા માંગે છે, તો તે ત્યાં પણ જઈ શકે છે.  વહીવટીતંત્ર અને મસ્જિદ કમિટીએ લોકોને અપીલ કરી છે કે, ધૂળેટી અને શુક્રવારની નમાજ પ્રેમ અને સૌહાર્દ સાથે ઉજવીએ.

 

Related Posts

Top News

કર્ણાટક સરકારના મુસ્લિમ અનામત નિર્ણય પર વિહિપનો વિરોધ

વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) એ કર્ણાટક સરકારના તાજેતરના નિર્ણયની કડક ટીકા કરી છે જેમાં સરકારી ઠેકાઓમાં મુસ્લિમ સમુદાય માટે 4...
કર્ણાટક સરકારના મુસ્લિમ અનામત નિર્ણય પર વિહિપનો વિરોધ

એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!

દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન ઘણા સમયથી બધાના દિલ પર રાજ કરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ 'પુષ્પા 2'એ...
Entertainment 
એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!

શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે

હાલમાં દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને થોડો વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં ત્રણ ભાષાના પાસાએ દક્ષિણના રાજ્યોને પણ નારાજ...
National 
શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે

દર્શકોના મનમાં સવાલ, શું રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે? હેમા માલિનીના ફોટા પરથી શંકા ગઈ

જ્યારથી ભારતમાં રિયાલિટી શોની લોકપ્રિયતા વધી છે, ત્યારથી ચાહકોના મનમાં આ પ્રશ્ન હંમેશા આવ્યો છે, કે શું તે...
Entertainment 
દર્શકોના મનમાં સવાલ, શું રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે? હેમા માલિનીના ફોટા પરથી શંકા ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.