સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે. સંભલ અને કાનપુરની જામા મસ્જિદ કમિટીએ નિર્ણય કર્યો છે કે 14 માર્ચ, 2025ના રોજ બપોરે 2.30 વાગ્યે શુક્રવારની નમાજ અદા કરવામાં આવશે.

Jumma-Namaz1
zeenews.india.com

સંભલ જામા મસ્જિદ કમિટીના સદર એડવોકેટ ઝફર અલીએ જાહેરાત કરી હતી કે શહેરમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમણે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોને સૌહાર્દ અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

1615628922holi

નમાજ બપોરે 2.30 કલાકે અદા કરવામાં આવશે

દરેક ધર્મના લોકોએ તેમના તહેવારો અને ધાર્મિક કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરે.  જો કોઈ સમસ્યા થાય છે તો તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરે.  એ જ રીતે કાનપુરની જામા મસ્જિદમાં પણ શુક્રવારની નમાજનો સમય બદલીને 2.30 વાગ્યાનો કરવામાં આવ્યો છે.  મસ્જિદ મેનેજમેન્ટે બહાર નોટિસ લગાવીને આ જાણકારી આપી છે.

Jumma-Namaz
tv13gujarati.com

નોટિસમાં લખવામાં આવ્યું છે કે 14 માર્ચે ધૂળેટીને ધ્યાનમાં રાખીને શુક્રવારે બપોરે 2.30 વાગ્યે નમાજ પઢવામાં આવશે.  બધા મુસ્લિમોએ ઘરે રહીને ઈબાદત કરે અને બિનજરૂરી બહાર ન નીકળે.

ધૂળેટી અને શુક્રવારની નમાજ પ્રેમથી ઉજવો

મસ્જિદ કમિટીએ એમ પણ કહ્યું કે જો કોઈ તેના વિસ્તારની મસ્જિદમાં નમાજ અદા કરવા માંગે છે, તો તે ત્યાં પણ જઈ શકે છે.  વહીવટીતંત્ર અને મસ્જિદ કમિટીએ લોકોને અપીલ કરી છે કે, ધૂળેટી અને શુક્રવારની નમાજ પ્રેમ અને સૌહાર્દ સાથે ઉજવીએ.

 

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.